________________
478 8 // ભક્તામર તુલ્ય નમઃ |
મંત્ર, યંત્ર અને તંત્ર એ ત્રણે અંદરથી બહાર આવવાની પ્રક્રિયા છે. બિંદુમાંથી સિંધુમાં પરિવર્તિત થવાનો ક્રમ છે.
મનમાં રહેલો મંત્ર મુખમાં આવીને યંત્રસ્થ થઈ જાય છે અને વાણીમાં પ્રગટ થઈને તાંત્રિક થઈને) મુદ્રિતીપ્રકાશિત થઈ જાય છે.”
જેટલા મંત્રો તેટલાં યંત્રો એ ઉક્તિ પ્રમાણે મંત્રોની સંખ્યા પ્રમાણે યંત્રો છે. કહેવાય છે કે મહામંત્રોની સંખ્યા સપ્તકોટિ' અર્થાત્ સાત કરોડની છે અને અન્ય મંત્રી પણ અનંત કોટિ સંખ્યામાં છે.
જૈન શાસ્ત્રોમાં મંત્રોની પ્રાચીન અને વિશાળ પરંપરા છે તેમાં વિવિધ પ્રકારના મંત્ર, યંત્ર અને તંત્ર પ્રધાન ગ્રંથો મળી આવે છે. ઉદાહરણ તરીકે સૂરિમંત્ર કલ્પ, મંત્ર કલ્પ, શ્રી વિદ્યાકલ્પ, રોગાપહારિણી કલ્પ, પદ્માવતી કલ્પ, ચક્રેશ્વરી કલ્પ વગેરે પ્રકારના મંત્રોક્ત ગ્રંથોનો સમાવેશ થાય છે.
જૈન ધર્મમાં નવકાર મહામંત્ર ગણવામાં આવ્યો છે.
જૈન ધર્મનું સર્વસ્વ નમસ્કાર મહામંત્રી તેમાં સમગ્ર દ્વાદશાંગ વાણીનો સાર છે. સમસ્ત શ્રુતજ્ઞાનની અક્ષરસંખ્યા તેમાં નિહિત છે. જૈન દર્શનમાં તત્ત્વ, પદાર્થ, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય. નિક્ષેપ – આદિ નમસ્કાર મહામંત્રમાં વિદ્યમાન છે. વળી સમસ્ત મંત્રશાસ્ત્રની ઉત્પત્તિ પણ આ મહામંત્રથી જ થઈ છે.
સમસ્ત શાસ્ત્રોનો સાર નમસ્કાર મહામંત્રમાં સમાવિષ્ટ થયેલો છે. જૈન ધર્મમાં જેટલા પણ મંત્રો છે, તે સર્વ મંત્રોનું ઉદ્ગમસ્થાન પણ નમસ્કાર મહામંત્ર જ છે. તેથી જ કહ્યું છે કે, “નમસ્કાર જેવો મંત્ર, શત્રુંજય જેવો તીર્થ, મેરુ જેવો પર્વત, વિતરાગ જેવો દેવ અન્ય કોઈ થયો નથી અને થશે પણ નહિ',
"ભક્તામર સ્ત્રોતમાં મંત્ર – યંત્ર – તંત્ર ભક્તામર સ્તોત્રનો પ્રત્યેક શ્લોક પ્રભાવશાળી છે. આ દરેક શ્લોક જ મંત્રરૂપ છે. છતાં તેના દરેક શ્લોકો પર મત્રો રચાયેલા મળી આવે છે. જો ભક્તામર સ્તોત્રને વિધિપૂર્વક વિશિષ્ટ રીતે ગણવામાં આવે તો તે પોતાનો પ્રભાવ અવશ્ય બતાવે છે. આ વસ્તુની પ્રતીતિ કરાવવા માટે જ પૂર્વના નિગ્રંથકારોએ આ સ્તોત્રનાં ઘણાખરાં પદ્યો માટે મહિમાદર્શક કથાઓનું સંકલન કહેલું છે. કેટલાક પંડિતો-મંત્રવિશારદોએ ભક્તામર સ્તોત્રના અમુક શ્લોકોનું અમુક વાર સ્મરણ કરીને વિવિધ પ્રકારનાં ફળો મળ્યાનું પુરવાર કર્યું છે. ઉદાહરણ તરીકે :
ભક્તામર સ્તોત્રનો પ્રથમ શ્લોક ભવત્તામર તમૌનિમાણમા' અને દ્વિતીય “ સંસ્તુત: સનવામયતત્ત્વ વધા” આ બંને શ્લોકનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાથી હેમશ્રેષ્ઠી શેઠ કે જેમને રાજાએ બંધનગ્રસ્ત બનાવીને અંધારા કૂવામાં કેદ કર્યા હતા તેઓ આ બંધનમાંથી મુક્ત થયા