________________
28
।। ભક્તામર તુલ્યું નમઃ II
ક્રિયા તે એક જાતની મજાકમસ્તીની રમત જેવું હતું, અને આ સરઘસ ગાયકવૃંદનું બનેલું રહેતું. અત્યારના જમાનામાં આ અદાકા૨ો ગાતાં ગાતાં ગોળ ગોળ ફરતા હોય છે. અત્યારનું તેનું નામ ‘Yangka’ – ગીતો ગાનાર એવું છે અને બૌદ્ધ ધર્મોપદેશકો અત્યારના જમાનામાં એવું જ કરે છે.
ઇટાલીની પ્રસિદ્ધ વ્યક્તિ તરીકે માર્કો પોલો થઈ ગયો. તે પોતાના પ્રવાસવર્ણનમાં કીનસે' (અત્યારનું Hang-chow) શહે૨માં જે રીતે મરણોત્તર ક્રિયા થતી તેના વિશે જણાવે છે કે, મરણોત્તર ક્રિયા સમયે મૃતકના શબની પાછળ પાછળ વાજિંત્રો વગાડાતાં અને ગાતાં ગાતાં નીકળતાં કે –
"The instruments which they have caused to be played at his funeral and the idol hymns that have been chanted shall also be produced again to welcome him in the next world and that the idols themselves will come to do him honour."
,,30
ખ્રિસ્તી ધર્મનાં સ્તોત્ર :
પશ્ચિમના દેશોમાં ખ્રિસ્તી ધર્મનું સ્થાન મહત્ત્વનું છે. આ ખ્રિસ્તી ધર્મનાં સ્તોત્ર વાડ્મય ઉદ્ગમસ્થાન શોધવા માટે હિબ્રુ વાડ્મય સાહિત્ય જોવું જોઈએ. સેંટ ઑગસ્ટાઇને ‘સ્તોત્ર’ શબ્દની આપેલી વ્યાખ્યા તત્કાલીન ખ્રિસ્તી સમાજે માન્ય કરેલી છે. સેંટ ઑગસ્ટાઇનના મત પ્રમાણે,
Praise to God with song” એટલે સ્તોત્ર,
આધુનિક કાળમાં સ્તોત્ર સંશાની વ્યાપકતા ઘણી જ વિસ્તરેલી જોવા મળે છે. રોમન કેથોલિકમાં ‘સાધુની સ્તુતિ' આ જ સ્તોત્રની સંજ્ઞા ઉપયોગમાં આવે છે. તેવી જ રીતે તાલબદ્ધ ગદ્ય કવિતા, ધાર્મિક ચિંતન-પ્રાર્થના કે સ્તુતિ એવા અનેક અર્થથી સ્તોત્ર શબ્દનો ઉપયોગ કરેલો છે. તે છતાં ‘Hymn' અથવા ‘Psalms' આવો ઉલ્લેખ ગ્રીક ચર્ચોમાં થયેલો જોવા મળે છે.
The Word 'Hymn' was employed by the ancient Greek to signify a song or poem composed in honour of Gods, heroes or famousmen, or to be recited on some joyful, mournful or solemn occasion.
૩૧
બાઇબલમાં જૂનાં ગ્રીક ગીતોનું હિબ્રુ ભાષામાં જે ભાષાંતર થયેલ છે તે સંગ્રહનું ‘Tehillin’ એવું નામ છે. પ્રાચીન ગ્રીકોએ દેવ, યોદ્ધાઓ કે પ્રસિદ્ધ વ્યક્તિના પ્રેમના ક્યારેક આનંદયુક્ત, ક્યારેક દુ:ખદ અથવા ગંભીર પ્રસંગોચિત રચેલાં કવન એ અર્થમાં સ્તોત્ર શબ્દ વપરાયેલો હોય એવું જણાય છે.
પ્રાચીન ચીની લોકોએ સ્વર્ગમાં ગયેલા રાજાને માટે સ્તોત્ર રચેલાં છે. તેવી જ રીતે સીરિયા, ઇજિપ્ત, હિંદુસ્તાનની સંસ્કૃતિના સ્તોત્ર-કાવ્યના અધિક પ્રાચીન પુરાવા મળી આવે છે. એથેન્સના નાટ્યકાર સાર્વજનિક ખેલ સમયે જેની સ્તુતિ ક૨વાના ઉદ્દેશથી સ્તોત્ર શબ્દનું સાધર્મ દાખવવા માટે શબ્દ વાપરતા હતા તેમણે છંદોબદ્ધ દેવસ્તુતિ, વિવાહવિષયક કે ઉત્સવવિષયક ગીતો, ગ્રીક દેવતાવિષયક કાવ્યો, શોકગીતો, વિલાપગીતો કે મંત્ર અને જાદુના આધાર પર કાવ્યો – આ