________________
૯૦.
રાજહૃદય ભાગ-૧૪ અને છેલ્લો સમય, પ્રથમ સમય અને છેલ્લો સમય. એમ કહે છે.
એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે....... આ એમણે જે અવતરણ ચિહ્ન લખ્યું એ શાસ્ત્રના શબ્દ ટાંકીને લખ્યું છે એમ કહેવું છે. જિનાગમના જે શાસ્ત્રો છે એટલે જે શ્વેતાંબર શાસ્ત્રો છે એમાં આ વિધાન છે. એ ટાંકર્યું છે. એટલે એમણે ક્યાંકથી વાંચ્યું છે. ક્યાં વાંચ્યું છે એ નથી લખ્યું પણ એમણે અવશ્ય વાંચ્યું છે. “એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ?” પછી એનો પરમાર્થ શું? આમ કહેવા પાછળ પરમાર્થ શું? કારણ કે વગર પરમાર્થે કોઈ વાત કરવાનો અર્થ નથી. એની પાછળ કાંઈક પરમાર્થ હોવો જોઈએ.
કદાપિ એમ સમાધાન કરીએ કે હવે પોતેને પોતે દલીલ આપે છે. કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે.” પોતે ને પોતે પછી એની સામે દલીલ આપે છે. પ્રશ્ન પોતે ઉઠાવે છે, ઉત્તર પોતે આપે છે. કે કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી.” માટે કહેનાર જ્ઞાની નથી (એમ) કહી દીધું. વાત કેવી રીતે ઉડાવી ! કહેનાર જ્ઞાની નથી એમ કહી દીધું. ચોખ્ખું લખ્યું છે કે નહિ?
કિશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય.. એમ કહેવામાં, આવા ભેદો. પાડવામાં કોઈ પુરુષાર્થ સિદ્ધ ન થતો હોય અને જેમાં વિકલ્પનો અવકાશન હોય... કારણ કે ત્યાં તો વિકલ્પનો અવકાશ નથી. તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. માટે આવા વચન છે એ જ્ઞાનીના નથી એમ કહી દીધું. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે” આ એક ઠોસ દલીલ છે. પ્રથમ સમયનું કેવળજ્ઞાન તે જ ગુણસ્થાનનું અંતિમ સમયનું કેવળજ્ઞાન. તેરમું. પછી ચૌદમાનું પ્રથમ સમયનું કેવળજ્ઞાન અને તે જ ગુણસ્થાનનું અંતિમ સમયનું કેવળજ્ઞાન, એવા જો ભેદ પાડો તો તારતમ્ય ભેદ હોવા જોઈએ. કેવળજ્ઞાનમાં તારતમ્ય ભેદ શરૂથી તે અનંત કાળ પર્યત ક્યારેય નથી, એમ કહે છે.
પણ તારતમ્યમાં તેમ નથી; પાછો પોતે જવાબ આપે છે કે એવું તો