Book Title: Raj Hriday Part 14
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 406
________________ ૩૮૯ પત્રાંક-૭૧૪ નોકર્મનું, જે નવ કરે પણ માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. મુમુક્ષુ :- ૭૫ ગાથા. પૂજ્ય ભાઈશ્રી :- ૭૫ છે. ૭પમાં આવે છે ને ? હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય ?” આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. જ્ઞાનીને ઓળખવાની આપણે બહુ ચર્ચા ચાલી હતી. આ એ વિષય ઉપર ‘સમયસારનું સૂત્ર મળે છે. આમાં સીધું આચાર્યદેવનું સૂત્ર મળે છે. “થમાત્મા જ્ઞાનીપૂતો નસ્થત રૂતિ વે-' “નક્યત’ એટલે લક્ષ્યમાં આવે, ઓળખાય. આત્મા જ્ઞાની થયો છે એ કેમ ઓળખાય ? એમ કહે છે. તો કહે છે, “મસ ય પરિણામ જોહમ્મસ ય તહેવ પરિપમા’ કર્મના પરિણામ અને નોકર્મના પરિણામ. “ કરે યમાહા જે આત્મા તે કરતો નથી. એટલે અપ્રયત્નદશામાં વર્તે છે. પ્રયત્નદશામાં ન વર્તે. કર્મનો ઉદય આવે અને સંયોગ અવળાવળા થાય, જે પ્રયત્નદશામાં ન વર્તે, અપ્રયત્નદશામાં વર્તે. એવું “યો નાનાતિ’ અને માત્ર જે જ્ઞાતા રહે. “ મવતિ જ્ઞાની તેને જ જ્ઞાની સમજવો. તે જ જ્ઞાની છે. આ સીધો ઉત્તર આપ્યો છે. “સો વહિ પાળી' “ રેડ્ડ માવા નો નહિ તો હવે તે જ જ્ઞાની છે. મુમુક્ષુ :- ૧૯મી ગાથા અજ્ઞાનીની છે. પૂજ્ય ભાઈશ્રી – હા. ૧૯મી અજ્ઞાનીની છે. એ આનાથી સીધી જ વિપરીત છે. અજ્ઞાનીની વ્યાખ્યા શું ? કે કર્મ અને નોકર્મના પરિણામની અંદર જે પરિણમી જાય છે. નોકર્મ-કર્મે “હું, હુંમાં વળી કર્મ ને નોકર્મ છે'. મારો ઉદય આવ્યો. મારામાં ઉદય આવ્યો અને હું એમાં ચાલ્યો ગયો. એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે” એ સામે સામે બેય ગાથા છે. બરાબર. અમુક ગાથાઓ એવી છે કે સીધે સીધી જ પ્રશ્નનો જવાબ મળે એવું છે. પોતે વ્યાપતો નથી માટે કરતો નથી. વ્યાપી શકતો નથી માટે કરી શકતો નથી. અને તેથી માત્ર એ પરિણામના જ્ઞાનને પોતે તો પોતાના પરિણામરૂપી જ્ઞાનકર્મને કરતો થકો પોતાના આત્માને જાણે છે. અને તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. એ ટીકાની અંદર સ્પષ્ટીકરણ છે.

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450