Book Title: Raj Hriday Part 14
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 409
________________ ૩૯૨ રાજહૃદય ભાગ-૧૪ હોય, એની મંછા હોય તોપણ આ માર્ગ સમજાશે નહિ. પૂજાદિની કામનાવાળાને આ માર્ગ નહિ સમજાય. પૂજા માટે આ માર્ગની અંદર જાણપણું કરવા જાય અથવા જાણપણું કરી લે અને એ જાણપણું કરીને પૂજાવાની ભાવના કે આશય હોય તોપણ એને આ માર્ગ સમજાવાનો નથી. મુમુક્ષુ – પહેલી... પૂજ્ય ભાઈશ્રી :- પહેલી વાત એ છે. કેમકે મનુષ્યપણામાં સૌથી માનની વાત કઠણ છે. માનની વાત મટાડવી એ કઠણ છે. ઘડી ઘડીમાં જીવને માન આડું આવે છે. માન ન સમજાય પણ અપમાન સમજાય જાય છે ને ? અપમાનનો અણગમો એ માનનો ગમો છે. આમ ન સમજાય કે, આપણે ક્યાં ભાન છે એવું? પણ અપમાન કરે ત્યારે ખબર પડે. નિંદા કરે, અપમાન કરે ત્યારે એને એકદમ અણગમો આવી જાય. અર..! આવું કહ્યું ! એ માનની કામનાને બતાવે છે, એ માનની ઇચ્છાને બતાવે છે. મુમુક્ષ - કોઈક અપમાન કરે ત્યારે અણગમો તો થઈ જ જાય ને? પૂજ્ય ભાઈશ્રી :- તો પછી માનમાં ગમો થઈ જ જાય ને. પછી માનમાં ગમો નહિ થાય એ કેવી રીતે બનશે ? એ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. આમ માન ન સમજાતું હોય એણે અપમાન વિચારી જોવું કે આવું અપમાન કરે તો ? આવું અપમાન કરે તો ? આવી નિંદા કરે તો ? આવો અવર્ણવાદ કરે તો? પોતાના માટે આવું ખરાબ બોલે તો શું થાય? અંદરમાં કેવું લાગે ? જો માનની કામના હોય તો એને અણગમો આવ્યા વિના રહે નહિ. એવું છે. પૂજાદિની કામના ન હોય, અંદરમાં ભવદુઃખ વહાલું ન કર્યું હોય. એટલે કે ભવદુઃખ મટાડવા માટે તૈયાર થયો હોય. કોઈપણ રીતે હવે પરિભ્રમણથી છૂટવું જ છે. હવે આ આત્માને પરિભ્રમણ ન જોઈએ તે ન જોઈએ. એવી તીખી દશા આવવી જોઈએ. ભવભ્રમણથી છૂટવાની તીખી દશા આવવી જોઈએ. અથવા તો ભવભ્રમણના દુઃખની વેદનામાંથી છૂટવાની દશા આવવી જોઈએ. જેમ વેદનામાંથી માણસને છૂટવાનું મન થાય ને ? કે અરેરે! આ વેદના હવે સહન થાતી નથી. હવે તો આ વેદના મટે તો સારું. વેદનાને મટાડવા તો માણસ આપઘાત કરવા સુધી,

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450