________________
હરિભદ્રસુરિ
[ ઉત્તર ખડ
આ ઉપરથી અષ્ટક-પ્રકરણમાં વિષયાનુ વૈવિધ્ય છે એ વાત તરી આવે છે. એમા શ્રાવાને તેમ જ શ્રમણાને ઉપયોગી બાબતાનું નિરૂપણ છે. વળી એમાં એકાત નિત્યવાદ, એકાત અનિત્યવાદ તેમ જ નિત્યાનિયત્રાદ વિષે દાર્શનિક ચર્ચા છે અને આ હકીકત તે અષ્ટક ૧૪-૧૬નાં નામેા પણ કહી આપે છે
૭૪
આ ત્રણ અષ્ટકો સિવાયનાં અષ્ટકોને વિચાર કરીશું તે જણાશે કે પ્રથમ અષ્ટકમાં રાગ, દ્વેષ અને મેહથી સર્વથા જે મુક્ત હોય તે · મહાદેવ' કહેવાય એવી રીતે મહાદેવનુ રવરૂપ વવાયુ છે. એમ લાગે છે કે આ અષ્ટક જોઈને ‘ કલિ૦ ’ હેમચન્દ્રસૂરિએ ૪૪ પદ્યનુ સંસ્કૃતમા મહાદેવસ્તાત્ર રચ્યું છે અને એવી રીતે આગમાદ્વારકે વિ. સં. ૧૯૮૪મા ૩૨ પદ્યમા અષ્ટબિન્દુ રહ્યુ છે.૨
ખીજા અષ્ટકમા દ્રવ્ય-સ્નાન ( બાહ્ય નાન ) અને ભાવ-નાન ( આધ્યાત્મિક સ્નાન )નું નિરૂપણ છે.
ત્રીજા અષ્ટકમાં અષ્ટપુષ્પી પૂર્જાના બે પ્રકારા દર્શાવાયા છે. એમાં પાચ મહાવ્રતા, ગુરુભક્તિ, તપ અને જ્ઞાનને ‘ સત્પુષ્પ ' યાને ‘ ભાવ– પુષ્પ ' કહ્યાં છે
"
ચેાથા અષ્ટકમા ભાવાગ્નિકારિકાનું વર્ણન છે. અહીં કમ ને ઇન્ધન, સદ્ભાવનાને આહુતિ અને ધર્મ ધ્યાનને અગ્નિ કહેલ છે. આના ખીજા
૧ મૂળ કૃતિ, એના ગુજરાતી ભાષાતર તેમ જ મૂળના પ્રત્યેક સસ્કૃત મદ્યને લગતા ગુજરાતી પદ્યરૂપ ભાષાતર સહિત શ્રીમાગરાળ જૈન સભા . તરફથી ઈ. સ ૧૯૦૬મા પ્રસિદ્ધ થઈ છે. વળી આ તેંત્ર વીતરાગસ્તાત્ર તથા આ ખનેના ગદ્યાત્મક તેમ જ પદ્યાત્મક ગુજરાતી અનુવાદો ઉપરાત કુમારપાલરચિત જિનેન્દ્રસ્તાત્રના અને રત્નાકરપચવિંતિકાના ગુજરાતી પદ્યાત્મક અનુવાદ સહિત સાંકળચંદ પિતાખરદાસ શાહ તરફથી ઇ. સ. ૧૯૨૩મા પ્રકાશિત થયેલું છે
૨ જુઓ આગÀાદ્ધારકની શ્રુતઉપાસના (૫, ૧૯ ).