________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
૨૧૫
પ૭ ગાથામા “પ્રાચીન કમ્મસ્થય રચ્યો છે. તેના ઉપર જિનદેવના શિષ્ય હરિભદ્રની ટીકા છે અને આ હરિભદ્ર પ્રસ્તુત નથી એટલે આ કૃતિ ખોટી ગણાવાય છે.
(૨૮) ક્ષેત્રસમાસવૃત્તિ આ સંબંધમાં પં. હરગોવિંદદાસે કીલોનના હેવાલ (પૃ. ૭૮)ને અને વેબરના બીજા હેવાલ (પૃ. ૯૮૭)નો ઉલ્લેખ કર્યો છે, પરંતુ જિનભદ્ગણિકૃત ખેત્ત-સમાસ જે બૃહત-ક્ષેત્રસમાસ તરીકે ઓળખાવાય છે એના ઉપર તે અન્ય હરિભદ્ર વિ. સં. ૧૧૮પમા વૃત્તિ રચી છે એટલે આ કૃતિ અપ્રસ્તુત છે. જેમાં ગ્રંસં. (પૃ. ૯૧)માં પ્રસ્તુત હરિભદ્રસૂરિની આ વૃત્તિ હવા વિષે શ કા દર્શાવાઈ છે.
(૪૯) તત્ત્વાર્થસૂત્રલથુવૃત્તિ યાને (૪૫) ૫ડપિકા
પ્રણેતા–વિદ્યાવારિધિ ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થસૂત્ર રચી એને પજ્ઞ ભાષ્ય વડે વિભૂષિત કર્યું છે. આ બંનેના સ્પષ્ટીકરણરૂપે સાસ્કૃતમાં ઉપર્યુક્ત ટીકા હરિભદ્રસૂરિએ રચી છે આ ટીકા કઈક કારણસર પૂરેપૂરી મળતી નથી, કદાચ એ પૂરી રચાઈ જ નહિ હશે. એ અપૂર્ણ ટીકા યશોભદ્રસૂરિ અને એના શિષ્ય પૂર્ણ કરી અ. ૬ના સ્ર ૨૩ના અમુક ભાગ પૂરતી–પત્ર ૧-૨૭૫ સુધીની ટીકા
૧ આ મૂળ અને ભાષ્ય તેમ જ આગમ દ્વારકના સસ્કૃત ઉપક્રમ અને એ સપાદકે રજૂ કરેલ સંસ્કૃત વિષયાનુક્રમ, સાક્ષીપાઠ અને ભાષ્યાનુક્રમ સહિત “સ કે. વ્હે. સસ્થા” તરસ્થી ઈસ ૧૯૩૬માં છપાવાઈ છે
૨ આ શિષ્ય ટીકાના અ તમા કહ્યું છે કે હરિભદ્રસૂરિએ પહેલા સાડાપાચ અધ્યાચની ટીકા રચી. ભગવાન “ગંધહસ્તી” સિદ્ધસેને નવીન અને નવ્ય વાદસ્થાનોથી વ્યાપ્ત એવી ટીકા બનાવી એ નવીન ટીકાનો શેષ ભાગ આચાર્ગે ( ભટ્ટ) અને બાકીનો મે ઉદ્દત કર્યો છે
૩ અ ૬, સ ૧૫ સુધીની ટીકામાં સમુદાયાર્થી અને વિચાર્યું છે સૂ. ૧૬–૨ની ટીકામાં સમુદાયાથે અને અવયવાર્થ વાળી રેલી યોજાઈ નથી, પણ સૂ ૨૩ માટે તેમ છે.