________________
સમીક્ષા ]
જીવન અને કવન
૩૩૫
પંજિકા (પત્ર ૨૧આ)માં કહ્યું છે એમની કોઈક કૃતિમાથી લવિત્ર (પત્ર ૨૧)મા નિમ્નલિખિત અવતરણ અપાયું છે.
નાસ્તિી, શ્ચિમીનન સરવે ” આનો અર્થ આ લેકમા કોઈ જીવ અયોગ્ય–અપાત્ર નથી એમ છે.
આ માન્યતાને લઈને એઓ ભગવાનને “પુરુષોત્તમ માનવા ના પાડે છે.
સાંકૃતપ્રવાદ–સાંકૃત નામની વ્યક્તિને વાદ તે “સાકૃત-પ્રવાદ છે. આ સાંકૃતના શિષ્યોને લવિ(પત્ર ૨૩)માં “સાકૃત્ય” કહ્યા છે. એમનું કહેવું એ છે કે બાહ્ય પદાર્થ સાથે જે સંગત આવે– જણાય તે “સત્ય” છે. એથી એમની દષ્ટિએ હીન કે અધિક ઉપમાને સ્થાન નથી. આને અંગે એમનુ નિમ્નલિખિત વચન લવિ. (પત્ર ૨૩)માં અપાયું છે –
ઠ્ઠીનાધિકાખ્યામુપમાં મૃણા”. આને લઈને આ સાંકૃત્યો ભગવાનને “પુરુષસિંહ” જેવા વિશેષણ વડે વિભૂષિત કરવા સંમત નથી એઓ તે ભગવાનને નિરુપમ ગણે છે.
આ પ્રમાણે જે વિવિધ વાદો વિષે મેં આછી રૂપરેખા આલેખી છે તેના નિરસનરૂપે તાર્કિક દૃષ્ટિએ હેતુપુરસ્સર નિરાકરણ લવિમા કરાયું છે, પરંતુ ગ્રંથગૌરવના ભયે એ અહીં જતું કરાય છે