________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ પૂજાના (ભાવ) કરતો આવ્યો છે. અનાદિરૂઢ કેમ? કે એવા ભાવ તો અનંતવાર કર્યા. અનંતવાર નવમી રૈવેયક ગયો, તો એ અનાદિરૂઢ છે, કોઈ નવી ચીજ નથી !
બીજી રીતે કહીએ તો નિગોદમાં-એકેન્દ્રિયમાં પણ શુભભાવ થાય છે. નિગોદનો જીવ છે, ક્યારેય નીકળ્યો નહીં, ત્રસ થયો નથી, એવા નિગોદજીવ અનંત પડ્યા છે; એને પણ ક્ષણમાં શુભ ને ક્ષણમાં અશુભ કાયમ કામ ચાલે છે. -શું કહ્યું? કેઃ જે કર્મચક્ર છે તે નિગોદમાં પણ શુભભાવ પછી અશુભભાવ, પછી શુભભાવ. એમ, અનાદિથી ચાલે છે. (તેમ જ) અનંતવાર શુક્લલેશ્યા (પૂર્વક) નવમી રૈવેયક ગયો. શુક્લલેશ્યા. હોં! શુક્લધ્યાન નહીં. શુક્લલેશ્યાઊજળો રાગનો ભાવ, તો અભવીને પણ હોય છે. મિથ્યાષ્ટિને પણ હોય છે. એ તો અનંતવાર મુનિવ્રત ધાર નવમી રૈવેયક ગયો. (એ) તો ત્યાં (સમયસાર” ગાથા-૪૧૩માં) અનાદિરૂઢ કહ્યો છે. એ તો અનાદિરૂઢ છે, વ્યવહારમૂઢ છે. કારણ કે (એ) વ્યવહારઆત્મા (છે) એને આત્માનુભવ-સમ્યગ્દર્શન નથી. ત્યાં વ્યવહારને મૂઢ કહ્યો. કારણ કે, વ્યવહારને જાણવાવાળો જાગ્યો નહીં, એ તો મૂઢ છે. આવી વાત છે! આકરી પડે, પણ શું થાય? શુભભાવ તો અનાદિરૂઢ-અનાદિથી ચાલ્યો આવે છે. નવમી રૈવેયક ગયો તો પણ શુભભાવ. નિગોદમાં ગયો ત્યાં પણ શુભભાવ. એમ અનંતવાર (શુભભાવ) કર્યા. એમાં નવી ચીજ શું છે? અજ્ઞાનીને અનાદિરૂઢ, વ્યવહારમૂઢ કહ્યો છે. કારણ કે આત્મા જાગ્રત થયો નથી અને આનંદનો અનુભવ થયો નથી. રાગની-પંચમહાવ્રતાદિની ક્રિયા જેટલી પાળે છે તે બધાને મૂઢ કહ્યા.
કામને નષ્ટ કર્યો છે અર્થાત તે વસ્તુમાં નથી. અનાદિરૂઢનો વ્યવહાર એ (પણ) એમાં નથી. સંસ્કૃતમાં (ટીકામાં) ત્રણ શબ્દો છે: તેનાવિરૂદ્રવ્યવહારમૂઢી: પ્રૌઢવિવેવ નિશ્ચયમનારૂઢી: પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર (તેઓ ) અનારૂઢ છે. પ્રૌઢ વિવેક (અર્થાત ) વિકલ્પથી (રાગથી જ્ઞાનને) ભિન્ન કરવું. મહા ભેદવિજ્ઞાન. અતિશય રાગથી ભેદજ્ઞાન કરવું. એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર (જે) અનારૂઢ છે; (તે) રાગમાં આરૂઢ છે, અનાદિરૂઢ છે, વ્યવહારમૂઢ છે (અને ) નિશ્ચયમાં અનારૂઢ છે. સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે કેઃ “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે” એનો અર્થ એ કે એમાં (વસ્તુમાં કામ) છે જ નહીં. અહીં તો ત્રિકાળીને બતાવવો છે. (એ) કામને નાશ કરવાવાળો ક્યાં છે? પણ એના અવલંબનથી કામનો નાશ થાય છે (તેથી) એમ કહેવામાં આવે છે કે: ત્રિકાળી વસ્તુ કામનો નાશ કરવાવાળી છે.
(હવે, કહે છેઃ ) “જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે.” “વીર:' (એટલે કુહાડો.) પાપ શબ્દમાં પુણ્ય-પાપ બેય છે. પુણ-દયા, દાન, વ્રતનાં પરિણામ પાપ-હિંસા, જૂઠ (આદિનાં પરિણામ );-એ બેય પાપ છે!
યોગસાર” (-ગાથાઃ ૭૧માં) યોગીન્દ્રદેવે (કહ્યું છે ને...!) “પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” પાપને તો સૌ પાપ કહે; પણ અનુભવી જન, સમ્યગ્દષ્ટિ જીવ તો પુણ્યને (પણ) પાપ કહે (છે). એ આગળ આવી ગયું“મા” કહે છે. પુણ્ય અને પાપ-બેય અઘ છે, પાપ છે! આહા.... હા! આકરી વાત પડે. શું કરે? સમ્યગ્દર્શન ચીજ કોઈ એવી છે પુષ્ય અને પાપ જેમાં નથી એવી ચીજ (ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com