________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO – પ્રવચન નવનીતઃ ભાગ-૨ = ધ્યાનની પંક્તિ, ધ્યાનની પરંપરા, હોવાનું પણ–રાગ નથી, સંસાર નથી, એ તો ઠીક; પણ આવી ધ્યાનાવલી હોવાનું પણ- (શુદ્ધનય કહેતો નથી). સમજાણું કાંઈ?
ભગવાનઆત્મા અંદર પૂર્ણાનંદનો નાથ; સર્વજ્ઞ પરમેશ્વર-જિનેશ્વરે કહ્યો એવો એ અંદર આત્મા છે. -એમ તને અંદરમાં બેસવું જોઈએ. સમજાણું કાંઈ ? સમ્યગ્દર્શનનો વિષય-વ્યય. એ આ પરમાત્મા–પૂર્ણાનંદ પ્રભુ છે. એનો (સમ્યગ્દર્શનનો) વિષય, અશુદ્ધસ્વરૂપ તો નહીં પણ આ જે ધ્યાનની શુદ્ધપર્યાય છે એ પણ નહીં, એમ કહે છે. “પણ” કહ્યું છે ને કે “ધ્યાનાવલી હોવાનું પણ ”—એમ. એ પ્રભુમાં રાગ તો નથી, વિકાર તો નથી, વ્યવહારરત્નત્રયના જે વિકલ્પો તો નથી, (પણ એ ધ્યાનાવલી પણ નથી). તું પ્રભુ છો, ભાઈ ! તને ખબર નથી. તારી પ્રભુતા” તને બેસતી નથી! અને તને અંદર પામરતા બેઠી છે (કે) “રાગ તે હું ને પુણ્ય તે હું ને પાપ તે હું ને.! ' સમજાણું કાંઈ?
(અહીંયાં કહ્યું કે, “ધ્યાનાવાલી હોવાનું પણ” – (શ્લોકમાં) “ઘ' છે ને....!” ધ્યાનાવનીમgિ ”—એમ ધ્યાનાવલી પણ. “”િ શબ્દ છે. આહા.. હા! ભગવાન ૫
સ, હા ! ભગવાન પૂર્ણાનંદથી ભરેલો. અતીન્દ્રિયના પર્ણ સ્વાદથી ભરેલો. એમાં ધ્યાનાવલી પણ (નથી). એમાં સંસાર તો નથી. ઉદયભાવ તો નથી. જેને-ઉદયને તત્ત્વાર્થસત્ર” માં સ્વતત્વ કહ્યું... લ્યો. હું અહીંયાં (કહ્યું કે:) મૂળ જે તત્ત્વ છે તેમાં એકેય રાગ નથી; એ રાગ અને સંસાર તો નથી પણ જે આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષનો માર્ગ, અંદરમં ધ્યાનની જમાવટ જામી એવી શ્રેણિધ્યાનની પર્યાય આત્મામાં (હોવાનું) શુદ્ધનય કહેતો નથી. આહા... હા ! શું પર્યાયને દ્રવ્યને ભિન્ન સિદ્ધ કરવાની (શૈલી) !! “ધ્યાનાવલી હોવાનું પણ શદ્ધનય કહેતો નથી.” “શદ્ધનય” કેવી છે એમ નહીં, “કેવો' છે એમ લીધુંને “શુદ્ધનય કહેતો નથી.” છે ને...! “ધ્યાનાવની િ૨ શુદ્ધનયો ન વિરપહેલા પદનો એટલો અર્થ થયો.” “વવર્તાસશિવમયે પરમાત્મતત્ત્વ” એ પહેલાં અર્થ કર્યો: “પ્રગટપણે સદાશિવમય એવા પરમાત્મતત્વને વિષે”.
હવે કહે છે: “તે છે” તો ખરો. અસ્તિત્વ તો છે. ધ્યાનનું, મોક્ષમાર્ગનું, સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રનું અસ્તિત્વ તો છે. “તે છે (અર્થાત “ધ્યાનાવલી આત્મામાં છે”) એમ માત્ર વ્યવહારમાર્ગે સતત કહ્યું છે.” આહા... હા ! એ તો પર્યાયમાર્ગને બતાવવો (એ) વ્યવહારમાર્ગ છે. એ પર્યાય આત્મામાં છે એમ વ્યવહારમાર્ગે સતત-નિરંતર કહ્યું છે.
એને (અજ્ઞાનીને) એમ થઈ ગયું છે કે, હું તો એક સાધારણ પ્રાણી છું. હું માણસ છું. હું બાયડી છું. હું ઢોર છું. એણે એનાં પશુના શરીર ને અવતાર દેખ્યા છે પણ અંદર મોટો ભગવાન છે એની ખબર ન મળે. આહા.. હા! હું નિર્ધન છું. હું સઘન છું. હું કુટુંબવાળો છું. હું દરિદ્ર છું. –એ બધું (૮) ક્યાં છે, પ્રભુ? તને ખબર નથી. તું તો મોટો ધનાઢય છો. તારા જેવો ધનાઢય! જગતમાં બીજી કોઈ ચીજ ક્યાંય નથી.
આહા... હા ! (અહીં) “તે (ધ્યાનાવલી) છે”-પર્યાય છે; (એ) દ્રવ્યમાં નથી, એમ સિદ્ધ કર્યું. આમાં તો, ભાઈ ! લગની લાગવી જોઈએ, એવી વાત છે. એને માટે ગાંડા થવું જોઈએ દુનિયાથી. (તે ધ્યાનાવલી) શુદ્ધનયે આત્મામાં નથી. આત્મામાં છે તે વ્યવહારમાર્ગે છે. પર્યાય તે વ્યવહારમાર્ગ કહ્યો. આહા... હા ! સમજાણું કાંઈ ? આવો માર્ગ (બીજે) ક્યાં છે, ભાઈ ? પ્રભુ! તું કેવડો મોટો છે ! હવે, એને શુભભાવથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com