________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
લોકાલોકને જાણે એવી અનંતી પર્યાયોનો સમુદાય એ જ્ઞાનગુણ; લોકાલોકને જાણીને એવા જ પ્રમાણમાં એક શ્રદ્ધાની પર્યાય પ્રતીત કરે છે, એ શ્રદ્ધાની અનંતી પર્યાય અંદર એક શ્રદ્ધાગુણમાં છે; એવી એવી અનંતા ગુણની એક એક પર્યાયમાં અનંતતા છે એ બધી પર્યાયોનો સમુદાય ગુણ છે અને બધા ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે. સમજાણું કાંઈ ? આવું (વસ્તુસ્વરૂપ) છે!!
તે
લોકો કહે છે ને... કે: એ (સોનગઢ) વ્યવહારને ઉડાવે છે! પણ વ્યવહાર છે એને ઉડાવે છે કે ન હોય એને? જેને નિશ્ચય છે એને વ્યવહાર છે, એને ઉડાવીને અંત૨માં જાવું એમ કહે છે સમજાણું કાંઈ ? આવો માર્ગ વીતરાગનો છે!
જિનેન્દ્રદેવ ( ની ) સભામાં ગણધરો અને એકાવતારી ઇન્દ્રો હતા. ગણધરો એ ભવે મોક્ષ જનારા છદ્મસ્થ હતા એને ભગવાન આમ કહેતા હતાઃ એ આ વાણી છે અહીં. આહા... હા! “મુખ' ૐૐ કાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ, રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” એ ભગવાનની વાણીમાં આમ આવ્યું છે કેઃ
66
જે અમે કહ્યું છે એવું વ્યવહા૨પ્રતિક્રમણ જે કરે છે એ પણ સાચું પ્રતિક્રમણ થાય. અમે નિશ્ચયસહિતનો જે વ્યવહાર કહ્યો અંદરમાં જા! ત્યારે સાચું પ્રતિક્રમણ થાય. આહા... હા !
છોડીને અંદરમાં જા! તો તને એ વ્યવહારને પણ છોડીને
‘નિયમસાર ’ નિશ્ચય-પરમાવશ્યક અધિકાર (ગાથાઃ ૧૪૫) માં આવે છે ને...! “ જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે પરાશ્રિત છે, પરવશ છે. એક ચીજ અખંડ કારણપરમાત્મા ભગવાન; એમાં ત્રણ ભેદે એનો વિચાર કરવો તે પણ વિકલ્પ અને અનાવશ્યક છે; એ જરૂરનું નથી એમ કહે છે.
અરેરે ! આવું ( પ્રતિપાદન બીજે) ક્યાં છે, પ્રભુ? અરે ભાઈ! એવા (સન્માર્ગથી અણજાણ ) લોકો વિરોધ કરે કે (સોનગઢનો ) વિરોધ કરો... વિરોધ કરો-વ્યવહારને માનતા નથી, વ્યવહારથી (નિશ્ચય) થાય એમ માનતા નથી. એકલા ઉપાદાનથી થાય એમ માને ( છે), નિમિત્તથી ( ઉપાદાનમાં કાર્ય) થાય એમ માનતા નથી. ( પણ ) બાપુ! છે તો (વસ્તુસ્થિતિ ) એમ જ; પણ તને બેસે શી રીતે, ભાઈ? દરેક પદાર્થની દરેક સમયે જેનો (સ્વ) કાળ છે તે પર્યાય થાય છે. હવે એ પર્યાય થાય છે એમાં નિમિત્ત સામે ભલે હોય પણ નિમિત્તથી એ પર્યાય થઈ નથી. ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? તેમ વ્યવહારમાં પ્રતિક્રમણનો વિકલ્પ હોય પણ તેનાથી નિશ્ચયમાં ગયો નથી, તેને છોડીને (નિશ્ચયમાં) જાય છે. તો વ્યવહા૨ સાધન છે અને નિશ્ચય સાધ્ય છે એમ ત્યાં રહેતું નથી.
66
( અહીંયાં કહે છે: ) “ અખંડ-આનંદમય નિજ કારણપરમાત્માને ધ્યાવે છે.” આહા.. હા! ભગવાનસ્વરૂપ પરમાત્મા, સાક્ષાત્ શક્તિ-સ્વભાવ નિજ કારણપરમાત્મા, એકલો ભગવાનસ્વરૂપ સિદ્ધસ્વરૂપ-દ્રવ્ય હોં! એવું જે કારણપરમાત્મતત્ત્વ; એને જે ધ્યાવે છે. એને જે ધાવે છે (જેમ ) બાળક માતાના સ્તનમાંથી દૂધ ધાવે છે (તેમ ) વસ્તુની અંદર જે કારણપરમાત્મા, અનંત આનંદમય છે તેને પીવે છે, ધાવે છે. તેનું ધ્યાન કરીને એમાંથી રસ કાઢે છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
પ્રશ્ન: આવી વાતો શી હશે! પણ આમાં કરવું શું હવે ? પહેલું શું કરવું ?
સમાધાનઃ પહેલું આ કરવું-રાગ અને વિકલ્પથી ભિન્ન પાડવો અને કા૨ણપ૨માત્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com