________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૪૩ આયુષ્ય બંધાશે. અહીં આપણે અત્યારે મનુષ્યની વાત લઈએ છીએ; બાકી નારકી સમકિતી, મનુષ્યનું આયુષ્ય બાંધે; દેવ પણ મનુષ્યનું આયુષ્ય બાંધે. તથા સમકિતી તિર્યંચને દેવનું આયુષ્ય બંધાય, પછી ત્યાં મનુષ્યનું આયુષ્ય બાંધે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો કહે છે કે મારે દેવ-પર્યાય સાથે સંબંધ નથી. એ ગતિનો માટે સંબંધ નથી અને એ શરીરનો પણ મારે સંબંધ નથી. આહા.. હા! પણ પ્રભુ! આપ તો મનુષ્યપણામાં છો ને..? (મનુષ્યને) ચાર ગતિમાં ગણે છે તો કવળી પણ મનુષ્યગતિમાં-એમ ગણવામાં આવે છે કે નહીં ? આવે છે ક્યાંય ? - “બોધપાહુડ' (ગાથા-૩, ૪માં) આવ્યું છે. (ત્યા) આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા, ઈશન જિનબિંબ, જિનમુદ્રા, જ્ઞાન, દેવ, તીર્થ, અરહંત તથા ગુણથી વિશુદ્ધ પ્રવ્રજ્યા- એ અગિયાર સ્થળ (આત્માના) નિશ્ચય કરવામાં આવ્યાં છે. ત્ય વા-૩૧માં ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યામિ, પ્રાણ અને જીવસ્થાન-એ પાંચ પ્રકારથી અરહંતપુરુષને સ્થાપિત કરવાનું વિધાન કર્યું છે.) તો માર્ગણામાં તો મનુષ્યગતિ આદિ પણ છે ને....! અને અરહંત કેવળીને “માર્ગણા' લગાવી છે. તો ત્યાં ગતિ છે ને...! એટલો ત્યાં અસિદ્ધભાવ છે કે નહીં? પરંતુ અહીંયાં તો કહે છે કે મારી વસ્તુસ્થિતિને; અને જેટલું વર્તમાન નિર્મળપરિણમન છે તેને; હું જાણવાવાળો છું.” હું એ (દેવપર્યાયને યોગ્ય) પરિણામનો કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી, તેમજ તેનું હું કારણ પણ નથી. આહા... હા ! દેવપર્યાય અને તેને યોગ્ય પુદગલદ્રવ્યનો સંબંધ, (અર્થાત ) જડદ્રવ્યનો સંબંધ અને ઉદયનો સંબંધ, એ બધાનો “અલ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.” જુઓ! અહીં જરી ભાષા ફેરવી. પહેલાં (તિર્યંચની વાત લીધી કેક) કર્ણવિહીન છું.” પછી (મનુષ્યની વાતમાં લીધું કે:) “શુદ્ધનિશ્ચયથી નથી.” અને (અહીં કહ્યું કે, “નિશ્ચયથી મારે દેવપર્યાય નથી. કારણ કેઃ દેવપર્યાય તો આવવાવાળી છે ને...! પણ મારી પર્યાય (જે છે તે દેવપર્યાયના) કારણની કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક પણ નથી. (તે દેવપર્યાય તો) થઈ જશે. આહા.... હા ! જ્ઞાની રાગના કર્તા નથી. જે ભાવે દેવઆયુ બંધાય તે ભાવના પણ કર્તા તો જ્ઞાની નથી. આહા...હા...હા !
ચાર પ્રકારના આયુષ્ય બંધાય છે ને...! અરે ! જ્ઞાનાવરણીય લ્યો... એ છ પ્રકારે બંધાય છે. પણ એ છયેનો કર્તા જ્ઞાની નથી. અરે! છતાં જ્ઞાનીને જ્ઞાનાવરણીય બંધાય છે. બંધાય છે કે નહીં? હજુ દશમા (ગુણસ્થાન) સુધી કર્મ બંધાય છે. પણ કહે છે કે તેનો તો જ્ઞાતા-દ્રષ્ટા છું. મારા પરિણમનમાં “તે મારાં છે” એવો હું નથી.
વિશેષ તો ઘણું આવે છે. એવી ગાથા “પદ્મનંદિપંચવિંશતિકા' માં છે. ત્યાં મુનિ પદ્મનંદિ પોતે કહે છે કે આ નહીં, આ નહીં. ખ્યાલ છે કે, મારે સ્વર્ગમાં જવું પડશે. પણ પહેલેથી જ નિષેધ કરતા જાય છે.
જેમ અન્યમતિમાં “ગરુડપુરાણ' છે ને...! મરી ગયા પછી પાછળથી એ “ગરુડપુરાણ' લોકો વાંચે. એમ આપણે ત્યાં પણ ‘અનિત્યપંચાશ” “પાનંદિપંચવિંશતિકા' માં છે. ત્યાં
ગરુડપુરાણ” જેવી વાત છે. અહીં અનિત્યપંચાલતમાં એવી શૈલી છે કે કોઈનું મૃત્યુ થઈ જાય તો આ “અનિત્યપંચાશ' ની ભાવના લેવી (ભાવવી). એવો અધિકાર છે. ઘણી ઊંચી ગાથાઓ ! બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે. અહીંયાં હવે આકરી વાત છે, જુઓ! કહે છે કેઃ “ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો”_ગતિ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com