________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ ત્યારે અશુભથી બચવા શુભ આવે; પણ છતાં છે તો (તે) અનાચાર. આહા.. હા ! એ (છબ0) તો અંદરમાં ઠરી શકતો નથી; તો હઠથી અંદર જઈ શકે એમ છે નહીં. સહજ જઈ શકતો નથી. તો આચાર્યે કોઈની (શેહશરમ) રાખી નથી. સમાજને બેસો ન બેસો પણ સત્ય આ” છે!
છે...! “શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય અનાચાર છે. - “શુદ્ધ આત્મા” એટલે એકલો જ્ઞાનમૂર્તિ, આનંદમૂર્તિ, વીતરાગસ્વરૂપી ભગવાન, પૂર્ણાનંદનો સાગર એવો શુદ્ધ આત્માદ્રવ્ય હોં! એની આરાધના, એની સંમુખતાની દશા; એ સિવાયની પરતરફની દશાવિમુખતાનો ભાવ-ઓહોહો ! એ તો અનાચાર છે, એમ કહે છે. છે! “આરાધના સિવાયનું બધુંય” -પાછું “બધુંય” લખ્યું છે–અંદર સ્વરૂપમાં લીનતા-આરાધના સિવાય જેટલો વ્યવહારનો વિકલ્પ ઊઠે (એ) બધો અનાચાર છે, એ આચાર નથી.
તેથી જ સધળો અનાચાર છોડીને ” – શા માટે (એમ) કહે છે? કે આત્માના આનંદમાં રમણતા, અતીન્દ્રિય આનંદમાં રમણતા, વીતરાગભાવની રમણતા; એ સિવાય બધો અનાચાર કહ્યો- “તેથી જ (તે કારણે) સધળો અનાચાર છોડીને”- એ શુભરાગ પણ અનાચાર છે અને સ્ત્ર છોડીને, સત્ય પ્રતિક્રમણ કરવું હોય તો એને આમાં (આત્મામાં) રમવું પડશે. એ પ્રતિક્રમણનું જે શાસ્ત્ર રચીને એને બોલે અને એનો શુભરાગ આવે, પણ છે એ પરમાર્થે તો અનાચાર. તેથી બધોય અનાચાર છોડીને-ઈ પણ ઉપદેશ છે ને.બાકી ખરેખર તો સ્વરૂપમાં રમણતા કરે છે ત્યારે એ અનાચાર ઉત્પન્ન થતો નથી. (તો) “એને છોડીને’ એમ કહે છે. ભગવાન પોતાના ધામમાં-સુખધામમાં આવે છે, પોતે આત્મા અતીન્દ્રિય સુખધામમાં આવે છે ત્યારે એને રાગની શુભની ઉત્પત્તિ થતી નથી, તેથી એમ કહ્યું કે: “અનાચાર છોડીને” ઉપદેશની શૈલી, તો શું આવે? –અનાચાર-શુભને પણ છોડીને.
“સહજચિવિલાસલક્ષણ”- “સહજ' અર્થાત્ સ્વાભાવિક, ‘ચિદ્' અર્થાત્ જ્ઞાન એટલે આત્મા. સહજઆત્મવિલાસલક્ષણ “નિરંજન નિજ પરમાત્મતત્ત્વ” આહા... હા... હા!
આવી ચોખ્ખી વાત શાસ્ત્રમાં પડી છે અને વાંચે નહીં ને વિચારે નહીં ને ( એમ કહે કે) એ વ્યવહારથી નિશ્ચય થાય એમ ન માને તે એકાંત છે. (પણ) પ્રભુ! તું શું કરે છે આ ? તારા સ્વભાવનો મહિમા તને નથી આવતો! () મહા ભગવાન છો ને આનંદ છો! એ સિવાય (જેટલો) વ્યવહાર છે તે બધો અનાચાર છે, સ્વરૂપને હણે છે, વાત કરે છે.
આહા... હા ! “સમાધિશતક' માં કહ્યું છે. અરેરે ! જગત હણાઈ જાય છે; આચાર્ય ખેદ કરે છે-છદ્મસ્થ છે (કરુણાનો) વિકલ્પ છે (તો કહે છે:) અરેરે ! જગત હણાતું જાય છે. એ રાગમાં હણાઈ જાય છે અને છતાં એમાં હોંશું કરે છે? ઝેર પીને- “તૃષા ટાળું છું” એમ હોંશ કરે છે! આહા.. હા ! આવો માર્ગ છે !!
“સહજજ્ઞાનવિલાસલક્ષણ” એ તો જ્ઞાનનો વિલાસલક્ષણ એવું ‘નિરંજન નિજ પરમાત્મ (તત્ત્વ)' - પાછું ! ભગવાન પરમાત્મા, એ નહીં. ‘નિરંજન' જેને કોઈ રાગાદિનો મેલ નથી એવું સ્વરૂપ છે. રાગ જે દયા, દાન, વ્રત, ને ભક્તિનો ભાવ એ પણ અંજન-મેલ છે. એ મેલ વિનાનું નિરંજન નિજ તત્ત્વ. આહા... હા ! નિજ પરમાત્મતત્ત્વ” – પોતાનું પરમાત્મતત્ત્વ. આહા... હા! એની “ભાવનાસ્વરૂપ આચારમાં” એની ભાવનાસ્વરૂપ અંતર રમણતાસ્વરૂપ આચારમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com