Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 292
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦ પ્રવચન નવનીત: ભાગ-૨ નિગોદ... કયા ક્ષેત્ર, કયા કાળ, કયા ભાવ? ભાઈ! તું તારા સ્વરૂપથી વેગળો રહીશ અને એનાથી ( વ્યવહારથી ) લાભ થાય એમ માનીશ તો વેગળો રહીને તારે રખડવું પડશે. આહા... હા! અરે પ્રભુ! આ તો તારા હિતની વાત છે ને...! એમાં તને એમ લાગે કે, અરે! આ તો એકાંત છે; કંઈ વ્યવહારસાધન તો બતાવતા જ નથી. (તો કહે છે:) ભગવાન પાસે જા. ભગવાન તો અહીં ના પાડે છે. ભગવાન પાસે જવાનાં એટલાં પુણ્ય પણ ક્યાં છે? ઇન્દ્રો અને ગણધરોને ભગવાન એમ કહેતા હતા. “મુખ ૐ કાર ધ્વનિ સુનિ, અર્થ ગણધર વિચારે; ” ( ' કા૨) ધ્વનિમાંથી નીકળેલાં આ આગમ છે. આહા... હા! “ રિચ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” નિઃસંશયસ્વરૂપ ભગવાન છે. રાગથી લાભ થાય (એમ માને તો ) એ બધા સંશય-મિથ્યાત્વભાવ છે. એ જિનવાણી સાંભળી (ભવિક જીવ સંશય નિવારે) – 66 ‘નિયમસાર ’ ગાથા-૮૯માં કહેશેઃ “બિનવનિર્વિદસૂત્રપુ” ભગવાને કહેલા સૂત્રમાં કહેલી આ વાત છે! આહા... હા ! ગાથા-૮૯માં ચોથું પદ છે. પાઠ એટલો છેઃ ‘બિનવનિર્વિષ્ટસૂત્રેવુ.” ટીકાકાર તો એમ કહેશેઃ જિનવરના મુખારવિંદમાંથી નીકળેલી વાણી... ટીકામાં છે! ‘પરમિજવેંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં ( આમ ) કહ્યું છે. ” એ દ્રવ્યશ્રુતમાં આમ કહ્યું છે! આહા... હા! રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે એ ગુપ્તિ અને તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એમ દ્રવ્યશ્રુત-ભગવાનની વાણી, ( એમાંથી ) રચેલાં શાસ્ત્રો, એમાં આ કહ્યું છેઃ મન-વચન-કાયની વિકૃતિને સદા તજીને, સહજ પરમ ગુપ્તિને “શુદ્ધાત્માની ભાવના સહિત ” એ તો ઈ (સમ્યક) જ્ઞાનપુંજમય ગતિ કહી તે શુદ્ધાત્માની ભાવના છે. શુદ્ધ ભગવાન, પૂર્ણ ૫રમાત્મા સ્વરૂપ; એની ભાવના-એકાગ્રતા (એ ૫૨મ ગુપ્તિ છે એને) શુદ્ધાત્માની ભાવના સહિત “ ઉત્કૃષ્ટપણે ભજો.” આ (ઉત્કૃષ્ટપણું) તો મુનિને છે ને...! સમ્યગ્દર્શનમાં ( ચોથે ગુણસ્થાને તો ) હજી જઘન્યપણે ભજે છે. (અહીં ) ચારિત્રની વ્યાખ્યા છે ને...! “(આ સહજ ) –સ્વાભાવિક ૫૨મ ગુતિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો.” એ તો ભાવના કહો, ભજો કહો, (સમ્યક્ ) જ્ઞાનનો પુંજ ગુતિ કહો (બધું એકાર્થ છે). આહા... હા! ત્રિશુસિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે.” જેને છઠ્ઠ ગુણસ્થાને હજી રાગ વર્તે છે, સમ્યગ્દર્શન છે, ચારિત્ર (માં) ત્રણ કષાયનો અભાવ છે પણ હજી રાગ છે ત્યાં સુધી ચારિત્ર મલિન છે. આહા... હા ! ( ઉત્કૃષ્ટપણે ( ૫૨મ ગુતિને ) ભજો' એમ છે ને...! આ નિશ્ચયપ્રતિક્રમણ-ચારિત્રનો અધિકાર છે ને...! તો ચારિત્ર છે તે ઉત્કૃષ્ટપણે સ્વરૂપનો આશ્રય અને (એને) ભો, એ છે. સમ્યગ્દર્શનમાં જઘન્ય આશ્રય છે. એનાથી પાંચમામાં વિશેષ આશ્રય છે. અને છઠ્ઠામાં એનાથી વિશેષ (આશ્રય ) છે. અને સાતમામાં એનાથી વિશેષ (આશ્રય) છે એટલે ત્યાં ગુપ્તિ ( ગુપ્ત ) થયો; એમ કહે છે. ( શ્રોતાઃ ) અહીં દ્રવ્ય અને પર્યાય બેયને સાથે લીધા? (ઉત્તર: ) પર્યાય તો છે. ભાવના પર્યાય છે. પ૨મ ગુપ્તિ એ પર્યાય-પરિણતિ છે. શુદ્ધાત્મા (દ્રવ્ય) એ તો ત્રિકાળી. અને સમ્યગ્નાનના પુંજમયી આ સહજ પરમ ગુપ્તિ (એ) વર્તમાન, એને ભાવના કીધી, એને ભજો કહ્યું. એને આ વસ્તુની પર્યાયને એકને ભજો. “ભાવના ઉત્કૃષ્ટપણે ભજો.” ભજન તો એમ જ હોય ને...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ભક્તિ કરો, એમ કહે ને...! આગળ ( ગાથા૧૩૪, ૫૨મભક્તિ અધિકારમાં) આવે છે ને...! ભક્તિ તો દ્રવ્યની કરવી છે. પણ એ દ્રવ્યમાં ભક્તિ આ (સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320