________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ કે: અંતર આત્માનંદ પ્રભુ, જ્ઞાનસ્વરૂપી જે અધ્યાત્મનું નિશ્ચયદ્રવ્ય છે; એમાં જે એકાગ્રતા, આનંદની દશા અને શાંતિની દશા, એ જે અધ્યાત્મનો વ્યવહાર છે (તેને તે મૂઢ જાણતો નથી.) અધ્યાત્મનો નિશ્ચય તો દ્રવ્ય છે. આહા.. હા! બનારસીદાસે કેટલું સરસ લખ્યું છે! વસ્તુસ્થિતિ જ એવી છે! દિગંબરમાં તો મુનિઓ અને આચાર્યો તો અલૌકિક થઈ ગયા પણ ગૃહસ્થ-પંડિત (આત્મજ્ઞાની) થઈ ગયા તે પણ અલૌકિક ! અને આ બનારસીદાસજી તો પહેલાં શ્વેતાંબર હતા પણ જ્યાં ગુલાંટ ખાઈને દષ્ટિ-અનુભવ થયો તો “આ” લખ્યું! આહા... હા ! (અજ્ઞાનીને) આગમ–ક્રિયા સહેલી લાગે છે અને (અધ્યાત્મરૂપ) ક્રિયાને તે મૂઢજીવ જાણતો નથી. કારણ અંતષ્ટિના અભાવથી (તેને) અંતક્રિયા દષ્ટિગોચર થતી નથી. પૂર્ણાનંદનો નાથ, જીવાસ્તિકાય, શુદ્ધચૈતન્યની દષ્ટિ અને સ્થિરતા એ તો અંતરદૃષ્ટિગ્રાહ્ય છે; તેનો બાહ્યથી ખ્યાલ આવતો નથી અને એ (બાહ્યક્રિયા ) તો બહાર ખ્યાલમાં આવે કે-આ છોડ્યું, લૂગડાં છોડ્યાં, નગ્ન થઈ ગયો, કુટુંબ છોડયું, તપસ્યા કરે છે, અપવાસ કરે છે, રસનો ત્યાગ કરે છે અને એ સહેલું પણ લાગે. પણ એ તો બંધનું કારણ છે. એ અધ્યાત્મનો વ્યવહાર પણ નહીં. એ આત્મવ્યવહાર પણ નહીં. એને તો મનુષ્ય-વ્યવહાર કહ્યો છે. (પ્રવચનસાર ગાથા-૯૪માં આવે છે, ત્યાં મનુષ્યવ્યવહાર કહ્યો છે.) ત્યાં લૌકિક (વ્યવહાર) શબ્દ નથી. (એ બધી ક્રિયા) મનુષ્યવ્યવહાર છે; એ આત્મવ્યવહાર નથી! આહા.... હા ! સમજાય છે કાંઈ? અંતર્વાહ્ય જે વસ્તુ આત્મા, આનંદમૂર્તિ પ્રભુ; એની અંદરની ગતિક્રિયા જે શુદ્ધની, એકાગ્રતાનો શુદ્ધભાવ; એ તો અજ્ઞાનીને ખ્યાલમાં આવે નહીં તેથી તેનો મહિમા ન ગાતાં બહારની મહિમા આવે. (એમ ) ઘણું બધું લખ્યું છે. એ બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે.
જુઓ ! અહીંયાં શું કહે છે: વ્યવહારનયનું ચારિત્ર અને તેનું ફળ તેનાથી પ્રતિપક્ષ એટલે વિરુદ્ધ “એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર” –વીતરાગી રમણતા-“તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે.”
આહા હા ! જુઓ તો કેટલું છે ભર્યું અંદર! એ પહેલાં તો શ્લોક-પમાં કહી ગયા છે ને! ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહુનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? આહા... હા! કહે છે? કે: આ ટીકા મેં કરી એમ માનશો નહીં. આ વાત તો ગુણના ધરનાર ગણધરોથી રચિત અને શ્રતધરોઅગિયાર-બાર અંગના ધરનારાઓની પરંપરાથી ચાલી આવી છે. આ ટીકાના ભાવ, ઠેઠ ગણધરો અને મૃતધરોથી ચાલ્યા આવ્યા છે. બાપુ! એ ભાવ અમને અંતરથી આવ્યો છે અને ભાવનો અર્થ ગણધરો અને શ્રુતધરોની પરંપરામાં ગુરુથી મળ્યો છે તો એ (ટીકા) અહીં રચાય છે. પણ આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ, સાધારણ પ્રાણી તે કોણ? આહા... હા ! મુનિ પદ્મપ્રભમલધારિદેવ સમર્થ મુનિ છે. (તો પણ) એમ કહે છે કે “અમે મંદબુદ્ધિ તે કોણ?” આહા.... હા! (અલૌકિક સજ્જનતા અને વિનમ્રતાનું સ્વરૂપ) આવું છે!! તે પછી શ્લોક-૬માં એમ આવ્યું ને..! “તથાપિ હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે, [ એ રુચિથી પ્રેરિત થવાને લીધે “તાત્પર્યવૃત્તિ” નામની આ ટીકા રચાય છે.”] પરમાગમનો સાર ‘નિયમસાર” છે ને..! એની ટીકા યથાર્થ હો, એવા વિકલ્પ આવ્યા કરે છે. પરમાગમના સારની પુષ્ટ રુચિ અમને અંદર છે. એનાથી ફરી ફરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com