________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૨ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
[ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ] . एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारित्तं। तं दिढकरणणिमित्तं पडिक्कमणादी पवक्खामि।। ८२।।
ईदृग्भेदाभ्यासे मध्यस्थो भवति तेन चारित्रम्। तदृढीकरणनिमित्तं प्रतिक्रमणादिं प्रवक्ष्यामि।। ८२।।
ટીવા: अत्र भेदविज्ञानात् क्रमेण निश्चयचारित्रं भवतीत्युक्तम्।
पूर्वोक्तपंचरत्नांचितार्थपरिज्ञानेन पंचमगतिप्राप्तिहेतुभूते जीवकर्मपुद्गलयोर्भेदाभ्यासे सति, तस्मिन्नेव च ये मुमुक्षवः सर्वदा संस्थितास्ते ह्यत एव मध्यस्थाः, तेन कारणेन तेषां परमसंयमिनां वास्तवं चारित्रं भवति। तस्य चारित्राविचलस्थितिहेतोः प्रतिक्रमणादिनिश्चयक्रिया निगद्यते। अतीतदोषपरिहारार्थं यत्प्रायश्चित्तं क्रियते तत्प्रतिक्रमणम्। आदिशब्देन प्रत्याख्यानादीनां संभवश्चोच्यत इति।
ગુજરાતી અનુવાદ: આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રવૃઢતા કારણે. ૮૨. અન્વયાર્થ: મેવાભ્યાસે] આવો ભેદ–અભ્યાસ થતાં [ મધ્યસ્થ:] જીવ મધ્યસ્થ થાય છે, [ તેના વારિત્રમ્ ભવતિ] તેથી ચારિત્ર થાય છે. [ તવૃઢીકરણનિમિત્ત ] તેને (ચારિત્રને) દ્રઢ કરવા નિમિત્તે [પ્રતિદ્રમાહૂિં પ્રવક્ષ્યામિ] હું પ્રતિક્રમણાદિ કહીશ. ટીકા:-અહીં, ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે એમ કહ્યું છે.
પૂર્વોક્ત પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (-પદાર્થોના જ્ઞાન ) વડ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મપુદ્ગલનો ભેદઅભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે, તેઓ તે ( સતત ભેદાભ્યાસ ) દ્વારા મધ્યસ્થ થાય છે અને તે કારણથી તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે. અતીત ( –ભૂતકાળના) દોષોના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે. “ આદિ' શબ્દથી પ્રત્યાખ્યાનાદિનો સંભવ કહેવામાં આવે છે ( અર્થાત પ્રતિક્રમણાદિમાં જે “ આદિ' શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ સમાવેશ કરવા માટે છે ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com