________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨
“નિયમસાર' ગાથા-૮૩માં આ છેલ્લે આવ્યું ને...! “અપ્પTM નો જ્ઞા”િ નિશ્ચયપ્રતિક્રમણ, સાચું ચારિત્ર અથવા સત્ય સમભાવ, મોક્ષનો માર્ગ, એની વાત છે. અમૃતચંદ્રાચાર્ય દિગંબર (સંત) કહે છે: “બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ” –ઘણી વાત શું કહીએ? જેટલા વિકલ્પ ઊઠે છે તે બધા બેકાર છે. વધારેમાં વધારે શું કહીએ? “ મનમેનન”—બસ થાઓ, બસ થાઓ- શબ્દ કહીને (કહ્યું કે) પૂરું કરો. (બીજું) શું કહેવું? “અહીં એટલું જ કહેવાનું છે કે ભગવંત આચાર્યમહારાજ સંત દિગંબર એમ કહે છે કે અમારે એટલું કહેવું છે કેઃ “આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો” – આહા. હા! આ સિદ્ધાંત! પરમ પદાર્થ જે ભગવાન આત્મા, દ્રવ્યસ્વભાવ, શુદ્ધ ચિદ્દઘન, આનંદકંદ પ્રભુ એવો પરમાત્મા પરમ અર્થ આત્મા, વસ્તુ ત્રિકાળી જે ચીજ છે એ તો પરમ પદાર્થ પરમાત્મસ્વરૂપ છેએને એકને જ (અનુભવો). આહા. હા! એ વસ્તુ ભગવાન અનંતગુણની રત્નમાળા અંદર પડી છે એવો આત્મા અંદર (મોજૂદ છે એને) એકને જ નિરંતર અનુભવો.
આત્મા અનંત આનંદ ને જ્ઞાનસ્વરૂપી પ્રભુ; એનું સમ્યકદર્શન, એનું સમ્યકજ્ઞાન, અને એનું (સમ્યક ) ચારિત્ર એ એનું (આત્માનું ) ધ્યાન અને અનુભવ છે. વ્યવહારની ગમે તે વાતો હોય, નિમિત્તની ગમે તે વાતો હોય પણ (એ) પર છે, એ આત્મામાં નથી !
ભગવાન આત્મા તો અનંત અનંત ગુણનો રાશિ-ઢગલો-ઢેર એવો પરમાત્મા પોતાનું સ્વરૂપ એને “એકને જન્મ આહા.. હા! “એકને જ (નિરંતર અનુભવો ) ” – જુઓ, એમ છે! આહા... હા! જેને મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે તેને તો આત્મા ચિદાનંદ પ્રભુની અંતદષ્ટિ કરીને અનુભવ કરવો. એ મોક્ષનો માર્ગ છે! સમજાણું કાંઈ ?
પાઠ તો એવો છે: “પરમ અર્થને એકને જ” –બીજી ચીજ (ને) નહીં; રાગને નહીં, નિમિત્તને નહીં અને એક સમયની પર્યાયને પણ નહીં; (આ એકને જ અનુભવો). માર્ગ બહુ
તતકાળમાં કદી કર્યો નથી એથી એને ચૈતન્યનો અનુભવ (કઠણ લાગે છે ). (આવે છે ને!) “અનુભવ ચિંતામણિરતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ મોક્ષસ્વરૂપ.
(આ પરમ અર્થ) એ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા છે- “ઘટ ઘટ અંતર જિન બર્સ.” એ જિન બર્સ, ઘટ ઘટ અંતર આત્મા જિનસ્વરૂપી–વીતરાગસ્વરૂપી જ આત્મસ્વભાવ છે. (શ્રોતા ) દ્રવ્યસ્વભાવ કે પર્યાયસ્વભાવ? (ઉત્તર:) વસ્તુસ્વભાવ! પર્યાયમાં વીતરાગતા ક્યાં (પ્રગટ) છે? વસ્તુસ્વભાવ વીતરાગસ્વરૂપ છે. કહ્યું ને..! “ ઘટ ઘટ અંતર જિન બર્સે 'જિન એટલે વીતરાગસ્વરૂપ, એ અંદર ઘટ ઘટમાં બિરાજમાન આત્મા (છે); જેમાં દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ પણ નથી, જેમાં એક સમયની પર્યાય પણ નથી. આહા.... હા! ઝીણી વાત છે, ભાઈ ! મોક્ષનો માર્ગ (અલૌકિક છે)!
કહે છે કે ભગવાન આત્મા અનંતગુણનો ઢગ, આનંદથી ભર્યો પડ્યો, લબાલબ અતીન્દ્રિય આનંદથી ભર્યો પડ્યો છે એવા આત્માને એકને જ (નિરંતર અનુભવો).
સૂક્ષ્મ વાત છે, બાપુ! અનંતકાળથી (આત્માનો અનુભવ કર્યો નથી. એ પંચમહાવ્રતાદિ ક્રિયા એ બધી રાગ (ક્રિયા) છે, એ કાંઈ આત્મધર્મ નથી, આત્મા નથી.
અહીંયાં તો પરમાત્મસ્વરૂપ ભગવાન અંદર “સિદ્ધ સમાન સદા પદ મેરો”- વસ્તુ હોં ! સિદ્ધ ( સમાન) પર્યાય નથી. દ્રવ્ય-વસ્તુ “સિદ્ધ સમાન સદા પદ મેરો” એવી જે ચીજ છે, એને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com