________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન: તા. ૧૮-૨-૧૯૭૮ (... શેષાંશ) (નિયમસાર') ગાથા-૮૨. અધિકાર શું ચાલે છે? નિશ્ચયચારિત્ર. સત્યચારિત્ર. એના પેટભેદમાં, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ને આલોચના ને બધું આવે છે હવે કહે છે કે નિશ્ચયચારિત્ર કઈ રીતે પ્રગટ થાય?
આહા... હા! પોતે ભગવાન કુંદકુંદ આચાર્ય કહે છેઃ કહીશ પ્રભુ! તને કહીશ. કથનમાં બીજું શું કહે ? એક બાજુ કહે કે આત્મા અને ભાવને ભાષાએ કરી કહી શકાતો નથી. અને [ અહીં કહ્યું: ] “પવવામ”– [હું કહીશ ]. ઉપદેશનાં વાક્યો આવે ત્યારે તો એવાં જ આવે ને..! “વોચ્છામિ સમયપાદુટું” “સમયસાર (નામના પ્રાભૃતને) કહીશ. આહા.... હા ! પ્રભુ તને આવો યોગ સાંભળવાનો મળ્યો એટલે જો હું કહું તો (તું) પ્રમાણ કરજે હોં! આઠમી ગાથામાં ય આવ્યું હતું: “આત્મા” (એવો શબ્દો કહ્યો; એ સાંભળ્યો, પણ સમજ્યો નહીં. હવે એનો અર્થ કર્યો ત્યારે સમજ્યો. પણ સમજ્યો ને તરત જ એને આત્મજ્ઞાન થયું. આહા.... હા ! શું કહ્યું એ ? આઠમી ગાથા (માં કહ્યું ને...!) બ્રાહ્મણે ( એક પ્લેચ્છને) કહ્યું “સ્વસ્તિ'. એમ આ મુનિરાજે કહ્યું “આત્મા'. નિશ્ચય અને વ્યવહારના સભ્યજ્ઞાનરૂપી રથમાં આવ્યા છે. વ્યવહારમાં આવ્યા ત્યારે વિકલ્પ ઊઠ્યો છે ને...! અહીં કેવળીની વાત નથી. વર્તમાન (માં) કેવળી નથી એટલે આ વાત લીધી છે. “આત્મા' (એવો શબ્દ સાંભળીને) ઓલો ટગટગ જોયા કરે છે. એનો અર્થ) સમજતો નથી; પણ કંટાળો નથી, અનાદર પણ નથી. શું કહે છે આ. આત્મા’? શું કહે છે આ? ગુરુ એ કહેનાર અથવા બીજો કોઈ, એમ બેય વાત છે ને આમાં. આત્મા'... પ્રભુ! “આત્મા’ એને કહીએ: દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય તે “આત્મા'. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોં! એવું જ્યાં સાંભળ્યું-પ્રભુ! તારો આત્મા તો જો..! આ સંતોની વાણીની ઉગ્રતા તો જો. ત્યારે એને “આત્મા' (શબ્દો સાંભળતાં આશંકા હતી શું કહે છે? શંકા ન હતી. આ શું કહે છે (એવી જિજ્ઞાસા હતી; પણ) કંટાળો નહોતો કે આત્મા. આત્મા શું કરો છો ? “આત્મા' એવો શબ્દ જેને કાને પડ્યો કે એવી જિજ્ઞાસા અંદરથી (ઊપજી) કે આ શું કહે છે! દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય-એ ભેદથી કહ્યું. ત્યારે એવું સાંભળનારને એકદમ સાંભળતાં અતીન્દ્રિય આનંદનાં આંસુ આવ્યાં-આનંદ.. આનંદ... આનંદ આવ્યો. આહા... હા ! એવા (યોગ્યતાવાન) જીવને જ ત્યાં લીધો છે. સમજાણું કાંઈ ? “કળશટીકા' માં આવે છે ને કે: એકત્વપરિચિત કોઈ દીર્થજીવી હોય. દિગંબર સંતોની વાણી !! અને કહે છે કે એને સાંભળનાર પણ સામે એવા પાત્ર અને યોગ્ય મળ્યાં ! ભગવાન આત્મા તો દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય. વ્યવહાર નહીં... હોં! નિશ્ચય. ભેદ પડયો એટલો પણ વ્યવહાર પડ્યો; એ દ્વારા સમજાવ્યો એને આત્મા. એ ભેદને અનુસરવું નહીં(એમ) શિષ્યને કહ્યું. અને પોતે કહ્યું કે સમજાવવા (માટે) આ ભેદ આવ્યો પણ એ અમારે અનસરણ કરવા લાયક નથી. તેમ શ્રોતાને ભેદથી સમજાવીએ છીએ (પણ) તે ભેદ અનુસરણ કરવા લાયક નથી. આહા... હા... હા !
૨00૫ની સાલમાં એક ભાઈનો પ્રશ્ન હતો. પહેલાં પાણી ગાળીને પીવું ને આમ કરવું ને? આહા... હા ! કહો ! એમાં પાણી તો ગળવું ક્યાંય રહી ગયું. અહીં તો આત્મા ગળીને પીવો છે. પાણીનું ગળવું અને પાણીને અણગળ રાખવું, એ ક્રિયા આત્માની નથી. પણ એ જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com