________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
66
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૭
શાસ્ત્ર કર્યું છે). આહા... હા ! સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે: વિભાવગુણપર્યાય તેઓ શુદ્ધનિશ્ચયનયના બળથી-શુદ્ધનયના બળથી એનો અર્થઃ શુદ્ઘનિશ્ચયનયથી- (હૈય છે). શુદ્ધનિશ્ચયનય તે છે તો પર્યાય, નિશ્ચયનય છે તો પર્યાય; પણ અહીં પર્યાયનો વિષય અને પર્યાય બન્નેને એક કરીને શુદ્ઘનિશ્ચયનયના બળથી એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ ? જેમ કાલે કહ્યું હતું ને..!
‘સમયસાર’ ૧૧ મી ગાથા “મૂયો વેસિવો વું સુદ્ધળો”—ભૃતાર્થ તે શુદ્ધનય છે. વવહારો મૂયો”– પર્યાયમાત્ર અભૂતાર્થ છે. “ વેસિવો ૬ સુદ્ધળો” ભૂતાર્થને દેખાડયો શુદ્ધનય, એ ભૂતાર્થને શુદ્ધનય કહ્યો. ‘શુદ્ધનયનો વિષય ભૂતાર્થ’ એમ એકલું ત્યાં ન લીધું. એમ અહીં પણ એવી રીતે જ લીધું. અહીં એમ કહ્યું કે-શુદ્ધનિશ્ચયના બળે, એટલે કે શુદ્ઘનય તો જ્ઞાનની પર્યાય છે પણ એ જ્ઞાનની પર્યાયનો વિષય જે ધ્રુવ-ત્રિકાળી છે એના બળથી... આહા... હા! સમજાય છે કાંઈ ? ઝીણી વાત તો છે, પ્રભુ !
અહીં શું કહ્યું ? કે “ ( જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે ( ૪૯મી ગાથામાં ) વ્યવહારનયના કથન દ્વારા) ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે ) તેઓ હેય છે” આહા... હા! વ્યવહારનયથી કેવળજ્ઞાન છે, સિદ્ધપદ છે. વ્યવહારનયથી સંસારદશા છે, મોક્ષદશા છે. -એ બધો વ્યવહારનયનો વિષય છે. પણ શુદ્ઘનિશ્ચયનના બળે તે બધા પર્યાયો તૈય છે. ઉદયભાવ-વ્યવહા૨૨ત્નત્રયનો વિકલ્પ-તે તો હૈય છે જ; એ તો અસદ્ભૂત છે. પણ જે સદ્દભૂત પર્યાય-નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પન્ન થઈ એને પણ અહીંયાં તો (શુદ્ધ) નિશ્ચયના બળે–એટલે કે ત્રિકાળી ભગવાનના આશ્રયના કારણે, ત્રિકાળી ભગવાનના ગ્રહણના કારણે-હૈય કહ્યું છે. સમજાણું કાંઈ ? પહેલાં ખુલાસો થઈ ગયો છે. ઉદયના કેટલાય બોલ, ક્ષયોપશમના, ક્ષાયિકના અને ઉપશમના બોલ કહીને પછી કહી દીધું કે એ બધાં હેય છે.
આહા... હા! ભગવાન પરિપૂર્ણ પ્રભુ, ભગવત્સ્વરૂપ, સાક્ષાત્ જિનસ્વરૂપ છે. (શ્રીમદ્દ રાજચંદ્રજીએ ‘ આપ્યંતર પરિણામ અવલોકન ' – હાથનોંધ ૧/૧૪ માં લખ્યું છે કે–) “જિન સો હી હૈ આત્મા, અન્ય હોઈ સો કર્મ;” અથવા એ (અન્ય છે તે) જિનનું સ્વરૂપ નથી. (તેમજ ‘શ્રીમદ્દ રાજચંદ્ર’ પત્રાંક-૯૫૪માં આવે છે– ) “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, આહા... હા ! નિજપદ અને જિનપદ બન્ને એકસ્વરૂપે છે. એક પર્યાયમાં છે ને એક વસ્તુમાં છે. તે વસ્તુને ઉપાદેય-ગ્રહણ કરવા માટે પ્રથમ દરજ્જામાં પર્યાયમાત્રને ય કહ્યું. પણ ‘હૈય’કોને થાય ? ‘હેય ' નું જ્ઞાન કોને થાય? એ હવે કહે છે કે-જેને શુદ્ધસ્વરૂપ, ધ્રુવ, ભગવાન; પર્યાયમાં દષ્ટિમાં–અનુભવમાં આવ્યો હોય તેને હૈયનું જ્ઞાન યથાર્થ થાય છે.
.
(પર્યાયમાત્ર ) આદરણીય નથી; પણ જ્ઞાન કરવા માટે તો તે ચીજ (પર્યાય ) છે કે નહીં? જ્ઞેય તો છે કે નહીં? - વ્યવહાર' હેયરૂપે જ્ઞેય છે અને ‘નિશ્ચય’ ઉપાદેયરૂપે જ્ઞેય છે. શેય તો બન્ને છે. ‘શેય નથી ’ એમ નથી. તેથી કહ્યું કે : શુદ્ધનિશ્ચયથી (પર્યાયમાત્ર) ય છે. આ તો ગંભીર વાતો, બાપુ! પાર પડે નહીં એવી વાત છે!!
જેને નિમિત્તની દૃષ્ટિ છોડવી છે, રાગ-વ્યવહા૨૨ત્નત્રયના વિકલ્પ-ની દષ્ટિ છોડવી છે, (તેને માટે આ માર્ગ છે). પરંતુ આ (લોકો ) કહે છે કેઃ ‘શુભ કરો. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે. વ્યવહાર સુધારો. અશુભથી બચવા શુભ કરો તો શુભથી લાભ થશે.' –બિલકુલ નહીં. એ મિથ્યા શલ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com