________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૪ – ૨૪૩ આહા... હા! આ પંચમ આરાના સંતની વાણી છે! એમ કે આ તો ચોથા આરાના માટે છે, એમ (કોઈ કહે તો તે સત્ય નથી). માર્ગ તો “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ”. આહા... હા! શું થાય? ( સંપ્રદાયમાં) આખી વાત ફરી ગઈ છે ને...!
કહે છે કેઃ ભર્યા ભંડાર ઘરમાં પડ્યા છે. અનંત આનંદ, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા-એવામાં સ્થિર થઈને, (અર્થાત્ ) એવો જે આત્મા એમાં સ્થિર થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો અને અંતર આચારથી સહિત થયો થકો.
આહા... હા! આવી વાતો છે!! કઠણ પડ માણસને. (એનો ) અભ્યાસ નહીં અને બહારનો અભ્યાસ. બીજી (વિપરીત) પ્રરૂપણા. આખી બીજી શ્રદ્ધા.
અહીંયાં તો કહે છે કે જે બાહ્યાચાર છે તે આત્માથી વિરુદ્ધ-વિપરીત છે. એ પંચ મહાવ્રતના પરિણામ એ બધા વિપરીત છે, એ આત્માના આચારથી વિપરીત છે. (શ્રોતાઃ) નિશ્ચયથી? (ઉત્તર) નિશ્ચયથી એટલે વસ્તુસ્થિતિથી જ વિપરીત છે. વસ્તુસ્થિતિ એ નથી. વ્યવહારના રાગનો ભાવ, એ વસ્તુનું સ્વરૂપ જ નથી; એ એના (વસ્તુ ) સ્વરૂપની પરિણતિમાં ય નથી. સ્વરૂપ નથી એટલે સ્વરૂપની પરિણતિ પણ એવી છે કે જેમાં વ્યવહાર આચાર છે નહીં. આહા... હા! સમજાણું કાંઈ? (શ્રોતા ) વ્યવહારવાળા વાંધો જ કાઢે ! (ઉત્તર) (ભલે) કાઢે. બીજું શું છે હવે એમાં. આ તો (સનાતનો માર્ગ છે. આ કાંઈ અત્યારનો છે? આ તો પહેલેથી-હજારો વર્ષોથી હાલ્યો આવે છે. આ (વાત) શાસ્ત્રમાં છે કે નહીં? (એ) કાંઈ ઘરની કલ્પના છે?
આહા.. હા? આત્મા જેવી સર્વોત્કૃષ્ટ કોઈ ચીજ જ નથી. એવો જે ભગવાન આત્મા; એને જ્ઞાનમાં બરાબર જાણીને નિર્ણય કરી અને અંતરમાં ઠરવું; અને વ્યવહાર આચારથી છૂટી જવું, મુક્ત થવું; (એ જ એકમાત્ર સુખનો પંથ છે ). | જિજ્ઞાસા: તો મંદિર શું કામ બનાવ્યાં?
સમાધાન કોણે બનાવ્યાં છે? રામજીભાઈએ ધ્યાન રાખીને કર્યો એમ હશે ? એમ નિમિત્તથી કહેવાય. બાકી તો જે કાંઈ એ પરમાણુની પર્યાય ભગવાનની પ્રતિમાની) અને મંદિરની જે ક્ષણે એની જન્મક્ષણ હતી, તે ઉત્પત્તિના કાળે, એના કારણે એની ઉત્પત્તિ થઈ છે.
અંગ્રેજીમાં એક કાગળ આવ્યો છે. લખ્યું છે કે તમારા તરફથી પોતૂર હિલમાં કુંદકુંદાચાર્યના તીર્થની પ્રસિદ્ધિ થઈ. તમે આ બહું સારું કર્યું છે. તીર્થને પ્રસિદ્ધિમાં લાવ્યા. તો નજીકમાં એક તીર્થ છે ત્યાં પ્રતિમા છે, ચમત્કારિક છે, રોગ મટાડે છે ને ફલાણું છે, આ તીર્થની પ્રસિદ્ધિ કરો. અહીં કહે છે કે એ બહારની પ્રસિદ્ધિ કોણ કરે? બાપા! એ તો જે કાળે થવાનું હોય અને એવા જોગવાળો હોય અને વિકલ્પ આવ્યો હોય તો એને વિકલ્પને નિમિત્ત કહેવાય. એ શાસ્ત્રરચના, પ્રતિમાનું પધરાવવું, એ બહારની ચીજ, એ કાંઈ આત્માની ક્રિયા છે? એ શુભભાવની ક્રિયા (આત્મામાં) થાય માટે તે બાહ્યની ક્રિયા (કાર્ય) થાય, એમ છે? અંદર શુભભાવ ભગવાનની ભક્તિ આદિનો આવ્યો હોય તેથી કરીને એ (બાહ્યમાં) ક્રિયા થાય છે? પ્રભુ! આ તો માર્ગ આકરો છે, બાપા ! બહુ ફેર.. ઘણો ફેર, ભાઈ !
અરેરે ! મરણ ટાળે એની પાસે કોઈ નહીં રહે, એ પોતે છે એ આત્મા રહેશે. એને ચારેકોરથી (પ્રતિકૂળતા આવશે). અત્યારે એને એક થોડું છોડવું કઠણ પડે! (પણ) દેહ છૂટવાને ટાણે એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com