________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૩૫ પ્રવચનઃ તા. ૧૩-૨-૧૯૭૮ (... શેષાંશ )
66
હવે પાંચ રત્નોનું અવત૨ણ ક૨વામાં આવે છે ( જુઓ પૃ. ૧૩૧ ) :[ટીકાઃ- ] અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. આહા... હા! રત્ન છે ને...! “ અહીં શુદ્ધ આત્માને ” એટલે ધ્રુવ આત્માને એટલે જીવાસ્તિકાય ત્રિકાળી જે સમ્યગ્દર્શનનો વિષય (છે તે) ચીજને ( એટલે કે) એવા શુદ્ધજીવાસ્તિકાયને સકળ કર્તૃત્વનો અભાવ ” ( એટલે ) સર્વ કર્તા પણા ) નો અભાવ દર્શાવે છે.” આહા... હા! શુદ્ધ આત્માને ” અર્થાત્ શુદ્ધ પરમ પવિત્ર ભગવાન ધ્રુવ, પૂર્ણાનંદનો નાથ, અનંતજ્ઞાનનો કંદ પ્રભુ, એવો જે દ્રવ્યસ્વભાવ, એને ‘સકળ કર્તૃત્વનો અભાવ ” છે. એ કોઈપણ અશુભરાગનો કર્તા નથી, શુભનો કર્તા નથી અને ભેદનો પણ કર્તા નથી, ( એમ “ દર્શાવે છે”). હવે એની વ્યાખ્યા કરે
(
66
છેઃ
નારકથી ( કથન ) ઉપાડયું છે ને...! “બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું ના૨કપર્યાય નથી.” –મારામાં, મારી ચીજમાં તો મહાઆરંભ અને પરિગ્રહ પણ નથી. ના૨કગતિનું કારણ તો મહાઆરંભ અને મહાપરિગ્રહ છે. તો કહે છે કે હું ના૨ક નથી; કેમકે એ નારકનું કારણ મહાઆરંભ, મહાપાપ-હિંસા, મહાતૃષ્ણા અનંતી અને પરિગ્રહ છે તે હું નથી, તે મહાઆરંભ અને મહાપરિગ્રહ મારામાં છે જ નહીં. આહા... હા! મુનિ છે. જેને સંયમ, જ્ઞાન અને આનંદના ઢગલા પ્રગટયા છે. છે તો મનુષ્ય. દેવગતિ તો પછી આવશે. અહીં પહેલાં (વાત) હલકી ગતિ-નાકથી ઉપાડી છે. એ હલકી ગતિ છે ને...! (તેથી) સૌથી પહેલાં (એને) લીધી. કહે છે કે: નરકમાં જવાના કારણરૂપ જે મહાઆરંભ અને મહાપરિગ્રહ (છે) તે મારી ચીજમાં નથી. આહા... હા! ચીજમાં તો નથી પણ એ મારી પરિણતિમાં ય નથી. આત્મા તો મહાઆરંભ અને મહાપરિગ્રહથી રહિત છે (જ). પણ હું એ પરિણતિથી પણ રહિત છું; એમ બતાવવું છે. પણ અહીં તો ફક્ત નારક નથી, એટલું બતાવવું છે; એટલે નારકનું કારણ મહાઆરંભ અને માહિંસા (એ મારામાં અને મારી પિરણિતમાં નથી, એમ કહે છે).
આહા... હા ! જુઓ ને...! આ મિલો ( કારખાનાંઓ ) માં મહાપાપ થાય છે. હોજમાં ઊનું પાણી પડે છે ને...? હોજના પાણીમાં મીંદડી મરી જાય, કાગડા મરી જાય; ઊનું ઊનું પાણી પડે ને..? બિચારા (જીવો ) અંદર એમાં પડે! એમાં... આમ એ કહેવાય વાણિયા! મોટા કરોડપતિઓ ! પૈસા પેદા કરે દશ-દશ વીસ લાખ, પચાસ લાખ, પચાસ કરોડને ધૂળ કરોડ ને..! આહા... હા! મોટો, મહાઆરંભ. એ મહાઆરંભ છે, ભાઈ! (મિલમાલિક) પૈસા (દાનમાં ) ખર્ચે; તેથી લોકો એની (પાપની ) ગણતરી ન કરે; તેથી કાંઈ એ વસ્તુ (પાપ થોડું) વહી જાય ?? આહા... હા! શેઠ! પણ દાનમાં પૈસા ખર્ચે; એટલે ઓલા (ઉધોગપતિ) મહાપાપ કરતા હોય (તોપણ ) એનું (પાપકૃત્ય) ગૌણ થઈ જાય અને લોકો (પ્રશંસવા લાગે છે) આ તો ભારે કામ કર્યું–ભારે (શુભ) કામ કર્યું! આહા... હા !
66
અહીંયાં તો કહ્યું કેઃ “હું નારકપર્યાય નથી.” એ શુદ્ઘ દ્રવ્યમાં તો નથી. પણ નાકપર્યાયનું જે કારણ છે તે પણ મારી પર્યાયમાં નથી. સમજાણું કાંઈ? કહેવું તો એ છે કેઃ દ્રવ્યમાં તો નથી, પણ ‘દ્રવ્યમાં નથી' એવી પરિણતિ થઈ, ત્યારે ‘દ્રવ્યમાં નથી ’ એવો અનુભવ થયો. આહા... હા ! શું કહે છે, ભાઈ ? પ્રભુનો મારગ તો આવો છે!!
આહા... હા ! ઓલા અન્યમતમાં નથી કહેતા...! “ હરિનો રે મારગ છે શૂરાનો એ કાયરનાં નહિ કામ જોને.” એમ (અહીં) “પ્રભુનો રે મારગ છે વીરાનો એ કાયરનાં નહિ કામ જોને.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com