________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૪૫ વૈભાવિકશક્તિ-ગુણ છે તો એ સિદ્ધમાં પણ હોય છે. પણ ભવ્યત્વ સિદ્ધમાં નથી. ત્યાં (જેમ ઔપશમિકાદિ ભાવ રહેતા નથી તેમ) એ ભવ્યત્વની યોગ્યતા પણ રહેતી નથી. તો એ તો પર્યાયની અપેક્ષાએ ભવ્યત્વ અને અભવ્યત્વની વાત કરી છે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો પહેલેથી જ કહે છે કે, એ ભવ્યત્વ (માર્ગણા) મારામાં નથી. હું તો અખંડાનંદ પ્રભુ છું! તો ત્રિકાળ એ યોગ્યતાની પર્યાય અને અયોગ્યતાની પર્યાય (અર્થાત્ ભવ્યત્વ અને અભવ્યત્વરૂપ યોગ્યતા ) થી રહિત છું. આહા... હા ! સમજાય એટલું સમજો, પ્રભુ! આ માર્ગ તો ઘણો સૂક્ષ્મ, બાપુ ! એટલે લોકો રાડો પાડે છે ને...!
આજે એક વિદ્વાનનું લખાણ આવ્યું છે કે તમે (બીજા લોકો) ગમે તેવો વિરોધ કરો પણ કાનજીસ્વામીથી સ્વાધ્યાયની જે વિશેષ શૈલી ચાલી છે તે હવે અટકે તેમ નથી. તમે વિરોધ કરશો એટલો પ્રચાર વધતો જશે. બાપુ! (જે કહે, ) પણ માર્ગ તો “આ” છે. આ કંઈ કોઈના ઘરની (ઉપજાવેલી) વાત નથી. વસ્તુના ઘરની છે. એટલે કે “છે તો ઘરની” પણ એકલા ઘરની છે એમ નથી; એ તો ત્રણકાળના નાથ કેવળીના ઘરની છે! (પછી તેમણે) એમ લખ્યું છે કે: (આ શૈલીથી) હવે સ્વાધ્યાય કરવાવાળા, આપણા દિગંબરમાંથી પણ લાખો તૈયાર થઈ ગયા છે. તો તમે કોનો કોનો નિષેધ કરશો ? કોનો બહિષ્કાર કરશો? એ તો એને બિચારાને એમ લાગ્યું તો કહ્યું, એને જેમ ઠીક પડે તેમ કહે. એમાં કંઈ નથી. “જિસમેં જિતની બુદ્ધિ હૈ ઉતની દે બતાય.” એને ખ્યાલમાં જે આવ્યું હોય તે કહે; એમાં બીજી વાત કરે ક્યાંથી? એમાં શું કોઈ વિરોધ કરવાથી (તે પૂર્વાગ્રહ છોડી દે ? અહીંયાં તો) કોઈ પ્રત્યે વિરોધ, વૈર, દ્વેષ કરવાની વાત જ નથી. આહા... હા! (તે પણ) ભગવાન છે! તે તો અંદર ત્રણલોકનો નાથ છે!
આહી... હા! “પંચાસ્તિકાય” ગાથા-૭ની જયસેનાચાર્યની ટીકામાં છે. જીવાસ્તિકાય આદરણીય છે. ચાહે તો અભવ્યનો જીવાસ્તિકાય હોય. પણ એ જે દ્રવ્ય છે તે આદરણીય છે, સાધ છે.
અહીંયાં હવે ભવ્યત્વ પછી લે છે કેઃ સમ્યકત્વ (માર્ગણા) પણ મારામાં નથી. આહા... હા ! એ તો પહેલાં ‘નિયમસાર' ગાથા-૪૧માં આવી ગયું : ક્ષાયિકભાવ મારામાં નથી. ઉપશમ ભાવ મારામાં નથી. અહીં તો માર્ગણા લેવી છે ને...? એટલે વધારે સ્પષ્ટ કર્યું. એ (ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સમિથ્યાત્વ, સાસાદન અને મિથ્યાત્વ) ને માર્ગણામાં ઉતારી છે. “બોધપાહુડ' માં તો ભગવાનમાં પણ માર્ગણા ઉતારી છે! જે મારામાં નથી.
યોગસાર” ગાથા-૪૩માં આવે છે ને...! “તન-મંદિરમાં દેવ જિન” પણ લોકો ત્યાં (મંદિરમાં) દેખે છે કે, ભગવાન ત્યાં છે. પણ ત્યાં તો એ (સ્થાપના) નિક્ષેપ છે. “જન દેરે દેખત”—ત્યાં હશે ભગવાન? એ તો નિક્ષેપ છે, વ્યવહાર છે. શુભભાવ આવે એટલે ત્યાં લક્ષ જાય એટલું આ છે. (સાધકનું) લક્ષ ન જાય, એમ પણ નહીં; અને શુભભાવ આવ્યા વિના રહે પણ નહીં. સમજાણું?
અહીં તો કહે છે કે સમ્યકત્વ (માર્ગણા) ના જૈ (ઉપશમાદિ છે) ભેદ છે તે મારામાં નથી. હું તો ત્રિકાળી આનંદસ્વરૂપ ભગવાન! એની પરિણતિમાં પણ યોગ્યતા પ્રગટ થઈ ગઈ તો હવે યોગ્યતા-અયોગ્યતાનો પ્રશ્ન જ નથી, એમ કહે છે. સમજાય છે કાંઈ ? ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ, શુદ્ધચૈતન્યઘન, મહારત્નપ્રભુ, ચૈતન્યરત્નાકર; એ જ્યાં જ્ઞાનમાં જ્ઞય તરીકે આવી ગયો અને (એની)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com