________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૭
શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [પરમાર્થ-પ્રતિક્રમણ અધિકા૨]
मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८७ ।।
છે.
मुक्त्वा शल्यभावं निःशल्ये यस्तु साधुः परिणमति ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।। ८७ ।।
इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः। निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्तत्वात् निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारत: । अत एव शल्यत्रयं परित्यज्य परमनिःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति।
ગુજરાતી અનુવાદ
જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કા૨ણે. ૮૭.
અન્વયાર્થ:[ ય: તુ સાધુ: ] જે સાધુ [શત્યમાવં] શલ્યભાવ [ મુવા] છોડીને [નિ:શÈ] નિઃશલ્યભાવે [પરિણમતિ] પરિણમે છે, [ સ: ] તે ( સાધુ ) [ પ્રતિમમ્ ] પ્રતિક્રમણ [ઉચ્યતે] કહેવાય છે, [યસ્માત્] કારણ કે તે [પ્રતિમળમય: મવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ
પ્રથમ તો, નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયના બળે કર્મપંકથી યુક્તપણું હોવાને લીધે (–વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) ‘તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે' એમ ઉપચારથી કહેવાય છે. આમ હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે ૫૨મ યોગી ૫૨મ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત ( −નિજસ્વરૂપ સાથે સંબંધવાળું) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com