________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
“સમાધિશતક' માં તો પૂજ્યપાદસ્વામીએ ત્યાં સુધી કહ્યું છે કે હું બીજાને સમજાવું છું એવો વિકલ્પ ઉન્માદ છે. વિકલ્પ અને રાગ, (અન્યને) સમજાવી શકતા નથી; એનાથી એ (અન્ય જીવો ) સમજતા નથી. આહા... હા ! ઝીણી વાતો બહુ, ભગવાન! હું સમજાવવાવાળો છું
એવો (સમજાવવાનો) વિકલ્પ એ ઉન્માદ છે. એ તો રાગ છે ને, ભાઈ ! તે તો સ્વરૂપથી વિપરીત છે. પ્રગટ લક્ષણ ભિન્ન છે. માર્ગ તો એવો છે. પ્રભ!.
એનો અર્થ ( લોકો ) એવો કરે છે કેઃ (આચાર્યદવ) એમ કહીને પોતાની નિરાભિમાનતા બતાવે છે; છે તો એમની (રચેલી) ટીકા. પણ એ તો નિમિત્તથી કહેવામાં આવે છે. એનો અર્થ નિમિત્ત પરમાં કંઈ કરતું નથી. સમજાણું કાંઈ ?
અહીંયાં તો એ કહ્યું: “તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે” એટલે કે સ્પષ્ટપણે પ્રત્યક્ષ આત્માનો અનુભવ કરે છે. સ્પષ્ટ અર્થાત્ પ્રત્યક્ષ. સ્પષ્ટપણે કહે છે એટલે સ્પષ્ટપણે પ્રત્યક્ષ જાણે છે. તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે.” અનંતકાળમાં ક્યારેય સિદ્ધપર્યાય ન થઈ, એવી અપૂર્વ એ સિદ્ધપર્યાયને પ્રાપ્ત થાય છે. અપૂર્વ શબ્દ લીધો છે ને..! અપૂર્વ એટલે અભૂતપૂર્વ, અર્થાત્ પૂર્વે
ક્યારેય નથી થઈ, એવી અતિ અપૂર્વ સિદ્ધપર્યાયને પામે છે, સિદ્ધિને પ્રાપ્ત થાય છે. આહા.. હા ! ૫૦મી ગાથા થઈ.
* * * હવે, આ પાંચ (ગાથા) લઈ લેવી છે, ભાઈ ! કારણ કે એમાં વ્યવહાર-નિશ્ચય બંને આવશે. પહેલાં વ્યવહાર બતાવશે અને પછી નિશ્ચય અને જરી દેશનાલબ્ધિ કોને હોય છે એનું સ્પષ્ટ કથન છે. મિથ્યાદષ્ટિ દ્વારા દેશના હોય નહીં, એવું કથન છે. સમજાણું કાંઈ ? એ પાંચ ગાથા છેઃ
(જુઓ પૃ. ૮૯ ઉપર).
કારણપરમાત્મા એ જ ખરેખર આત્મા છે. નિર્ણય કરે છે. પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય. પણ તેનો વિષય છે કારણપરમાત્મા. તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને, અણાત્મા કહ્યો છે.”
-શ્રી “પરમાગમસાર' | ર૬૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com