Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 293
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૮ – ૨૮૧ જ્ઞાન-ચારિત્ર) ની કરી એટલે દ્રવ્યની ભક્તિ એમાં ભેગી થઈ (ગઈ ). (તો કહ્યું) આની ભક્તિ કરો. રાગની જે ભક્તિ કરે છે એને ઠેકાણે આની કરો એટલે દ્રવ્ય ઉપર દષ્ટિ (અર્થાત્ ) એનો જ વિશેષ આશ્રય (થયો.) અરે! આવી વાતું!! માર્ગ તો કોઈ એવો છે, બાપુ! આહા.. હા! વીતરાગસ્વરૂપ પરમાત્મા; એમાં જ્ઞાનના પંજરૂપી ગુતિ, –આ વર્તમાન હોં! એને શુદ્ધાત્માની ભાવના, એનાથી ભગવાનને ભજો ! આહા... હા! નિર્જ ભગવાનને ભજો ! શુદ્ધાત્મા એટલે નિજાભા. ભજો-ભજન એ પર્યાય છે. “ત્રિગુણિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે.” તે પહેલાં ચારિત્ર હોય છે પણ હુજી રાગ છે (માટે) તે મલિન છે, એમ કહે છે. સરાગ ચારિત્ર છે. ચારિત્ર તો છે; (તે) જેટલો ભાગ (છે) એટલો તો વીતરાગ છે. પણ હુજી રાગનો ભાવ છે તેથી તેને વીતરાગી ચારિત્ર જે જોઈએ તે નથી. “ત્રિગુણિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે.” મનથી પણ વિકલ્પ છૂટીને અંદર ઠરે છે તે મુનિનું ચારિત્ર નિર્મળ છે. આહા... હા! એક કલાકમાં કંઈક ભાષા અને કંઈક ઝીણી ઝીણી વાત. બાપુ! આ તો જન્મ-મરણરહિત થવાનો માર્ગ (છે)! કલાકમાં ભિન્ન ભિન્ન વાત આવે. યાદ કેટલું રહે? યાદમાં એટલું યાદ રાખવાનું કેઃ “વસ્તુસ્વરૂપ પૂર્ણ છે તેના તરફની સ્થિરતા કરવી” –એટલું યાદ રાખવું. પછી એના વિશેષ ગમે તેટલા આવો (તે સઘળા ય જાણવાના વિષયો છે.) આહા.. હા! “ ઉત્કૃષ્ટપણે ભજો” એમ છે ને....! (શ્લોકમાં) ત્રીજું પદ છે: “ભનતુ પુરમાં ભવ્ય:” પરમ પરમ પરમ પરમ ઉત્કૃષ્ટ ભજન કર ! –એ ૮૮ ગાથા (પૂરી) થઈ. (... શેષાંશ પૃ. ૨૮૪) ( સહુજ તત્ત્વ) અંતર પડયા વિના, કર્મના વિપ્ન વિના, રાગના વિઘ્ન વિના નિરંતર સુલભ છે. સહુજ તત્ત્વના સતત અભ્યાસ સુલભ છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર છે. અજ્ઞાની આવી મહિમાવંત ચીજનો મહિમા લાવીને અંદર. ઊતરતો નથી ને બહારની ચીજમાં અટવાઈ ગયો છે.” ! -શ્રી “પરમાગમસાર' | પર૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320