________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૭ – ર૬૯ કર્યા અને ત્રણ શલ્યરહિત દશા થઈ એ પરમ યોગી કહેવાય છે. ઓલા અન્યમતિના યોગી બાવા કહેવાય, એ નહીં... હોં! આ તો સ્વરૂપ પરમાનંદનો નાથ-ઢીમ, અતીન્દ્રિય આનંદનો ઢીમ-ઢગલો, મહા અરૂપી સ્વભાવ પડ્યો છે; એમાં જેણે જોડાણ જડી દીધું છે-રાગમાં જે જોડાણ હતું તે છૂટીને, સ્વરૂપમાં જોડાણ કર્યું છે અને તે પણ ઉગ્રપણે કર્યું છે-તેથી તે સંતોને પરમ યોગી કહેવામાં આવે છે. આહા... હા! આ સંતોની સ્વરૂપદશા !!
આહા... હા! (આ જીવ) માંડ માંડ નિગોદમાંથી નીકળી, એકેન્દ્રિયમાંથી નીકળી, બેઇન્દ્રિય-ત્રિઇન્દ્રિય ચૌરેન્દ્રિય-પંચેન્દ્રિય, એમાંથી માણસ અર્થાત્ પંચેન્દ્રિયમાંથી માણસ થવું, આહા હા ! (અતિ દુર્લભ છે, ભાઈ ! અને) એમાં પણ આર્યકુળ, એમાં ઉત્તમ જૈનધર્મનું કુળ મળવું-આહા... હા ! એમાં પણ વીતરાગની વાણી યથાર્થ સાંભળવા મળવી, –આહા.... હા ! (ઉત્તરોત્તર દુર્લભ હોય છે). આહા... હા! (હવે) આવી દુર્લભ ચીજ મળી; એને લેખે લગાડી
ક્યારે કહેવાય? કે એ રાગથી ભિન્ન ભગવાનસ્વરૂપી પ્રભુની દષ્ટિ અને (એનો) અનુભવ કરો તો મનુષ્યપણું લેખે લગાડ્યું કહેવાય.
અહીં કહેવામાં આવે છે કે: (જે) પરમ યોગી “પરમ નિ:શલ્યસ્વરૂપમાં રહે છે” જોયું? પહેલાં મિથ્યાત્વ આદિમાં વર્તતો હતો એ જ્યારે ત્યાંથી છૂટીને સ્વરૂપમાં આનંદમાં આવ્યો ત્યારે નિ:શલ્યપણે રહે છે. પહેલાં શવ્યપણે રહેતો હતો. (એ) વાત પર્યાયની છે. વસ્ત તો (ત્રિકાળ ) નિઃશલ્ય છે. સમજાણું કાંઈ?
શ્વેતાંબરમાં તિખુન્નો, પડિકમણ, કાઉસગ્ગ, લોગસ્સ, નમોત્થણે આદિ સાત પાઠ આવે છે. એ પડિકમણ-સામાયિક કરે છે ને...? પોલેજમાં આઠ દી હું જ કરાવતો. આઠ દી બધા ભેગા થાય, પડિકમણ મોઢે કરેલું. સાંભળે બધા. –ધર્મ થઈ ગયો, લ્યો! આહા.... હા ! એ તો એક ઘડિયો (ગોખેલો) હતો. એ શુભભાવ અને એમાં પાછો ધર્મ માન્યો. (એ) મિથ્યાત્વશલ્ય હતું.
અહીંયાં તો કહે છે: (જે પરમ યોગી પરમ) “નિઃશલ્યસ્વરૂપમાં રહે છે” –ભાષા જોઈ ! અનાદિથી મિથ્યાશલ્યમાં રહેતો હતો એ મિથ્યાત્વ, નિદાન અને કપટ (માયા) ના ભાવને છોડી, શુદ્ધ ચૈતન્યધનના નિઃશલ્યભાવમાં પરિણમે છે, તેને સંત અને પરમ યોગી અને પ્રતિક્રમણમય કહેવામાં આવે છે. તે આત્મા પ્રતિક્રમણસ્વરૂપ જ છે. આહા. હા! સમજાણું કાંઈ ?
તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે”_જોયું! જે પરમ યોગી નિઃશલ્યપણે સ્વરૂપમાં રહે છે તેને સાચું પ્રતિક્રમણસ્વરૂપ, સત્ય પ્રતિક્રમણસ્વરૂપ-ખરેખર જેનાથી હઠવું છે તે હઠયો છે અને સ્વરૂપમાં આવ્યો છે માટે તેને સાચું પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે. “કારણ કે તેને સ્વરૂપગત”–ઓલો (જે) રાગનો સંબંધ હતો તે છૂટીને હવે સ્વરૂપનો સંબંધ થયો છે. છે..! સ્વરૂપ સાથે સંબંધ (એટલે કે) હવે જ્ઞાયક ને અતીન્દ્રિય આનંદનું દળ પ્રભુની સાથે જેને સંબંધ થયો છે. અનાદિથી તો રાગ અને પુણ્ય-પાપના ભાવની સાથે સંબંધ હતો અને તે મારા છે” એમ માનીને મિથ્યાત્વમાં હતો એમાંથી છૂટયો છે; નિઃશલ્યપણે રહે છે, સ્વરૂપમાં નિઃશલ્યપણે રહે છે. “તેને સ્વરૂપગત”—એ સ્વરૂપમાં રમે છે. હવે સ્વરૂપ સાથે સંબંધ થઈ ગયો છે. રાગનો સંબંધ છૂટીને સ્વરૂપનો સંબંધ કર્યો છે. આહા... હા !
ધ્યાન કરતાં તો એને આવડે છે. સમજાણું? પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. એક બાપ હતો. દીકરાનું લગ્ન વરઘોડો હાલ્યો ગયો. અને પોતે એકાંતમાં પડ્યો વિચાર કરતો હતો. અડધો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com