________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ બધું છોડશે. શરીરના અવયવો કામ નહીં કરે, શ્વાસ નહીં ચાલે, બધાં કુટુંબી ભેગાં થયાં હશે, જોયા કરે આમ શું કરવું? આપે છે કાંઈ? આપી દેવાના છે? આહા... હા! જ્યાં ભંડાર ભર્યા છે ત્યાં સામું જોતો નથી અને જેમાં પોતે નથી એની સામું જોઈને “મારું કાંઈ સારું થાય, કલ્યાણ થાય અથવા આ મરણનાં દુઃખો (ભોગવવા ન પડે” એવી આકાંક્ષા રાખે. પણ) એક ક્ષણમાં બધું આમ ફડાક દઈને છૂટી જશે- એ મકાન ને દુકાન ને પૈસા ને એના ખાટલા ને ઘરવખરી-ફર્નિચર ને..! આહા.. હા!
મુંબઈમાં એક ભાઈને ત્યાં સાંજે આહાર કરવા ગયા હતા. મકાનમાં પાંચ લાખ રૂપિયાનું તો એકલું ફર્નિચર હતું. ઓરડે ઓરડ મખમલ પાથરેલા. ત્યાં મને તો એમ થાય કે: અરેરે ! અહીંથી (ઍને) છૂટવું આકરું પડશે. આહા... હા! બહારની વૃત્તિમાં એકાકાર થઈ ગયેલો. ભગવાન પોતે ક્યાં છે અંદરથી જુદો? એની ખબરેય ન મળે. અરે, પ્રભુ! ક્યાં રજકણ અને
ક્યાં (આ ભગવાન) ! અરે ! (જેને) રાગની હારે પણ (જ્યાં સંબંધ નથી, તો પછી આ મકાન ને દુકાન ને વેપાર ને, ફર્નિચર ને મખમલ એ તારાં ક્યાંથી થઈ ગયા ?)
અહીંયાં કીધું ને...! શુભરાગના પ્રસંગવાળો એ આત્મા છે? (એમ નથી). શુભરાગના પ્રસંગ એ તો બધા દોષો છે. (અનાચાર છે ). આહા... હા!
અકસ્માત.... એકદમ અંદર ફૂ.. જાણે કે અંદર તો આ શું થયું? અત્યારે તો જુઓ ને..! માણસો નાની નાની ઉંમરમાં હાર્ટફઈલ કેટલાં થઈ ગયાં. પણ એ ચીજ (શરીર) ની સ્થિતિ છે. એ તારામાં ક્યાં છે? એ તો (પરમાણુ ) એની સ્થિતિનાં (એનાથી) કરેલાં છે. એ (પરમાણું) ને “મારા” કહીને એકત્વબુદ્ધિથી (પોતાના) માન્યા, તે છોડવા ટાણે, પ્રભુ! બહું દુઃખ થશે. (પણ) એને છોડવાકાળે પોતે રાગથી છૂટીને (સ્વભાવને) ભિન્ન ભાળ્યો હોય, રાગથી છૂટીને જેણે જ્ઞાયકભાવ જુદો પાડ્યો હોય, એને મરતાં, ત્યાં જ દષ્ટિ પડશે કે- “હું તો આ છું.” હું તો અનંત જ્ઞાનઆનંદથી ભરેલો ભગવાન છું, જ્ઞાયક છું.” “હું રાગમાં ય નથી” હું પૂર્ણ સ્વરૂપ, એક સમયની પર્યાયમાં નથી.' (તો દુઃખ ન થાય).
(મરણની) એ પળ આ ભવમાં આવશે ને... કે ઓલા (આગળના) ભવમાં આવશે? આ ભવમાં તે પળ આવશે, બાપુ! એ સગાં-વહાલાં (તને) ટગટગ જોયા કરશે અને રોશે. દીકરો હોય તો એમ કહે: અરર.... ! ભાઈને અત્યારે સખ નથી. રાજકોટમાં ત્યાં આગળ ગયા” તા ને...? એક ભાઈ નવી પરણ્યો અને છેલ્લી સ્થિતિ થઈ ગઈ, એમાં આખું કહળ્યું કુટુંબ ભેગું થયું, ઓરડો ભરાઈ ગયેલો. મહારાજને બોલાવો, દર્શન કરવાં છે. બેય આંખમાંથી આંસુ હાલ્યાં જતાં હતાં. આમ હાથ ધ્રુજે. પીડા... પીડા... પીડા... પીડા... પીડા. આહા... હા! એક દિવસ એવો આવશે જાણે જન્મ્યો નહોતો. સગી નારી એ તારી કામિની ઊભી ટગટગ જોશે, આ રે! કાયામાં હવે કાંઈ નથી એમ ઊભી ઊભી રોશે. હાય.. હાય.. (કરશે.) એ એના સાટું રોતા નથી. એ મરીને ઢોરમાં જશે કે નહીં એનું એને કાંઈ (દુઃખ) નથી. (પણ ) અમારી સગવડતા જાય છે (તે માટે રોવે છે).
આહા.... હા! આવો ભગવાન આત્મા અંદર રાગના સંગ ને સહવાસ વિનાનો, એને પરના સંગ અને સહવાસ શું લાભ કરે ? મુનિઓ માટે નથી કહ્યું- લૌકિકસંગ છોડ જે! આવે છે ને. “પ્રવચનસાર' માં તું માણસો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com