________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૯ પ્રેરણા અંદર થાય છે. આ ટીકા બને. ટીકા બને... ટીકા બને. ટીકા બને! આહા... હા! એ રુચિથી પ્રેરિત થઈને આ “તાત્પર્યવૃત્તિ” નામની ટીકા રચાય છે. આહા. હા! જુઓ ! એક બાજુ એમ કહે છે કે અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે. જે કાંઈ (શબ્દ) નીકળે છે તે પરમાગમ છે. બે ઠેકાણે આવે છે ટીકામાં... હો !
અહીંયાં એ કહે છે: પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. “ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે.” જુઓ ! (પૃ. ૧૩૧) પાંચ ગાથા (૭૭ થી ૮૧) માં પાંચ રત્ન! જેમ “પ્રવચનસાર” ચરણાનુયોગસૂચક ચૂલિકાની છેલ્લી ગાથા-૨૭૧ થી ૨૭૫-પાંચ ગાથાને પંચરત્ન કહી છે. ગાથા-ર૭૧માં “સંસારતત્ત્વ. ર૭રમાં “મોક્ષતત્ત્વ'. ૨૭૩માં
સાધનતત્ત્વ'. ૨૭૪માં “સાધનતત્ત્વ” ને (અર્થાત્ શુદ્ધોપયોગીને) પ્રશંસે છે. અને ર૭૫માં શાસ્ત્રનું ફળ (દર્શાવે છે). ત્યાં અમૃતચંદ્ર આચાર્ય લખ્યું છે કે આ પાંચ ગાથાઓ પાંચ રત્નો જેવી છે. અહીંયાં પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે કુંદકુંદઆચાર્યની આ પાંચ ગાથા રત્ન જેવી છે. પહેલી એ વાત કે: નિશ્ચય-નિર્મળ રત્નત્રય એ છે તો પર્યાય, એને પણ રત્ન કહ્યું. સમ્યગ્દર્શન
એટલે શુદ્ધચૈતન્ય પ્રભુની પ્રતીતિ; એનો અનુભવ અને જ્ઞાન; અને સ્થિરતા -એ પર્યાય છે, એને નિશ્ચયરત્નત્રય કહ્યું. તેનું ફળ કેવળજ્ઞાન; એની તો શી વાત કરવી? જ્યારે આ (સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર) ને રત્નત્રય કહ્યું તો આ ત્રણેનું ફળ જે કેવળજ્ઞાન, એ તો મહારત્ન (છે). હવે, એ પૂર્ણ ફળ ( રૂ૫ ) મહારત્ન જેવી અનંતી પર્યાયોનો ધરનારો એક ગુણ જ્ઞાન, એક ગુણ દર્શન, એક (ગુણ) ચારિત્ર (અને એવા અનંતા ગુણોનો ધરનાર) એ મહારત્ન ભગવાન (આત્મા) ને તો શું કહેવું? એમ કહે છે. આહા... હા.... હા (જ્યાં) એ નિશ્ચય (રત્નત્રય) છે, ત્યાં વ્યવહારરત્નત્રયની વાત એ તો આરોપિત વાત છે. એ (વાત) યથાર્થ નથી. અહીં તો યથાર્થનિશ્ચય (રત્નત્રય) -નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ (રાગ વિનાનું) આત્માનું જ્ઞાન, સમ્યગ્દર્શન, અને આત્માની સ્વરૂપ-સ્થિરતા-એને રત્ન કહ્યું, રત્નત્રય કહ્યું. અને એનું ફળ જે (કવળજ્ઞાન) તેને મહારત્ન કહ્યું; એના કારણરૂપ જે શક્તિ અંદર-ભગવાન આત્મામાં વિદ્યમાન છે, એ તો મહારત્ન હીરો છે, એ તો રત્નનો મોટો હીરલો છે! જેની અપૂર્ણ પર્યાયમોક્ષમાર્ગની રત્નત્રય (પર્યાયને) રત્ન કહ્યું. અહીં એ રત્નને બતાવવાની ગાથા છે. તે આ પ્રમાણેઃ
(... શેષાંશ પૃ. ૧૩પ ઉપર)
શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ ને એકાગ્રતાનું પરિણમન છે. જ્ઞાનમાં ચૈતન્યના સંવેદનનું પરિણમન છે. ચારિત્રમાં ચૈતન્યની વિશેષ રમણતારૂપ પરિણમન છે.
એ રીતે અંતરના ચૈતન્યના આશ્રયે જ શ્રદ્ધા-જ્ઞાનચારિત્ર છે. ને તે જ મુક્તિનું કારણ છે.”
-શ્રી ‘પરમાગમસાર” | ૬૭૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com