Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 290
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ તો અનંત આનંદની સુગંધમાં લીન પડ્યો છે, એને સાચું પ્રતિક્રમણ અને ચારિત્ર હોય છે. આહા... હા! આવી ચારિત્રની વ્યાખ્યા!! એને સાધારણ કરી નાખવી એ તો બધો (સત્યમાર્ગનો) વિરોધ છે. “પરમસંયમી હોવાથી જ”—એમ છે ને..? ત્રિગુતિગુસ-નિર્વિલ્પપરમસમાધિલક્ષણથી લક્ષિત (અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે) મુનિશ્વર પ્રતિક્રમણમય પરમસંયમી હોવાથી “જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.” -એ (ખરેખર) રાગથી હુઠેલો, સ્વરૂપમાં સ્થિરતાવાળો, સત્ય પ્રતિક્રમણસ્વરૂપ જ એ છે. પ્રતિક્રમણ કરનારો ને પ્રતિક્રમણવાળો એમ નહીં (પણ) એ તો પ્રતિક્રમણસ્વરૂપ જ થઈ ગયો છે. વીતરાગી અનંત શક્તિઓમાં જેની લીનતા (છે), (-જે એમાં) ગુમ થયો છે, તે મુનિશ્વર પ્રતિક્રમણસ્વરૂપ જ છે. પહેલાં એટલી તો બહુ ઉગ્ર વાત ! પણ એની પહેલી દશાની વાત કેમ પ્રાપ્ત થાય? એ પહેલી દશાની વાત તો પહેલાં શુદ્ધભાવ (અધિકાર) માં કહી ગયા. કેઃ પર્યાયમાત્ર નાશવાન છે માટે હેય છે. દયા-દાનનો વિકલ્પ તો હેય છે પણ સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય પ્રગટી છે તે પણ હેય છે. નવ તત્ત્વ આવી ગયાં ને..! “નીવાવિવહિૉચે દેય...જીવની એક સમયની સંવરનિર્જરાવાળી પર્યાય, એક સમયની રાગ ને પુણવાળી પર્યાય (નાશવાન છે). ત્યાં તો કેવળજ્ઞાનને (પણ) નાશવંત કહ્યું છે. (કેમકે) (કેવળજ્ઞાન) એક સમય રહેનારું (છે). અને ચીજ (આત્મા) તો એવી ને એવી અનાદિથી પડી છે. આહા. હા! ચૈતન્યના રત્નોથી ભરેલો ભગવાન અનાદિથી એવો ને એવો રહ્યો અને પડ્યો છે. એની અપેક્ષાએ તો કેવળજ્ઞાન પણ નાશવાન તત્ત્વ છે. સર્વોત્કૃષ્ટ-અવિનાશી તત્ત્વ તો ધ્રુવ છે. [ હવે આ ૮૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ] (દરિણી) अथ तनुमनोवाचां त्यक्त्वा सदा विकृतिं मुनि: सहजपरमां गुप्तिं संज्ञानपुंजमयीमिमाम्। भजतु परमां भव्यः शुद्धात्मभावनया समं भवति विशदं शीलं तस्य त्रिगुप्तिमयस्य तत्।। ११८।। [ શ્લોકાર્થ:- ] મન-વચન-કાયની વિકૃતિને સદા તજીને, ભવ્ય મુનિ સમ્યજ્ઞાનના પંજમથી આ સહજ પરમ ગુણિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો. ત્રિગુણિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. ૧૧૮. કોઈ એમ કહે છે કે, ભોગ-સંભોગ કરવામાં જે આનંદ આવે છે તે આત્માના આનંદનો અંશ છે. અરેરે... પ્રભુ! (એ) ઝેર છે! રાગનું ઝેર છે! એ તો નિર્વિકલ્પઅમૃતને ઘા (મારી) નાખે છે. આહા... હા! અહીં તો કહે છે કે પાપ તો ભિન્ન છે એને તો છોડ; પણ પુણ્યનોમહાવ્રતાદિનો, સમિતિ, ગુપ્તિ-વ્યવહારનો-વિકલ્પ, એને પણ છોડ; કારણ કે, એ પણ દુઃખરૂપ છે. એ વિકલ્પ પણ અશાંતિરૂપ છે, ભાઈ ! તારી શાંતિ તેનાથી ભિન્ન છે. આહા.... Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320