________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“પોતાની પર્યાય જે પરદ્રવ્યને સ્પર્શતી પણ નથી તેને તો એક બાજુ રાખો પણ જે પોતાની પર્યાયનાં અસ્તિત્વમાં છે એ શાંતિ, આનંદ આદિની પર્યાય આવતી ન હોવાથી પદ્રવ્ય કહ્યું ને ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યું. કેવળજ્ઞાનની પર્યાયમાંથી નવી આનંદ આદિની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું, તો સ્વદ્રવ્ય કોણ ? કેઃ ત્રિકાળી ગુણસ્વભાવ તે સ્વદ્રવ્ય. અનંત ગુણસ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું, તો તેનો આધાર કોણ ? કે: ત્રિકાળી એકરૂપ કારણસમયસાર તે સ્વદ્રવ્યનો આધાર છે. ત્રિકાળી સહજજ્ઞાન, ત્રિકાળી સહજદર્શનાત્મક, શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય છે, તેનો આધાર કારણસમયસાર છે. એ કારણસમયસાર ઉપાદેય છે. ”
-શ્રી ‘પરમાગમસાર' | પપ૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com