________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૯ - ૨૯૯ પૂર્ણાનંદ, સદાશિવસ્વરૂપી પ્રભુ; એના આશ્રયે થતું ધર્મધ્યાન અને શુક્લધ્યાન. પછી અહીં સ્વાશ્રિત ધર્મધ્યાન કહીને, ફળમાં સ્વર્ગ અને અને મોક્ષ લીધો. કેમ કે એમાં (હુજી ) રાગ બાકી છે એને ગૌણ ગણીને ધર્મધ્યાન (કહ્યું) પણ એ વ્યવહારધર્મધ્યાન, એ રાગ (છે અને એ ) નું ફળ સ્વર્ગ છે. અરાગીપણું મોક્ષ છે. શુક્લધ્યાનને પણ સ્વાશ્રિત-નિશ્ચય અંતર્મુખ કહ્યું. આહા.. હા ! જે વસ્તુ સદાશિવમય છે એમાં અંતર્મુખ થઈને એ પરિણામ થયા છે. આહા... હા! આવું ક્યાં યાદ રાખે ? માર્ગ એવો ઝીણો, બાપુ !
ભગવાન અંતર પરમાત્મસ્વરૂપ વસ્તુ પડી છે. (એમાં) અંતર્મુખ થઈને જે પરિણામ થાય એને શુક્લધ્યાનસ્વરૂપ કહેવામાં આવે છે. અને તે શુક્લધ્યાન મોક્ષનું કારણ છે. પણ અહીંયાં તો એથી વધારે (ઊંડાણથી) કહે છે કે પ્રભુ! એ તો અમે વાત ભલે કરી, પણ એ બધા પર્યાયના-મોક્ષમાર્ગના ભેદો-ધ્યાનાવલી, ધ્યાનનો પ્રકાર, આમ ધારાવાહી ધ્યાન વહે એ વસ્તુમાં છે, એમ શુદ્ધનય કહેતો નથી. આહા... હું ! સમજાણું કાંઈ ?
એકકોર (કહે કે ) દ્રવ્ય અને પર્યાય માને એ સમ્યજ્ઞાન છે. નિશ્ચયથી દ્રવ્ય અને પર્યાય પોતાના છે એમ માને એ સમ્યજ્ઞાન છે. અહીં કહે છે કે, એ પર્યાય (બને ધ્યાનની) જે કીધી એ અંદર દ્રવ્યમાં નથી. તેથી બે (ચીજ) થઈ ને..? દ્રવ્ય અને પર્યાય બે થઈ ને? (તો એ) બેને જાણવું-માનવું એ જ્ઞાન, સમ્યજ્ઞાન છે. આહા.... હા! પણ એમાં બેપણું કેમ થયું? કે: દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી. એ રીતે નિશ્ચયથી જ્ઞાન થયું છે એવી જે જ્ઞાનની પર્યાય છે તે પણ સદાશિવમય ભગવાન આત્મા (માં નથી).
(વેદાંતી) શંકરને સદાશિવ કહે છે ને ! એ તો બધી કલ્પનાઓ છે. (અહીં) તો આ પ્રભુ સદાશિવસ્વરૂપ જ છે. “પ્રગટપણે સદાશિવમય”. હોં! શિવવાળો એમ નહીં. આહા.... હા ! નિરંતર કલ્યાણમય ભગવાન પ્રભુ છે. (પણ) પ્રભુ! તારી નજર ત્યાં ગઈ નથી. એ નજર પણ (ખરેખર) શિવમય-કલ્યાણસ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ ?
આહા... હા! આવો માર્ગ!! હવે (જે) એકેંદ્રિય-બેન્દ્રિય શીખ્યા હોય, મિચ્છા મિ દુક્કડ (ના ઘડિયા બોલતા હોય) તેને આ (સત્ય સમજવાની જિજ્ઞાસા ન હોય તો) કહે કે (સોનગઢવાળા) ક્યાં લઈ ગયા? ક્યાં લઈ જાય છે? આ તે વેદાંતનો માર્ગ હશે? (એમ નથી). વેદાંતમાં પર્યાય અને દ્રવ્ય અને ગુણ, એવા ભેદ ક્યાં છે? એ તો એક જ આત્મા કહે છે. એ (પ્રમાણે) વસ્તુ ક્યાંય છે નહીં.
અહીંયાં કહે છે. એવું પરમાત્મતત્ત્વ! પ્રગટપણે સદાશિવમય એવો પરમાત્મા! (જેને) (સમયસાર”) છઠ્ઠી ગાથામાં “જ્ઞાયકભાવ' કહ્યો, અગિયારમી ગાથામાં “ભૂતાર્થ' કહ્યો, એને અહીંયાં “સદાશિવમય' કહ્યો. એવા પરમાત્મતત્ત્વને વિષે, એવા સદાશિવમય ભગવાન આત્મા (ને વિષે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી). –કેમ બેસે? એક જરી શુભરાગ થાય તો એમ માને કે આપણે તો ધર્મ કર્યો અને અશુભરાગમાં-આબરૂમાં, ભોગમાં, વિષયમાં કે પ્રશંસા સાંભળીને-જ્યાં મીઠાશ વેદાય; તેને, “આ ભગવાન સદા આનંદમય છે, કલ્યાણમય છે” કેમ બેસે ?
બીજી ભાષામાં કહીએ તો એ (આત્મા) સદા આનંદઅમૃતસ્વરૂપ જ છે. નિગોદમાં પણ રહેલો આત્મા સદા અમૃતસ્વરૂપ જ છે. એવો જે આત્મા, એવા તત્ત્વને વિષે ધ્યાનાવાલી, ધ્યાન+આવલી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com