________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) – પ્રવચન નવનીત: ભાગ-૨ માર્ગણાસ્થાન, જીવસ્થાન-એ બધા ભેદ થયા.
સમ્યગ્દષ્ટિ કે જેની જ્ઞાયકભાવ પર દૃષ્ટિ થઈ છે, એ (દષ્ટિ) તો એક સમય પણ ધ્રુવ પરથી ખસતી નથી. ભેદ ઉપર દષ્ટિ થઈ જાય અને પ્રવથી ખસી જાય તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. એ માટે કહે છે કે હું તો ચૈતન્યવિલાસ (સ્વરૂપ) અભેદ આત્મા (છું), એ મારી દષ્ટિનોસમ્યગ્દર્શનનો વિષય છે, એ ધ્રુવથી હું એક સમય પણ હુઠતો નથી, ખસતો નથી. હું (કોઈ પણ) ભેદને કરવાવાળો નથી, કરાવવાવાળો અને કરતો હોય તેનો હું અનુમોદન કરવાવાળો પણ નથી.
હવે અહીંયાં આવ્યા આપણે: “હું શરીર સંબંધી બાલાદિ અવસ્થાભેદોને ”બાળઅવસ્થા, યુવાન અવસ્થા, સ્થવિર અને વૃદ્ધાવસ્થા; એને “કરતો નથી.” એ (ચારેય અવસ્થાઓ) તો પરમાણુની પર્યાય છે. એ તો પરમાણુઓ પુદગલની એક સમયની-ક્ષણિક એ પર્યાય, નિજકાળમાં ઉત્પન્ન થવાની લાયકાતથી ઉત્પન્ન થઈ છે; મારાથી નહીં. હું બાળ, યુવાન, (સ્થવિર) અને વૃદ્ધ અવસ્થાઓનો કર્તા નથી. અહીં તો શરીરની ક્રિયા જરી થાય તો (લોકો) માને છે કે એ મારાથી થાય છે, મેં આમ કર્યું ને આમ કર્યું! –દષ્ટિનો વિપર્યાસ છે!
“શરીર સંબંધી”- એથી એમ કહ્યું કે: આત્મા સંબંધી અવસ્થાઓનો તો નિષેધ બેતાલીસ ભેદમાં થયો; પણ હવે અહીં તો શરીરની અવસ્થા લીધી. ઓલા (બેતાલીસ) ભેદોમાં શરીરની અવસ્થા આવી નહોતી. ત્યાં જીવના પર્યાયભેદ-માર્ગણાસ્થાન, ગુણસ્થાન અને જીવસ્થાનના ભેદ- (ની વાત હતી). (શ્રોતાઃ) માર્ગણામાં છ કાય આવી ગઈ ! (ઉત્તર) છે કાય, (એમાં) એ શરીર ન આવે. પણ એની મનુષ્યગતિ આદિની જે યોગ્યતા છે તે આવે. ઝીણી વાત છે. તેથી એને (શરીરને) (અહીં) જુદું પાડ્યું છે. આમાં પણ યોગ આવે છે. અને ત્યાં પણ આવે છે. પણ તે યોગ કોણ? –કંપન. એ શરીર, વાણી, મન નહીં. (પણ) એ યોગ ચૌદ માર્ગણામાં આવ્યો (તેની વાત છે). એ કંપન તો અંદર (જીવની) અવસ્થા છે; બોલવું આદિ એ શબ્દ નહીં. અહીં કંપન- અવસ્થા એટલે (આત્મ) પ્રદેશનું પરિસ્પંદન થવું. એ કંપન પર્યાયમાં (થાય છે). હું તો એનો –ભેદનો પણ કર્તા નથી.
આહા... હા! ધર્મીની દષ્ટિ, એક સમય પણ ધ્રુવ ઉપરથી ખસતી નથી. ચાહે તો (તે) લડાઈમાં ઊભા હોય. ગજબ વાત છે, પ્રભુ! ચાહે તો વિષયભોગમાં ઊભા હોય. સમકિતી ચક્રવર્તી તીર્થકર ૯૬ હજાર સ્ત્રી ! સિદ્ધાંતમાં એવો લેખ છેઃ ભરત ચક્રવર્તી સેંકડો સ્ત્રીઓ હંમેશા પરણતા હતા. સેંકડો. ૯૬ હજાર રાણી! અને સમકિતી! એ ચારિત્રદોષ છે. એ ચારિત્રદોષ, સમકિતને દોષિત કરે છે એમ નથી. કહ્યું હતું ને...! શ્રેણિક રાજા ક્ષાયિકસમકિતી... ઝેર પીધું.... દેહ છોડ્યો. એ સમકિતને દોષ (જો) ચારિત્રના દોષથી થાય, તો ક્યારેય સમકિત ઉત્પન્ન થાય જ નહીં. પૂર્ણ વીતરાગપર્યાય થાય ત્યારે સમકિત થાય છે, એનો અર્થ એવો નથી. (સમકિતીને) ત્રણ કષાયનો રાગ હોય છે, વૈષ પણ થાય છે. રૌદ્રધ્યાન-આર્તધ્યાન પણ હોય છે ચોથે-પાંચમે. છટ્ટે આર્તધ્યાન હોય છે. એવું હોવા છતાં પણ સમકિતમાં દોષ નથી. સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ધ્રુવની એક્તા (છે). ધ્રુવધામ, ચૈતન્યસુખધામ, સ્વયંજ્યોતિસુખધામ, અમૃતનું ધામ, અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન; (એની એકતા એ સમ્યગ્દર્શન છે).
આહા... હા ! “સમયસાર' માં છેલ્લે કળશ-૨૭૩માં “મમત” અને કળશ-૨૭૪માં પ્રભુતામુત:” આવે છે. આહા... હા! કોઈ ચીજ એવી છે!! “અમુતાવમુત: – ચીજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com