________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૫૯ અહીં નિશ્ચયનય કહેવામાં આવ્યો છે. આહા.... હા ! સમજાણું કાંઈ ?
ઘણાં વર્ષ પહેલાં, ૮૩ની સાલ પહેલાંની વાત છે. પ૧ વર્ષ પહેલાં, એક પ્રશ્ન ઊઠ્યો હતો. એક શેઠે એમ કહ્યું કે આ મૂર્તિનું પૂજન તો મિથ્યાદષ્ટિને હોય છે, સમ્યગ્દર્શન થયા પછી મૂર્તિની પૂજા હોતી નથી. ત્યારે (મેં) એમ કહ્યું: ભાઈ! શાંતિથી સાંભળો. નય છે તે શ્રુત(જ્ઞાન) પ્રમાણનો અવયવ છે, ભાગ છે અને નિક્ષેપ છે તે શેયનો ભાગ છે. આ તો અંદરથી વાત આવી હતી. અમે તો (તે વખતે) એમાં (સ્થાનકવાસીમાં) હતા ને તો એ જાણે કે, આ અમારા પ્રમાણે માનશે. (પણ) અમે કોઈ સંપ્રદાયમાં નહોતા. અમે તો હતા તે હતા. એણે કહ્યું કેઃ મિથ્યાષ્ટિ હોય ત્યાં સુધી મૂર્તિપૂજા હોય છે. મેં કહ્યું: જ્યારે શ્રુતજ્ઞાન થાય છે-સમ્યગ્દર્શન થાય છે ત્યારે ત્રિકાળી ધ્રુવસ્વભાવનો અનુભવ-આનંદનો ભાવ આવ્યો.
આનંદનો ભાવ” તે વખતે નહોતો, પણ તે વખતે આ શબ્દ હતો કે જે શ્રુતજ્ઞાન થયું, ત્રિકાળી દ્રવ્યસ્વભાવના અવલંબનથી જે શ્રુતજ્ઞાન થયું તેના બે ભેદ છે-નિશ્ચય અને વ્યવહાર. અહીં એને અવયવ કહ્યા ને..! તેથી જે વ્યવહારનય થયો એ સમકિતીને વ્યવહારનય હોય છે અને એ સમકિતીને નિક્ષેપના-શયના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદ-વ્યવહારનયનો વિષય- “નિક્ષેપ” –મૂર્તિપૂજા હોય છે. અહીં તો કોઈની વાત (ટીકા) નથી. ભાઈ ! સત્ય તો આ છે! ન્યાય સમજાયો? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ જે નિક્ષેપ છે તે શેયના ભેદ છે અને નય છે તે શ્રુતપ્રમાણનો ભાગ છે-જ્ઞાનનો ભાગ છે. આ (નય) જ્ઞાનનો ભાગ છે અને તે ( નિક્ષેપ) જ્ઞયનો ભાગ છે. જેને શુદ્ધજ્ઞાન થયું હોય, (સમ્યગ્દર્શનમાં હોં! એકલું શ્રુત સાંભળે એમ નહીં), એ નયનો વિષય જે ત્રિકાળસ્વભાવ છે એનું ભાન થયું હોય, તેને ભાવશ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે; અને ભાવકૃત(જ્ઞાન) નો ભેદ-નિશ્ચય અને વ્યવહાર છે; તેથી એ જે વ્યવહારનયનો વિષય જે સ્થાપના નિક્ષેપ છે, એ જ્ઞયનો ભેદ અર્થાત્ વ્યવહારનયનો આ વિષય, તે એને (સમકિતીને) છે. અજ્ઞાનીએ વ્યવહારનયનો વિષય હોતો નથી! આહા... હા! આ તો ૫૦-૫૧ વર્ષ પહેલાંની વાત છે. ભાઈ ! અમે તો અંતરમાં ભાવભાસન થાય તે માની શકીએ. એમ ને એમ અમે માની લઈએ, એમ નથી. અમે (પૂર્વ દોષે કરી) સંપ્રદાયમાં આવી ગયા, મુહુપત્તીમાં, માટે એ (સંપ્રદાયની માન્યતાઓને) માનવી, એ અમે નહીં! અમને તો અંદરમાંથી ભાસ થાય-સત્ય હોય, તો એ અમે માનીએ ! પરંતુ અન્ય જીવ સ્થાનકવાસીમાં (આવી જાય ) છે તો તે (તે) પ્રમાણે માનશે, ( એમ નથી.) ન્યાય સમજાય છે?
અહીં કહ્યું: “નિશ્ચયનયના બળે” એ નિશ્ચયનય પણ એક અંશ છે, અને એનો વિષય પણ એક અંશ છે. લ્યો ! એ શું કહ્યું? કેમ કે નય છે તે અંશ છે અને પ્રમાણ છે તે અંશી છે. પ્રમાણ છે. પર્યાય. શ્રુતજ્ઞાનપ્રમાણ પર્યાય છે; પણ છે વિષયી; એટલે વિષય કરવાવાળો શ્રુત(જ્ઞાન) પ્રમાણ છે ને ! આખા દ્રવ્ય અને પર્યાય બન્નેને વિષય કરે તે શ્રુત (જ્ઞાન) પ્રમાણ છે. અહીંયાં આદરણીયનો પ્રશ્ન નથી. વ્યવહારનયનો વિષય છે, વ્યવહારનય છે, એને જાણવાવાળો વ્યવહારનય પણ છે. આહા... હા! પણ કોને? કે જેને શુદ્ધનિશ્ચયનય (છે એને). નય છે, એનો વિષય અંશ જ છે.
પ્રશ્ન:- “અંશ' નો અર્થ શું?
સમાધાન:- અહીંયાં જે ત્રિકાળી ધ્રુવ કહ્યો તે અંશ છે. અને ક્ષાયિકભાવ આદિ છે તે પણ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com