________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ હોય, તે ક્યાંથી થાય? એ તે કંઈ આવો માર્ગ (હોય) ? અરે! એવા (પાપની વાત) આ હિંદુસ્તાનમાં લૌકિક આર્ય ધર્મમાં (પણ) ન હોય!
અહીંયાં તો કહે છે. જેને રાગથી ભિન્ન, સમ્યગ્દર્શન થયું (એને) પણ જ્યારે પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે ત્યારે અગુતિ છે, એમ કહે છે. (તે) ત્યાંથી ખસીને અંદર ગુપ્ત થાય છે. (કેમકે) એ (પંચમહાવ્રતાદિનો) શુભરાગનો ભાવ પણ અંદર વિદ્ભકારી છે. (અંતર) અતીન્દ્રિય આનંદનું સરોવર, એના કમળના સમૂહ-ઢગલા પડ્યા છે. એ અનંતગુણનો વિકાસઅંદર આનંદની કળા અને અનંત જ્ઞાનની કળા ખીલવવાનો-વિકાસ-નો સમૂહ, એવો જે મુનિ, એ સૂર્ય સમાન છે. જેમ સૂર્ય ઊગે અને કમળ ખીલે તેમ આ આત્માનો (મુનિનો) ઉગ્ર પ્રયત્ન-પુરુષાર્થ છે એનાથી અનંતગુણની રાશિનાં કમળો ખીલી ગયાં છે.
આહા.... હા! આવી અપૂર્વ વાતું છે, ભાઈ ! એ બાહ્યથી, કોઈ વ્યવહારથી ને આનાથી ને આનાથી કરીને (એટલે) મિથ્યાશલ્યથી મરી ગયો.
એનો (આત્માનો) સ્વભાવ ચૈતન્ય ભગવાન! એના સ્વભાવમાં જે અનંતસ્વભાવરૂપી સરોવર; એમાં જે અનંતગુણરૂપી કમળ; એના સમૂહને ખીલવવા માટે મુનિરાજ, વીતરાગીદશાથી, તે કમળોને ખીલવે છે. આહા... હા! ગુલાબની કળી જેમ સૂર્ય ઊગે ને ખીલી જાય છે તેમ અનંતગુણના કમળસમૂહુરૂપ ગુણો તે, અંદર વીતરાગીદશા (પ્રગટ) કરતાં ખીલી જાય છે.
આહા.. હા! આવો માર્ગ છે! હવે જે વ્યવહાર કરતાં કરતાં (નિશ્ચય) થાય; રાગ કરતાં કરતાં નિર્વિકલ્પ થવાય (તો); તે વાત ક્યાં રહી ?
(અહીંયાં કહે છે:) “એવા (જે....) મુનિશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુતિભાવ તજીને ” આહા.... હા! અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્યાદિનો ભાવ જે શુભ છે એ અગુમિરૂપ પ્રપંચ છે. આહા.. હા! એ (શુભભાવ) બાહ્ય છે. એ અંતરવસ્તુ નથી. પંચમહાવ્રતના ભાવ, ૨૮ મૂળગુણના ભાવ એ વિકલ્પની જાળ, બાહ્ય પ્રપંચ છે. બાહ્ય પ્રપંચરૂપ અગુતિભાવ; એ અગુતિભાવ તજીને. (અહીં) એ શુભભાવ (માટે) પણ બાહ્ય, પ્રપંચ અને અગુતિ, (એમ) ત્રણ શબ્દ લાગુ પાડયા છે. મનિને છઠ્ઠા (ગણસ્થાન) ને લાયક આત્મશાંતિ પ્રગટી છે: (પણ) એની યોગ્યતા પ્રમાણે. એનો (પંચમહાવ્રતાદિનો ) શુભભાવ હોય છે છતાં એ બાહ્ય પ્રપંચ (રૂપ) અગુતિ છે.
આહા... હા! આ કાયરનાં કામ નથી, બાપુ! આ તો વીરાનાં કામ છે. એ કાંઈ વાતે વડાં થાય એવું નથી. અંતર ભગવાન આત્મા, પૂર્ણ ચીજનો જ્ઞાનમાં ભાસ થયા પછી પણ જેટલી શુભવિકલ્પની જાળ વર્તે એ બધો બાહ્યભાવ છે, પ્રપંચ છે, અગુપ્રિભાવ છે. (તો) એ અગુપ્રિભાવથી અંદરમાં જવાય, નિર્વિકલ્પ થવાય? ( એમ નથી. પણ) એને છોડીને થવાય ! આવું (વસ્તુસ્વરૂપ) છે!! એક ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ જ્યાં દુઃખ છે. આહા... હા! અંદર ગુણ-ગુણીનો ભેદ કરવો (અર્થાત્ ) અભેદમાં ભેદ કરવો એ પણ એક વિકલ્પ અને દુ:ખ છે. છે તો એ શુભ (ભાવ), પણ છે તો દુ:ખ, છે તો બાહ્ય પ્રપંચ. (તેથી) અંતરમાં જવાના કારણમાં એ કારણ નથી. એને તજીને અંતરમાં જવાય છે. “તજીને” કીધું ને..! બાહ્ય પ્રપંચરૂપ અગુતિભાવ-અગુક્તિભાવનાં બે વિશેષણ: બાહ્ય ને પ્રપંચ; (એન) –તજીને, “ત્રિગુતિગુસનિર્વિકલ્પ-પરમ-સમાધિલક્ષણથી લક્ષિત”—ગુતિ “ગુતિગુપ્ત' (અર્થાત) મન, વચન, કાયા તરફના વિકલ્પથી છૂટીને, (ગુતિ પાળવાનો જે ) વિકલ્પ-રાગ હતો તેને તજીને, છૂટીને, નિર્વિકલ્પસમાધિ-નિર્વિકલ્પ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com