________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫O – પ્રવચન નવનીત: ભાગ-૨ પરિણમનમાં પણ નિર્મળપરિણતિ-અનુભવ છે, તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી. સમયસાર સિવાય બીજું કાંઈપણ સારભૂત નથી. એ અંતર્મુખ નિશ્ચયમોક્ષમાર્ગની પ્રધાનતામુખ્યતા બતાવવા માટે, અને તે ત્રિકાળી ભગવાનના આશ્રયે (પ્રગટે) છે માટે આ કહે છે.
એ અહીંયાં આવ્યું શું કહે છે જુઓઃ “સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન”—આ સુખની અનુભૂતિ અર્થાત્ પરિણતિ. (પણ) આ પર્યાયની વાત નથી; ત્રિકાળીની વાત છે. (આત્મા) ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જ છે.
“સમયસાર' ગાથા-૭૩માં (ટકામાં) આવ્યું છે ને ! ત્યાં નિર્મળ પરિણમનની વાત છે... હોં! રાગની તો વાત જ નથી. ત્યાં લીધું છે કેઃ પર્યાયમાં જે નિર્મળ પકારકની પરિણતિ છે તેનાથી પણ અનુભૂતિ ભિન્ન છે. એ અનુભૂતિ પર્યાય નથી; ત્રિકાળી વસ્તુ છે. શું કહે છે? કે: “હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ-અનાદિ અનંત, નિત્ય ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.” ઝીણી વાત છે જરી. પરના કારકની વાત નથી. રાગના (કારકની) વાત નથી, પણ નિર્મળપરિણતિ જે પકારકથી ઉત્પન્ન થાય છે પરિણતિથી પણ પાર, અર્થાત્ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળઅનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું. –આ પર્યાયની વાત નથી. અનુભૂતિની પર્યાયમાં “આ અનુભૂતિ ” ધ્યેય હોય છે. અર્થાત સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયમાં આ (“નિર્મળ અનુભૂતિ” ધ્યેય હોય છે). અહીં કહે છે કેઃ “પ્રક્રિયાથી પાર' એટલે શું? કેઃ પર્યાયમાં પકારકરૂપે પરિણતિ થાય છે. એ તો (“પંચાસ્તિકાય') ગાથા-૬રમાં પણ છે ને...પર્યાય પણ પર્યાયમાં પકારકરૂપે સ્વતંત્ર પરિણમે છે. (એ) દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી અને પરની (પણ) અપેક્ષા નથી. વિકારીપર્યાય પણ સ્વતંત્ર પકારકરૂપે પરિણમે છે. (તેમજ) સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની નિર્મળપરિણતિ જે મોક્ષમાર્ગની વીતરાગીપર્યાય, એ પર્યાયમાં પદ્ધકરૂપે પરિણમન થાય છે. અહીં એ કહ્યું કે એ ( નિર્મળ ) પર્યાય જે કર્તા, કર્મ, કરણ આદિ પકારકથી પોતે (પરિણમે) છે અર્થાત્ એ જે પર્યાયની ષકારકની પરિણતિ છે, તે એ પક્કરકના સમૂહથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ' (છે), એનાથી પણ ભિન્ન છે. આહા... હા! નિર્મળ અનુભૂતિ તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું. આહા. હા! આ શુદ્ધની વ્યાખ્યા છે! “પર્યાયે શુદ્ધ છું, પૂર્ણ છું' –એ અહીં ક્યાં કહેવું છે? આ તો આ પ્રમાણે કે સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી એટલે ભિન્ન “એવી નિર્મળ અનુભૂતિમાત્ર આત્મા'... ત્રિકાળી અનુભૂતિ હોં! એ અનુભૂતિ એટલે પર્યાય નહીં. અહીં પાઠ છે ને....! “મિશ્નો નું સુદ્ધી” તો “એક” ની આ વ્યાખ્યા કરી, શુદ્ધની આ વ્યાખ્યા કરી. “શુદ્ધ' એટલે આ (–અનુભૂતિમાત્રપણું). પર્યાય અર્થાત્ પરિણતિ છે. એ પર્યાય છે કે નહીં? રાગાદિ ખરા ને...? નહીં, એમ નથી. પૂર્ણ (વીતરાગ)
ક્યાં થઈ ગયા છે? પણ તે રાગની પરિણતિ અહીં મોક્ષના માર્ગમાં નથી. હવે, મોક્ષનો માર્ગ જે શુદ્ધપરિણતિ છે તે એક સમયના પકારકરૂપે છે, દ્રવ્ય, ગુણ અને નિમિત્તની અપેક્ષા વિનાની એ પરિણતિ છે, એનાથી પણ પાર ઊતરેલી એટલે કે એ ચીજ (-નિર્મળ અનુભૂતિ ત્રિકાળ ) તો, એ પરિણતિમાં પણ નથી, એ તો એ (ષટ્ટારક) પરિણતિથી પણ પાર ઊતરેલી છે. એવી જ નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com