________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસા૨: ગાથા ૮૬ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
| [ પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર]. उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।।८६ ।।
उन्मार्ग परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम्।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८६ ।। अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्तः।
यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिमुक्तः शुद्धनिश्चयसदृष्टि: बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्ग परित्यज्य व्यवहारेण महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोधषडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहजबोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमण परमतत्त्वगतं तत एव स तपोधनः सदा शुद्ध ईति ।
| ગુજરાતી અનુવાદ પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬. અન્વયાર્થ:૫: 1] જે (જીવ) [ સન્મા] ઉન્માર્ગને [ પરિત્યજ્ય ] પરિત્યાગીને [ fનનમા ] જિનમાર્ગમાં [ સ્થિરમાવત્ ] સ્થિરભાવ [ રોતિ ] કરે છે, [ સ: ] તે (જીવ) [ પ્રતિક્રમણ ] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [ યમ્માત્] કારણ કે તે [ પ્રતિક્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા-અર્હ ઉન્માર્ગનો પરિત્યાગ અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં આવેલ છે.
જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિ પ્રશંસા અને *અન્યદષ્ટિ સંતવરૂપ મળકલંકપંકથી વિમુક્ત (મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ) બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ અઠયાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે, અને શુદ્ધનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય અને ( સહજ પરમ ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે, (અર્થાત્ જે શુદ્ધનિશ્ચય-સમ્યગ્દષ્ટિ જીવ વ્યવહારે અઠયાવીશ મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચયે શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિર ભાવ કરે છે, ) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તેને પરમતત્ત્વગત (-પરમાત્મતત્ત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com