________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
છે. એ કંઈ વાડો નથી, બાપા! ભગવાન પૂર્ણાનંદનો નાથ નિર્વિકલ્પ વસ્તુ; એની સેવના તે બ્રહ્મચર્ય અને બ્રહ્મની ચર્યા છે. (જેને એવી ચર્યા હોય) તે નિરપરાધી પ્રાણી છે. અને શરીરથી બ્રહ્મચર્ય પાળે અને એમ માને કે ‘અમે ધર્મી છીએ' તો તે સાપરાધી પ્રાણી છે. સમજાય છે
કાંઇ ?
લ્યો, એ શ્લોક થઈ ગયો. હવે ગાથા-૮૫.
*
(... શેષાંશ પૃ. ૨૩૦ ઉ૫૨ )
( “ ત્રિકાળી દ્રવ્યનો અવતાર શુદ્ધજ્ઞાન જ છે. અવતાર એટલે નવી ઉત્પત્તિ એમ નહીં પણ શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે. વિકલ્પથી કે રાગથી રહિત જ છે. ગુણ-ગુણીના ભેદથી રહિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ જ છે તથા સુખસાગરનો પૂર છે. વસ્તુ પોતે સુખસાગરનો પૂર છે. વસ્તુમાં સુખસાગરની ભરતી ભરી પડી છે, અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે તે શુદ્ધભાવ છે, સામાન્યભાવ છે, જ્ઞાયકભાવ છે, તેનો એક સમયમાત્ર અનુભવ થતાં સમસ્ત સંસારનો નાશ થઈ જાય છે.”)
-શ્રી ‘૫૨માગમસાર ' / ૨૬૮ઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com