________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ પણ કોને? કે જેને પોતાના સ્વભાવનો અનુભવ, આનંદસ્વરૂપ ભગવાન (નો અનુભવ વર્તે છે તેને ). (એટલે કે ) જેને આનંદસ્વરૂપ પ્રભુ, ધ્રુવ, નિત્યાનંદનો અનુભવ છે, તેને તો એકલો ચૈતન્ય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય અને એનું સેવન, એક જ ઉપાદેય છે; (બાકી સર્વ અન્યભાવો
ય છે). આહા... હા ! શા કારણે ? કારણ કેઃ “(તે) પરસ્વભાવ છે. આહા... હા! અહીં તો પર્યાય-ક્ષાયિકભાવને પણ પરસ્વભાવ કહ્યો! (એ) ત્રિકાળીની અપેક્ષાથી. એમ તો પર્યાય છે પોતાનામાં પણ એ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, એ અપેક્ષાએ (તેને) પરસ્વભાવ કહ્યો. સમજાણું કાંઈ ? ( જોકે) એ જે પર્યાય છે તે જ ‘દ્રવ્ય” નો નિર્ણય કરે છે, અનુભવ કરે છે; તેમ છતાં, તે પર્યાય, “દ્રવ્ય ને સ્પર્શતી નથી. તે કારણથી તેને હેય કહી, પરસ્વભાવ કહ્યો. આહા.. હા !
સંસ્કૃત ટીકામાં એમ છે ને “ત? પરમાવવાતા” “અત વ પૂરદ્રવ્ય ભવતિ” - “શા કારણથી? કારણ કે, તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે.” આહા... હા! એ તો પરદ્રવ્ય છે! એનો અર્થ એવો પણ થાય કેઃ જેમ પરદ્રવ્યમાંથી મારી નવી પર્યાય આવતી નથી, રાગમાંથી પણ આવતી નથી, તેમ પર્યાયમાંથી પણ નવી પર્યાય આવતી નથી, એ અપેક્ષાએ વર્તમાન ક્ષયોપશમ, ક્ષાયિક આદિ પર્યાયને પણ પરદ્રવ્ય કહી દીધું છે. આહા... હા ! પરમ સત્ય તો આ છે, પ્રભુ ! તે (પૂવોક્ત સર્વભાવો) પરદ્રવ્ય છે. મારી જે નવી (શુદ્ધ) પર્યાય, જે મારા આશ્રયથી ઉત્પન્ન થઈ અને એનાથી ટકે છે અને એના આશ્રયથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે; તે પર્યાયના આશ્રયથી ઉત્પન્ન થતી નથી, ટકતી નથી, વૃદ્ધિ પામતી નથી. આહા. હા! આ તો અંદરની વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ ? આહા.. હા! પરદ્રવ્ય છે!
હવે સ્વદ્રવ્ય કહે છે: “સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ;” એને સ્વદ્રવ્ય કહેશે, અને પછી સ્વદ્રવ્યના આધાર (વિષે) કહેશે. સ્વદ્રવ્ય કોણ? કે શુદ્ધ અંત:તત્ત્વ. તત્ત્વ અર્થાત્ ભાવ.
“તત્ત્વાર્થ ' આવે છે ને....! “તત્ત્વાર્થશ્રદ્ધાનં સચવનમ્” ( – “મોક્ષશાસ્ત્રમ્ અધ્યાન૧, સૂત્ર-૨). ત્યાં “અર્થ' એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય અને “તત્ત્વ' એટલે ભાવ. એ સ્પષ્ટીકરણ “મોક્ષમાર્ગપ્રકાશક' માં આવ્યું છે. તત્ત્વઅર્થ-તત્ત્વાર્થ. “તત્ત્વ' શું અને “અર્થ શું? દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયને “અર્થ' કહે છે. અને એના ભાવને ‘તત્ત્વ' કહે છે. અહીંયાં એ શૈલી લીધી છે. એને સ્વદ્રવ્ય કહેશે.
કહ્યું? “શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ”- શુદ્ધઅંત:તત્ત્વ-અંતઃભાવસ્વરૂપ. એમ લેવું અંતઃભાવસ્વરૂપ, શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ, શુદ્ધઅંતઃભાવસ્વરૂપ-એને સ્વદ્રવ્ય કહેશે અને સ્વદ્રવ્યનો આધાર પરમપરિણામિકભાવ કહેશે. આહા... હા! ગૂઢ વાત છે, ભગવાન!
આહા.. હા! “શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્ય - શુદ્ધઅંતઃસ્વભાવસ્વરૂપ એ સ્વદ્રવ્ય. શુદ્ધઅંત:ભાવસ્વરૂપ એ સ્વદ્રવ્ય. અહીંયાં ત્રિકાળી દ્રવ્યને નથી લીધું પણ પહેલાં “ભાવ” ને લીધું છે. જ્યારે ક્ષાયિક, ઔપશમિકાદિ પર્યાયને પરદ્રવ્ય કહ્યું તો અહીં અંત:તત્ત્વ-ભાવસ્વરૂપને સ્વદ્રવ્ય કહ્યું. તે પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું તો અંત:તત્ત્વ જે સ્વભાવભાવ, ત્રિકાળભાવ; ભાવ... હોં ! ( એ સ્વદ્રવ્ય.) ભાવવાન પછી લીધું. આહા... હા! શુદ્ધઅંત:ભાવસ્વરૂપ એ સ્વદ્રવ્ય, તે ઉપાદેય છે. “ઉપાદેય” નો અર્થ એ અનુભવ કરવા લાયક છે. એ આગળ આવશે.
હવે કહે છે: “ખરેખર સહજજ્ઞાન” -જે અંત:તત્ત્વ-અંતઃભાવ કહ્યો ને..? હવે એ ભાવની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com