________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૦-૮૧ – ૧૪૧ કર્તુત્વવિહીન છું.” જુઓ ! નારકમાં પણ એમ લેવું છે. પણ અહીંયાં શબ્દ “કર્તુત્વ” (મૂકીને) ખુલાસો કર્યો. હું એ “કર્તુત્વ” અર્થાત્ પરિણમનથી રહિત છું. આહા... હા. હા!
- બાપુ! આ તો મારગડા અંદર જુદા (છે), ભાઈ ! લોકોને હજી “દર્શનશુદ્ધિ” ની ખબર ન મળે કે “દર્શનશદ્ધિ” કેમ થાય, અને પછી પરિણતિ નિર્મળ કેમ થાય ?
અહીંયાં પરમાર્થ-પ્રતિક્રમણ એને કહે છે: વ્યવહારપ્રતિક્રમણનો વિકલ્પ ઊઠે છે પણ તે તો બંધનું કારણ છે, પરંતુ આ મિથ્યાત્વથી જે પ્રતિક્રમણ કર્યું અને સ્વભાવનો આશ્રય લીધો (ત્યાં) જે એવા અવ્રતનાં પરિણામ (જે પૂર્વે હતાં, તેને) છોડીને, સ્વભાવના આશ્રયે જે પરિણતિ (વિશેષ) શુદ્ધ કરી (અર્થાત્ ) રાગાદિ પરિણામથી હુઠીને પોતાની વીતરાગી પરિણતિ પ્રગટ કરી એનું નામ પરમાર્થ-પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
આમ તો (ત્યાં) કહ્યું હતું કે: “ટ્રવ્યાનુસારી ર” હોય છે. તેના પ્રમાણમાં રાગની મંદતા એને (મુનિને) હોય છે; પણ અહીંયાં તો કહે છે: “એ પરિણામ મારામાં છે જ નહીં.' પરમાર્થ પ્રતિક્રમણ લેવું છે ને...! એ (મહાઆરંભ અને પરિગ્રહરૂપ) પરિણમન જેટલી દશા હવે મારામાં છે જ નહીં. આ તો મુનિરાજનું પ્રતિક્રમણ છે ને..! આહા... હા! આ અમારો નાથ, આનંદનું દળ ભગવાન, જે દષ્ટિમાં આવ્યો હતો એમાં હું (હવે) એવા (ઉગ્ર ) પરિણમનમાં લીન થયો છું કે તેવું પરિણમન જ મારામાં નથી; એટલે કે જે પરિણામથી નારક અને તિર્યંચ (યોગ્ય અશુભ પરિણામ ઊપજે, તેવા) પરિણામ જ મારામાં નથી. આહા.... હા! ભાષા-શબ્દ શું છે! “હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વવિહીન છું.” આહા.... હા ! એ પરિણામનું કર્તુત્વ, (કર્ણ મેં કર્યું કર્તાપણું ), એનાથી વિહીન છું. અને આગળ તો કહેશે મૂળ પાઠમાં કે હું કર્તા પણ નથી, હું કરાવવાવાળો પણ નથી અને કરે છે તેને અનુમોદન કરવાવાળો પણ હું નથી. પાઠમાં તો ત્રણ બોલ છે અને વિશિષ્ટ બોલ તો પાઠમાં એવો છે કે હું એનું કારણ પણ નથી. ગાથા-૭૯: “णाहं बालो वुड्ढो ण चेव तरुणो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता णेव છત્તીમાં ” “ વારમાં તેસિં' -તેમનું (હું) કારણ નથી” એ બધામાં લેવું. ‘વત્તા | હિ TRફી અનંતા નેવ વત્તાં- “તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.' પછી એમાં (ગાથા-૮૦માં ) પણ લીધું છે: “હું રાત કોષો ઇ વેવ મોદી | TRUS તેસૅિ. આહા... હા! ‘[ b[૨ તેસિં' – “રાગનું કારણ હું નથી.' આહા... હું ! “હું તો શુદ્ધ આનંદનું કારણ છું.”
આહા. હા! વીતરાગ-માર્ગ બહુ સૂક્ષ્મ-ગૂઢ, ભાઈ ! આહા.. હા! બહારથી (બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ) માને છે. લોકોને અંદર (ના માર્ગનો) પત્તો મળતો નથી. પ્રભુ! એ તો (અનંત) જન્મ-મરણ મટવાના પંથનો માર્ગ તો આ છે, પ્રભુ! ભલે તને દુઃખ લાગે, આકરું લાગે કે આ તો “એકાંત નિશ્ચય' થાય છે. (પરંતુ ભાઈ !) નયનો વિષય એકાંત જ છે. પ્રમાણનો વિષય દ્રવ્ય અને પર્યાય બંને હોય છે. પણ નિશ્ચયનયનો વિષય તો એક જ-એકાંત ત્રિકાળી વસ્તુ જે છે તે છે. એ સમ્યક એકાંત નયનો વિષય આ એક જ છે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો કહે છે કેઃ તિર્યંચપર્યાયને યોગ્ય જે (માયામિશ્રિત) પરિણામ, તેનો કર્તા હું નથી. પરિણમનાર હું નથી. “હું” કર્તૃત્વવિહીન છું. - ( એમાં) ચારે ય લેવાઃ કર્તા નથી. કારયિતા નથી અને અનુમોદક નથી તથા તેનું હું કારણ પણ નથી, સમજાય છે કાંઈ?
હવે, મનુષ્ય. છે તે મુનિનું મનુષ્ય શરીર. (છતાં અહીંયાં કહે છેઃ ) “મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com