Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 279
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૭ - ૨૬૭ ધારા વહી. આહા.... હા ! એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આવી વાત છે !! સમજાણું? સંવત-૧૯૮૦માં, બોટાદમાં બધા ભાઈ સાંજે પડિકમણ કરવા આવે. એકવાર બધાને મારાથી એમ કહેવાયું કે ભાઈ ! આ પડિકમણ છે એ ઠીક; પણ આત્માનુભવ અને વિભાવ શું ચીજ છે એ ખબર છે? એ તો બોલ્યા નહીં પણ પછી આ (બીજા સાધુ) બોલ્યા કે એ વિભાવ અને અનુભવ; જેવું આપણે ન હોય. આહા... હા! કાંઈ ખબર ન મળે, શું કહે? અને આમ કહેવાતા જૈનના બેરિસ્ટર. આ બેરિસ્ટરમાં એટલી આવડત! ૭૨ની સાલની વાત છે. એકવાર મેં ચીતલમાં પૂછ્યું કે: ધર્માસ્તિકાયમાં ગુણની સંખ્યા કેટલી ? ત્યારે કહ્યું કે એમાં બે ગુણ છે–એક ગતિ અને એક અરૂપી. (શ્રોતા ) ત્યારે આ ચાલતું જ નહોતું. અહીં તો પ્રભુ કહે છે કે દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણ પણ અનંત અને વિશેષ પણ અનંત છે. હવે આ મોટા બેરિસ્ટર કહેવાય, એને એટલી ય ખબર નહીં! અહીં તો કહે છે કે આ પણ એક વસ્તુ છે. એ પોતાપણે છે અને પરપણે નથી, તો એમાં અનંત ધર્મ થઈ જાય છે. એને તો સાંભળ્યું ય ન હોય કે એમાં (આત્મામાં) અનંતધર્મત નામનો તો એક ગુણ છે. (એવા) અનંત ધર્મ, અનંત ગુણ, અનંત શક્તિ આત્મામાં છે. એ વિભાવ ને અનુભવ અને એ કંઈ વાત (સંપ્રદાયમાં છે જ નહીં). ભાઈ ! રાગના ભાવથી છૂટી, ભગવાન પૂર્ણાનંદનો પ્રવાહ વહે છે, તેને અનુસરીને અંદર દશા પ્રગટ કરવી એનું નામ આત્માનો અનુભવ છે. અને એ અનુભવ રત્નચિંતામણિ (છે). આહા.. હા! “અનુભવ ચિંતામણિરતન, અનુભવ હૈ રસકૂપ.” –એ અનુભવ રસનો દરિયો છે. આહા... હા ! જેમાં અનંત પર્યાયો એકીસાથે શુદ્ધપણે પરિણમે (છે). આહા... હા ! એ અનુભવનું નામ પણ ન આવડે કોઈને (-સંપ્રદાયમાં) કે આપણમાં અનુભવની વાત નથી. અહીં કહ્યું: અનુભવ ચિંતામણિરતન”-રત્નચિંતામણિ. એ આત્માનો રાગથી ભિન્ન પડીને અંદરમાં અનુભવ કરવો એ તો રત્નચિંતામણિ છે. એટલે ચિંતામણિનો પથ્થર મળે તો ચિંતવે તે થાય. એ પથ્થર દેવઅધિષ્ઠિત હોય છે, તેમ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાનમાં આવ્યો ત્યારે જે આત્માનો અનુભવ થાય એ તો રત્નચિંતામણિ છે. અનુભવ હોં! વસ્તુની તો શી વાત કરવી? આહા... હા ! પૂર્ણાનંદનો નાથ ! જેમાં અનંત અતીન્દ્રિય આનંદ ભરચક ભર્યો છે. (અનંત) અતીન્દ્રિય જ્ઞાન, અનંત અતીન્દ્રિય શ્રદ્ધા શક્તિરૂપે, અનંત... અનંત... અનંત અતીન્દ્રિય પ્રભુતા-એનો તો પ્રભુ છે એ ભગવાન ! એની તો વાત શી કરવી અનુભવ પર્યાયમાં થાય તેને પણ અમે અનુભવ રત્નચિંતામણિ કહીએ છીએ. આહા.. હા.. હા! આ (લખાણ) શાસ્ત્રમાં બધું છે... હોં! પણ વાંચતા નથી. દિગંબર શાસ્ત્રોમાં બધી વસ્તુ છે. એવી (વાત) બીજે ક્યાંય નથી. દિગંબરના શાસ્ત્રમાં તો બધુંય ભર્યું છે. દિગંબરના કોઈ પણ શાસ્ત્ર નાનામાં નાનું- “દ્રવ્યસંગ્રહ લ્યો, “ઇબ્દોપદેશ' લ્યો ! ઇષ્ટ ઉપેદશ-પ્રિય ઉપદેશ, યથાર્થ ઉપદેશ-કોને કહીએ? ત્યાં એમ ૩પમી ગાથામાં કહ્યું કે: જીવ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. (જીવે ) નિમિત્તથી ગતિ કરી નથી. પોતે ગતિ કરે છે ત્યારે સામે નિમિત્ત ધર્માસ્તિકાય કહેવાય. એવી રીતે (નિમિત્ત) બધાયને ધર્માસ્તિકાયવત્ (હોય છે). એવો પાઠ છે. (તેમ છતાં કેટલાક લોકોને) એ વાત બેસતી નથી. ના! એ નિમિત્ત કંઈક કરે. નિમિત્ત કંઈક (ઉપાદાનમાં) કરે. અગ્નિ આવે તો પાણી ઊનું થાય. છરી નિમિત્ત છે તો શાકના બે કટકા થાય. –બધી જૂઠી વાત છે. એ (શાકના) કટકા થવાનો (એ) પર્યાયનો કાળ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320