________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ – ૪૫ (જ) છે. (જે) જીવ રાગની રુચિમાં પડયો છે (તેને તો) અંતર આનંદરૂપ પોતાનું સ્વરૂપ ઉપાદેય થયું નથી! આહા... હા ! આવી વાતો છે!! વાસ્તવિકતાએ તો સ્વના ગ્રાહી-સ્વરૂપગ્રાહી જ્ઞાનીને જ ઉપણાનું અને ઠંડાપણાનું-પરનું-જ્ઞાન થાય છે. આહા... હા ! બહુ ઝીણી વાત! શું કહ્યું ? સમજાણું ? સ્વરૂપ જે ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે, ધ્રુવ સહજાત્મસ્વરૂપ (જેને ) સ્વસંવદેનમાં આવ્યું છે, સ્વવસ્તુ વેદનમાં આવી છે, સ્વસંવેદન-સ્વ=પોતાના+સમ્=પ્રત્યક્ષ+વેદન-માં આત્મા આવ્યો છે, એને જ શીતળપણાનું અને ઉષ્ણપણાનું જ્ઞાન-૫૨નું જ્ઞાન-યથાર્થ થાય છે. બે બોલ લીધા છે. પછી લીધું છે કે: ‘ ખારું વ્યંજન ' એવું જાણવામાં આવે તે જૂઠું છે. વ્યંજનથી ભિન્નપણા વડે ‘ખારો લવણનો સ્વભાવ' એવું જાણપણું નિજસ્વરૂપના જાણપણા દ્વારા (પ્રગટ ) થાય છે. સમજાય છે કાંઈ ?
એક વખતે એમ થયું કે, રાણપુર પાસે હડમતિયા છે ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર આવ્યા હતા. એ વખતે શ્રીમદ્ રાજચંદ્રની ( અંતર ) સ્થિતિ બહુ ઊંચી હતી. તે વખતે હિંદુસ્તાનમાં એવો કોઈ આત્મા નહીં, એવી (તેમની ) સ્થિતિ હતી ! પણ તેઓ ગૃહસ્થાશ્રમમાં હતા. લોકો તો બાહ્ય ત્યાગને માને છે ને...? એમ ત્યાં એકાંત ગામડામાં ૨૫-૫૦ માણસો એકઠા થયાં. (પીરસવામાં) શાક આવ્યું ત્યારે એમણે કહ્યું કેઃ (આમાં) મીઠું વધારે છે. ચાખ્યા વિના હોં! (કોઈને લાગ્યું કે સાહેબે તો) શાક (વધારતાં) જોયું નથી, ચાખ્યું નથી તો કેવી રીતે જાણ્યું ? ત્યારે કહે છે કે, દૂધીનું જે શાક છે એને જો પાણીમાં બાફીએ તો એના પૈસા તૂટતા નથી, પણ રેસા તૂટી ગયા છે, તેથી એમાં ખાર (મીઠું) વધારે પડયું છે. એમ અમે જોઈને કહ્યું કે: મીઠું વધારે છે. ( પછી જ્યારે) લોકોએ ચાખ્યું તો (શાક) ખારું (હતું ). કેવી રીતે જાણ્યું ? ભાઈ ! મેં મારા જ્ઞાનથી જાણ્યું! સમજાણું કાંઈ એમાં? તે વખતે શ્રીમદ્ રાજચંદ્રજીની શક્તિ ઘણી હતી. પણ લોકો ઓળખી શક્યા નહીં. બૈરી, કુટુંબ હતું; પણ એમાં સમકિતીને શું? સમકિતીને જ્ઞાનધારા અને કર્મધારા બન્ને હોય છે-આત્મજ્ઞાનધારા પણ હોય છે અને સાથે રાગ પણ હોય
છે, અશુભ પણ હોય છે (એવી ) કર્મધારા હોય છે. બેય સાથે (હોય છે). જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી બન્ને ધારા ચાલે છે.
( અહીં કહ્યું: ) વ્યંજન ખારું નથી; પણ વ્યંજનમાં ખારાશ લવણની છે. શાક છે તે ખારું નથી. (ખારાપણું ) ભિન્ન ચીજ છે. જુઓ અહીં (‘ક્લેશ-૬૦માં’) એ કહ્યું કેઃ નિજસ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ‘વ્યજંન ખારું નથી અને ખારું લવણ છે' એવું ભેદજ્ઞાન-૫૨નું જ્ઞાન હો ! –એ પણ ‘ જ્ઞાનાત્ ' (અર્થાત્ ) નિજસ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. આહા... હા! ગજબ વાત છે!! જેને પોતાનું જ્ઞાન થયું હોય, ચૈતન્ય સ્વ-૫૨પ્રકાશકના આનંદનું વેદન થયું હોય, રાગથી ભિન્ન થઈને સમ્યગ્દર્શન થયું હોય એને ખારાપણું લવણનું છે અને શાક એ ખારું નથી, એનું જ્ઞાન પણ સ્વરૂપ (ગ્રાહી) જ્ઞાનીને જ થાય છે. સમજાણું કાંઇ?
'
અહીંયા આપણે આ ચાલે છે: · આ હૈય-ઉપાદેય ' ( ના સ્વરૂપનું કથન છે)'. પણ ‘હેય ' નું જ્ઞાન કોને થાય છે? બે શબ્દ પડયા છે ને.. ! ‘ હેય ’ ‘ ઉપાદેય ’ પણ ‘ હ્રય ’ નું જ્ઞાન, યથાર્થ કોને થાય છે? (કે–) જેને પોતાનું આનંદસ્વરૂપ, પૂર્ણાનંદ જ્ઞાયકભાવ, ધ્રુવ ઉપાદેયપણે અનુભવમાં આવ્યો છે તેને રાગાદિ પરદ્રવ્ય, પર્યાય આદિ (ના હૈયપણાનું યથાર્થ જ્ઞાન થાય છે). અહીં પર્યાયને પણ પરદ્રવ્યમાં ગણવામાં આવી છે. (જોકે) નિર્ણય કરે છે પર્યાય; પણ પર્યાયનો વિષય જ્ઞાયક-ત્રિકાળી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com