________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૩૯ ગયું છે. તો કહે છે: “તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વવિહીન છું.” વસ્તુ તો સદાય તિર્યંચપર્યાય અને એના કારણથી રહિત જ છે. પણ એ ઉપરાંત એ પરિણામના કર્તુત્વવિહીન છું. (અર્થાત્ ) મારામાં એ પરિણામનું પરિણમન જ નથી. આહા.... હા! શું કહ્યું સમજાણું? શુદ્ધજીવાસ્તિકાય એ તો અભેદ ચીજ છે. જ્યારે એ અભેદ (સ્વરૂપ) દષ્ટિમાં આવ્યું ત્યારે તેમાં વિકારી પર્યાયાદિ તો છે જ નહીં. અહીંયા તો હવે વિશેષ કહે છે કે તિર્યંચગતિને યોગ્ય એ જે રાગાદિનું પરિણમન છે તે પણ મારામાં નથી. સમજાણું કાંઈ ? પરમાર્થ-પ્રતિક્રમણ છે ને..! પ્રતિક્રમણ =પાછું ફરવું-હુઠવું. તો મિથ્યાત્વથી તો હુઠી ગયા છે. (મુનિ છે ને..!) એ શુદ્ધજીવાસ્તિકાય-અભેદ ચીજમાં તો કોઈ ભેદ, અશુભરાગ કે શુભરાગ જ નથી. એ અભેદ (ચીજ ) તો દષ્ટિમાં આવી ગઈ. પરંતુ હુજી જે અસ્થિરતાનું પરિણમન છે તેના પ્રતિક્રમણની વાત ચાલે છે. સમજાય છે કાંઈ ?
પ્રવચનસાર” શયતત્ત્વ-પ્રજ્ઞાપનની છેલ્લી ગાથા ઉપરના કળશ-૧રમાં આવ્યું છે ને...! “ટ્રવ્યાનુસારી વર વરણાનુસારી દ્રવ્ય.” એની વ્યાખ્યા પણ સૂક્ષ્મ છે. કહે છે કે: દ્રવ્ય-વસ્તુ તો છે જ. એનો આશ્રય લઈને જેટલી શુદ્ધપરિણતિ ઉત્પન્ન થઈ તો તેના પ્રમાણમાં કષાયની મંદતા થાય છે, એ ચરણ એટલે “ટ્રવ્યાનુસાર વર' (છે). એમ “વરાનુસારી દ્રવ્ય” -જેટલી કષાયની મંદતા છે એટલા પ્રમાણમાં પોતે શુદ્ધ પરિણમ્યો છે. ત્રણ કષાયની (ચોકડી) ના અભાવની શુદ્ધપરિણતિ થઈ એ “વ્યાનુસાર વર.' એ શુદ્ધપરિણતિના પ્રમાણમાં કષાયની જે મંદતા થાય છે ત્યાં વસ્ત્ર લેવાનો, અને ઉશિક આહાર આદિ લેવાનાં પરિણામ થતાં નથી એટલે ત્યાં “ટ્રવ્યાનુસાર વર'. એમ લીધું (છે). “ટ્રવ્યાનુસારી વર” એનો અર્થ“વર' અર્થાત્ રાગની મંદતા, એવો અર્થ અહીં લેવો છે; એ દ્રવ્યાનુસારી હોય છે. એનો અર્થ જે દ્રવ્ય છે તેને અનુસરીને જે નિર્મળપરિણમન થયું છે તે, જે તે ભૂમિકા પ્રમાણે જેટલો નિર્મળ છે, તેટલા પ્રમાણમાં રાગની મંદતા [ જેમ કે મુનિને ત્રણ કષાય (ચોકડી) ના અભાવની પરિણતિ છે તો
ત્યાં રાગની મંદતા], એની યોગ્યતા પ્રમાણે થાય છે. ત્યાં વસ્ત્ર લેવાનો અને ઉશિક (એમના માટે બનાવેલો ) આહાર લેવાનું ચરણ હોતું નથી. એવું ચરણ ત્યાં દ્રવ્યાનુસારી ચરણમાં હોતું નથી. હવે “વરણાનુસારી દ્રવ્ય એ બીજું પદ. એનો અર્થજેટલા પ્રમાણમાં કષાયની મંદતા છે, એનું જ્ઞાન કરવું કે તીવ્રકષાય હોય તો ત્યાં શુદ્ધપરિણમન અલ્પ છે. અહીં ઘણો મંદકષાય છે તો અહીં શુદ્ધપરિણમન વિશેષ છે... એટલું. એ તો જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. એટલે ત્યાં એ પરિણમન દ્રવ્યાનુસારી લેવું. ત્યાં દ્રવ્ય એટલે ‘દ્રવ્ય-અનુસારી” એમ નહીં. દ્રવ્યાનુસારી પરિણમન જે છે ત્યાં જેટલા પ્રમાણમાં દ્રવ્યનો આશ્રય લઈને નિર્મળપરિણતિની ધારા આવે છે એટલા પ્રમાણમાં, ભૂમિકા પ્રમાણે, રાગની મંદતા થાય છે. જ્યાં ત્રણ કષાય (ચોકડી) ના અભાવની પરિણતિ હોય ત્યાં વસ્ત્ર અને પાત્ર આદિ લેવાનો રાગ હોય તો તે દ્રવ્યાનુસારી ચરણ જ નથી. અને “વરVTIનુસાર દ્રવ્યું કે ત્યાં રાગની મંદતા એટલી છે કે ત્યાં વસ્ત્ર કે પાત્ર કે ( ઉશિક) આહાર લેવાનો વિકલ્પ જ નથી. તો એવી ભૂમિકામાં જે રાગની મંદતાનો વિકલ્પ છે, તે અનુસાર ખ્યાલ કરવો કેઃ આ રાગ આટલો મંદ છે તો અહીં શુદ્ધપરિણતિ વિશેષ છે. ચરણ એટલે રાગની મંદતાના પ્રમાણમાં અહીંયાં પરિણતિ શુદ્ધ થાય છે, એનાથી (રાગની મંદતાથી પરિણતિ શુદ્ધ) થાય છે, એ પ્રશ્ન નથી. શુદ્ધપરિણતિ જેટલી ઉગ્ર તેટલા પ્રમાણમાં રાગની મંદતા. એ ચરણ ત્યાં મુનિને હોય છે. પાંચમે ગુણસ્થાને બે કષાય (ચોકડી) ના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com