________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૮૭ સ્વરૂપ છે એવું. અંતર્મુખસ્વરૂપ!
સકળ ઇન્દ્રિયોના સમૂહથી અતીત (-સમસ્ત ઇન્દ્રિયાતીત)” -ત્યાં કોઈ પણ ઇન્દ્રિયનું લક્ષ નથી. અતીન્દ્રિય આનંદના ધ્યાનમાં કોઈ ઇન્દ્રિયનું લક્ષ હોતું નથી. ત્યાં શુક્લધ્યાનમાં એવું અતીન્દ્રિય આનંદનું ધ્યાન છે. આહા. હા!
“અને નિર્ભેદ”_જેમાં ભેદ નથી. ધર્મધ્યાનમાં તો થોડો રાગભાવ બાકી છે, ભેદ પડે છે. સ્વનો આશ્રય છે તેટલો નિર્ભર છે અને જેટલો રાગ છે એટલો ભેદ પડે છે. આ (શુક્લધ્યાન) તો તદ્દન નિર્ભેદ (છે).
પરમ કળા સહિત” કેવળજ્ઞાનને લે એવી પરમ કળા સહિત (છે). શુક્લધ્યાન (એ) સ્વભાવશક્તિને વિકસાવવા માટે પરમ કળા છે. આહા. હા!
એવું જે નિશ્ચય શુક્લધ્યાન, તેમને ધ્યાને ” અહીં તો ધ્યાનને ધ્યાને લીધું છે. ધ્યાનમાં ધ્યેય તો આત્મા છે. પણ ધ્યાનને ધ્યાઈને, એમ એમાં કહેવું છે ને...! ચાર ધ્યાન કહ્યાં છે ને...? બે ધ્યાન (આર્ત ને રૌદ્ર ) ને છોડીને, બે ધ્યાન (ધર્મ ને શુક્લ) ને ધ્યાવવાં. આહા.. હા! | જિજ્ઞાસા: ધ્યાનને ધ્યાવ્યું. પણ ધ્યાનના વિષયને ન ધ્યાવ્યું?
સમાધાન: એ તો ઘણીવાર કહેવાયું છે: “સમ્મત્તUTUવર નો ભત્તિ” (નિ. સા. ગાથા-૧૩૪) –ભક્તિ તો દ્રવ્યની છે. પણ એની ભક્તિ કરે એટલે એની (સમ્યગ્દર્શનશાનચારિત્રની) ભક્તિ કરે, એમ કહેવાય. સમજાણું કાંઈ ?
એમ કહ્યું ને...! ધર્મધ્યાન (અને શુક્લધ્યાન) ને ધ્યાઈને, “જે ભવ્યવરપુંડરીક (-ભવ્યોત્તમ) પરમભાવની (પારિણામિકભાવની) ભાવનારૂપે પરિણમ્યો છે” ધર્મધ્યાનમાં હજી પરમભાવની પૂર્ણ ભાવના નહોતી તેથી રાગ હતો, તે સ્વર્ગનું કારણ (હતું). (પણ) અહીંયાં તો પરમ (ભાવ) –પરિણામિકભાવ (સ્વરૂપ) આખો ભગવાન, પૂર્ણ શુદ્ધ સ્વભાવ એની ભાવના (અર્થાત્ ) પંચમભાવની ભાવના (રૂપે પરિણમ્યો છે). એમાં ક્ષાયિકની ને ઉપશમની ભાવના ન લેવી. ઓલામાં લીધું કે: (ધર્મ ને શુક્લ) ધ્યાનને ધ્યાવવું. ધ્યાન તો ક્ષયોપશમ ને ક્ષાયિકભાવે છે. અહીં હવે કીધું કેઃ પરમપરિણામિકભાવને ધ્યાઈને, ભાવના કરીને, આહા... હા! પૂર્ણાનંદ પ્રભુ આત્મા, પરમપરિણામિકભાવ, સહજ પારિણામીક, (એની ભાવનારૂપે પરિણમ્યો છે).
“પંચાસ્તિકાય” સંસ્કૃત ટીકામાં આવે છે ને...! “પરિણામે ભવ: પરામિક: ”—સહજપણે હોય. એને કોઈ કર્મના નિમિત્તની અપેક્ષા નથી. નિમિત્તના અભાવની અપેક્ષા નથી. ક્ષાયિક, ક્ષયોપશમમાં તો હજી નિમિત્તના અભાવની અપેક્ષા છે. ઔદયિકમાં રાગના ઉદયની અપેક્ષા (છે). પણ સહજ સ્વરૂપ પારિણામિક ત્રિકાળ છે; તેમાં તો નિમિત્તના અભાવની અને નિમિત્તના સાપેક્ષતાના ભાવની અપેક્ષા નથી. આહા... હા !
એવો જે પરમપરિણામિકસ્વભાવ, પરમસ્વાભાવિકભાવ ત્રિકાળી ધ્રુવ, એની ભાવના. એટલે કે ક્ષાયિક, ક્ષાયોપથમિક આદિ પરિણતિએ પરિણમ્યો. એ એની ભાવના. પરમસ્વભાવભાવની ભાવના, એટલે એમાં એકાગ્રતા એ પરિણતિ છે, પર્યાય છે. પરમપરિણામિકભાવ છે એ દ્રવ્ય છે, વસ્તુ છે. અને એની ભાવના છે તે પર્યાય છે. પરમપારિણામિક, પરમભાવ-એમ લીધું છે ને....! પરમભાવ; એની ભાવના. એમ ભાષા છે. પછી તો સ્પષ્ટ કર્યું. પરિણામિકભાવ એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com