________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ઉત્તર
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૫૫ એવી છે ને...! “સુખની અનુભૂતિમાં લીન.” એમ ! “એવા વિશિષ્ટ આત્મતત્ત્વને”—એમ લીધું ને...? ત્યાં પર્યાય ન લીધી (પણ) “એવા (વિશિષ્ટ) “આત્મતત્ત્વને”- આહા... હા! આચાર્યોની ભાષા તો જુઓ! શ્વેતાંબરના ૪૫ (આગમ) વાંચે ને કરોડો વાંચે તોપણ ક્યાંય તત્ત્વ હાથ ન આવે, એવી આ એક લીટીમાં એવું આ તત્ત્વ છે! વેદાંત-વેદાંતમાં ક્યાંય ન મળે! (શ્રોતા ) વેદાંતવાળા આપણી વાત સાંભળવા માગે તો તેની સાથે વાત કરવી કે ન કરવી?
યાત, અહીંયાં કોને કરવી છે? આવે તો સાંભળે. આવી વાત સાંભળીને, કેટલાક એમ કહે છે. આ તો બધી વેદાંતની વાત છે. કારણ કે આપણે જૈનધર્મમાં તો કરો વ્રત ને તપ ને ભક્તિ કરવી એ જૈનક્રિયા !
૧૯૯૯ની સાલમાં રાજકોટમાં એક બાવો પરમહંસ ચર્ચા સાંભળવા આવ્યો હતો. એમ કે જૈનના સાધુ [–અહીં ક્યાં સાધુ હતા? પણ એ તો (બાહ્યત્યાગ જોઈને) માને ને કે આ ત્યાગી છે, સાધુ છે] આવી વાત આત્માની કરે છે! અને હજારો માણસો ભેગા થાય છે! તો એ કઈ રીત છે? અહો! જૈનમાં આવું ક્યાંથી? જૈન તો ક્રિયાકાંડી .. વ્રત કરવા ને ઉપવાસ કરવા (વાળા હોય છે )! એમાં (મું) પહેલી આટલી વાત કરી કે જુઓ ! વસ્તુ તો નિત્ય ધ્રુવ છે, તે જ છે; પણ એ ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય અનિત્ય છે! (બાવાએ કહ્યું: ) હું! આત્મા અનિત્ય ! આત્મા નિત્ય-અનિત્ય બેય છે! – ઊઠીને ભાગી ગયો. બાપુ! અહીં તો વસ્તુસ્થિતિ ( આ છે )! અહીં કોઈ પક્ષ નથી. અહીં તને વેદાંત જેવું લાગે. પણ અહીં વેદાંત નથી. સમજાણું કાંઈ ? (ઓલો ) બાવો ઊઠીને ભાગી ગયો. આત્મા અનિત્ય ? પર્યાય અનિત્ય, દ્રવ્ય નિત્ય. કેમ કે એ (વેદાંતી) લોકો પર્યાયને માને નહીં તો પછી તમે “સર્વવ્યાપક છે' એવું માન્યું કોણે? શું “એ” ધ્રુવ માને ? એમ ન ચાલે, બાપુ! આ તો (સર્વજ્ઞનો) માર્ગ છે, ભાઈ ! આ વસ્તુ (એવી છે!) અનંત સર્વજ્ઞનું કહેલું તત્ત્વ આ જ છે! અને આ જ માર્ગ છે. એ કાંઈ (પક્ષ નથી).
કોઈ કહે કે અહીંયાં “અનુભૂતિમાં લીન” એને પર્યાય કહો. તો (એમ નથી.) અહીં તો એવા વિશિષ્ટ આત્મતત્ત્વને” લીધું છે. એવા વિશિષ્ટ આત્મતત્ત્વને” –એમ લીધું છે. એ અનુભૂતિ છે એ ધ્રુવની વાત છે. સમજાણું કાંઈ ?
(એવા વિશિષ્ટ આત્મતત્ત્વને) “ગ્રહનારા” એટલે જાણનારા. ગ્રહણ અર્થાત જાણવું. એમ મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધ્યાયમાં લીધું છે ને..! “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે વ્યવહારની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે.' એમ જાણવું. અને “એ પ્રમાણે “જાણવાનું’ નામ જ બંને નયનું “ગ્રહણ” છે.”
“શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે”. એકલા દ્રવ્યાર્થિકનયના બળે” (એમ નહીં.) “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે' - શુદ્ધદ્રવ્યાર્થિકનય એટલે શુદ્ધ દ્રવ્ય ત્રિકાળ... ત્રિકાળ; તેનો જે અર્થી, અર્થાત્ તેનું જેને પ્રયોજન છે; એવો જે નય. (તેના બળે ) મુનિરાજ કહે છે કેઃ મારેભગવસ્વરૂપ વીતરાગદશામાં રમણતા, અતીન્દ્રિયપ્રચુર આનંદના સ્વાદિયાને “સકળ મોહરાગદ્વેષ નથી.” મારી ચીજમાં મોહરાગદ્વેષની ગંધ બિલકુલ નથી. અને મારી જે શુદ્ધપરિણતિ છે તેમાં પણ મોહરાગદ્વેષની ગંધ નથી. આહા... હા.. હા !
આવી વાત છે !! ભાઈ ! આ તો જેને અંતરથી છૂટવું હોય તેની વાતો છે, બાપુ! આ તો કંઈ માન મેળવવા ને- કાંઈ બીજા કરતાં અને વિશેષ કહેનારા છીએ ને.. (તેથી) અમને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com