________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “અહો ! જેનું ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં જેના કાળનો અંત નથી, જેના ગુણનો અંત નથી- એવી અનંત સ્વભાવી ચૈતન્યજ્યોતિ સદાય એકરૂપ ચૈતન્યસ્વરૂપ જ રહી છે. આત્મવસ્તુ જ ગંભીર સ્વભાવી છે. એની ગંભીરતા ભાસે નહિ ત્યાં સુધી ખરો મહિમા આવે નહિ. એની ગંભીરતા ભાસતાં આત્માનો એવો મહિમા આવે કે એ મહિમા આવતાં આવતાં એ મહિમા વિકલ્પને ઓળંગી જાય છે; વિકલ્પને તોડવો પડતો નથી પણ તૂટી જાય ને અતીન્દ્રિય આનંદનો સ્વાનુભવ થાય.” -શ્રી “પરમાગમસાર' |390 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com