________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
66
,,
શ્રી નિયમસાર ગાથા ૭૭–૮૧ - ૧૬૩ ને...! એ (સંપ્રદાયમાં) તો લોકો ભક્તિ કરે ને..! પણ ભક્તિ બે પ્રકારે છે: નિશ્ચયભક્તિ અને વ્યવહારભક્તિ. આત્મામાં અંદર એકાગ્ર થવું તે નિશ્ચયભક્તિ છે. ભગવાનની ભક્તિ આદિનો વિકલ્પ તે તો વ્યવહારભક્તિ છે. (વિકલ્પ ) આવે છે. પૂર્ણ ( વીતરાગ) ન થાય ત્યાં સુધી (વિકલ્પ ) આવ્યા વિના તો રહેતા નથી. ‘સમયસાર' ની જયસેનાચાર્યની ટીકામાં છે ને... નિશ્ચયભક્તિ અને વ્યવહારભક્તિ. ‘નિયમસાર’ માં પણ ‘પરમભક્તિ અધિકાર' ગાથા-૧૩૪ થી ૧૪૦ સુધી આવે છે. કોઈ કહે છે ને... કેઃ ચોથે-પાંચમે નિશ્ચય ન હોય; નિશ્ચય છઢે હોય, પણ અહીં તો કહે છે કેઃ પાંચમે ગુણસ્થાને શ્રાવકને પણ નિશ્ચયભક્તિ હોય છે. 'सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो । तस्स दु णिव्वुदिभत्ति होदि त्ति जिणेहि વળાં ”।। રૂ।। “ જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની ભક્તિ કરે છે, તેને નિવૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે એમ જિનોએ (અનંત તીર્થંકરોએ ) કહ્યું છે.” આહા... હા ! (શ્રોતાઃ ) પર્યાયની વાત છે! (ઉત્તર:) પર્યાય અંદર દ્રવ્યમાં છે. પણ ભક્તિનાં પરિણામ એ તો પર્યાય છે. પણ રાગથી હઠીને એની (નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ) ભક્તિ કરે છે તો તેને (નિર્વાણની) ભક્તિ કહેવામાં આવે છે. (ભક્તિ અર્થાત્ ભજન). કથન તો પર્યાય સિવાય શું આવે ? અહીં મારે તો બીજું કહેવું હતું કે: શ્રાવકને પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિશ્ચયભક્તિ હોય છે. એમ ત્રણેયની હોય છે. ભલે થોડું ચારિત્ર છે; છઠ્ઠ-સાતમે વિશેષ છે; પણ ચારિત્ર છે અંદર. કેમકે (ત્યાં ) અનંતાનુબંધીનો અભાવ થયો અને અપ્રત્યાખ્યાનાવરણનો અભાવ થયો તેથી એટલું ચારિત્ર છે અને ચોથે અનંતાનુબંધીનો અભાવ થયો એટલું (ત્યાં પણ ) સ્વરૂપાચરણ ચારિત્ર છે. પણ પાંચમામાં (અનંતાનુબંધી અને ) અપ્રત્યાખ્યાનાવરણીયનો અભાવ થયો છે, સ્વરૂપનો ઉગ્ર આશ્રય લીધો છે, ચૈતન્યવિલાસ (સ્વરૂપ) ભગવાનનો આશ્રય ઉગ્ર લીધો છે તો (ત્યાં) શાંતિ તો (ચોથથી વિશેષ ) આવી છે. અહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સાથે આવ્યાં છે. શ્રાવકને ત્રણે કહ્યાં ને...! કોઈ કહે કે: ના. શ્રાવકને તો જ્ઞાન-દર્શન બે જ હોય (પણ ) અહીં તો (ત્રણેની ભક્તિ લીધી છે) ત્રણેય છે, બાપુ !
‘પદ્મનંદિપંચવિંશતિકા ’ [ ‘દેશવ્રત ઉદ્યોતન’ ગાથા-૨૧, ૨૨, ૨૩] માં એવો પાઠ આવે છે કેઃ સમકિતી-જ્ઞાની શ્રાવક વિધિપૂર્વક જિનપ્રતિમા અને જિનગૃહનું નિર્માણ કરાવેછે તે ભવ્ય, સજ્જન પુરુષો દ્વારા વંદનીય છે. ત્યાં તો ત્યાં સુધી લીધું છે કેઃ (કુંદરવૃક્ષના પાંદડા જેવડા જિનાલય અને ) જવ (ના દાણા) જેવડી જિનપ્રતિમાનું નિર્માણ કરાવે છે (તેમના પુણ્યનું વર્ણન કરવા માટે અહીં વાણી (સરસ્વતી ) પણ સમર્થ નથી). આહા.. હા! આ તો ભાવની વાત છે ને...? તો પછી જે મોટા મંદિર બનાવે એને તો શું કહેવાય? એ તો સંઘપતિ કહેવાય. એમ લીધું છે. અને શ્રાવક વંદનીય છે, એમ લીધું છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્રની ભક્તિ સહિત એવા શુભભાવ આવ્યાઃ મંદિર ( નિર્માણનો ), જળયાત્રા, રથયાત્રા વગેરે(બાહ્ય ) ક્રિયા તો થવાવાળી થાય છે, પણ ભાવ એનો છે ને...! તો એવા શ્રાવકને વંદનીય કહ્યો છે, તે વંધ છે. આહા... હા!
એક બાજુ એમ લે કેઃ “ અસંનવું ન વન્દે” (-દર્શનપાહુડ/ગાથા-૨૬). એ મુનિને યોગ્ય વંદન તેને નથી. પણ તેને યોગ્ય શ્રાવકને પણ વંદન થાય છે. આમ તો ત્યાં એવું લીધું છે: શ્રાવકને શુદ્ધઉપયોગ હોતો નથી ! (પરંતુ ) જે મુનિયોગ્ય શુદ્ધઉપયોગ છે તે (એને) હોતો નથી;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com