________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન: તા. ૨૭-૨-૧૯૭૮
(‘નિયમસાર ' ગાથા ૮૮ની) ટીકાઃ- “ત્રિગુતિ (ગુપ્ત )પણું (--ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું ). ” ( એટલે કેઃ) મન, વચન અને કાયા તરફથી ખસીને ત્રણ ગુપ્તિ ( ગુપ્ત ) ( અર્થાત્ ) અંતમાં ગુસ થવું. આહા... હા! પાપના ભાવથી તો ખસી જવું પણ મન-વચન-કાયાના જે વ્યવહા૨-સમિતિ-ગુપ્તિનો વિકલ્પ-રાગ (છે) તેનાથી ખસી જવું, અંદર ગુપ્તિ કરવી. આ તો સાધુની વાત છે. પણ સાધુ (દશા) પહેલાં સમ્યગ્દર્શનમાં પણ, એ ચીજ ( આત્મા ) ચૈતન્યરત્નાકર ભગવાનમાં-દષ્ટિની અપેક્ષાએ, કોઈ પણ (સર્વ) પ્રકારના રાગના ભાવથી ખસી-શુદ્ધ આનંદસ્વરૂપમાં ગુસ થવું (થાય છે); તો એને પ્રથમ સમ્યગ્દર્શન હોય છે. પણ પછી પણ મન, વચન, કાયા સંબંધી રાગ-પાપના, કોઈ પુણ્ય-ના વિકલ્પો તો હોય છે. પરંતુ મુનિએ તો એ રાગને છોડીને (વિશેષ સ્વરૂપગુસ થયા છે ).
અહીં તો પરમાત્મા એમ કહે છે કે-અમારા તરફ લક્ષ કરીશ તો તને રાગ થશે. એકાગ્ર ક્યાંથી થઈશ ? તું એકાગ્ર ક્યાંથી થઈશ ? રાગ આવે, હોય, પણ એ પાપનો-પુણ્યનો વિકલ્પ છે એ દુઃખરૂપ છે.
અહીંયાં તો જેને ત્રણ ગુસથી ગુસ થવું છે (અર્થાત્ ) મન, વચન અને કાયા તરફનાં વલણનો જે વિકલ્પ છે, રાગ (છે), એનાથી છૂટીને અંદર ગુપ્ત થવું છે. મુનિની વાત છે ને...! સાધુની ઉત્કૃષ્ટ વાત છે. એને પંચમહાવ્રતનાં પરિણામ છે એ પણ કાંઈ ગુપ્તિ નથી; અગૃતિ છે.
ભગવાન ( આત્મા ) ચૈતન્યસ્વરૂપ, એકલા આનંદ આદિ રત્નોથી ભરેલો ભગવાન છે. આહા... હા ! એને નિર્વિકલ્પ કરવાને માટે એ વિકલ્પની જાત શુભ હોય કે અશુભ હોય-બેયથી છૂટીને, અંદરમાં એકાગ્ર થવું એને ગુતિ કહેવામાં આવે છે. શુભઉપયોગ એ અગૃતિ છે એને છોડીને, અંદરમાં શુદ્ધઉપયોગ કરવો (એ ગુપ્તિ છે ).
‘સમ્યજ્ઞાનદીપિકા ’ (વિશુદ્ધ) નું (લખાણ ) કાઢયું હતું ને...? (ભાઈ!) એ તો (ત્યાં) બીજી અપેક્ષાએ કહે છે. એ બીજી અપેક્ષા છે. પાપ તો સ્વસ્ત્રી હોય કે પરસ્ત્રી હોય (બંનેમાં છે). ૫૨સ્ત્રી (સેવન) માં તો મહાપાપ (છે ). અને સ્વસ્ત્રીમાંય પણ જ્યાં વિષયની વાસના છે એ પાપ (છે). એનાથી પણ છૂટવું છે. (તો ) એ (ભોગ) કરીને છુટાય ? (એમ ન હોય )! આવો માર્ગ છે!
આહા... હા! રાગથી ખસીને એ ચૈતન્યબ્રહ્મ ભગવાન, પૂર્ણાનંદસ્વરૂપ; એમાં ગુસ થવું છે. એ પહેલાં-સમ્યગ્દર્શનમાં પણ ભેદની દૃષ્ટિ અને રાગની દષ્ટિ છોડી, અભેદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુમાં દષ્ટિ લગાવવી ત્યારે પણ એટલો તો એ શ્રદ્ધા-જ્ઞાનથી ગુસ થયો છે; પરથી ગુસ થયો છે.
આહા... હા ! અહીંયાં તો આ પ્રતિક્રમણ એટલે ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર એટલે ચારિત્રના પેટાભેદમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સમાધિ, ભક્તિ આદિ એ બધા એના ભેદ છે. પણ એ બધા નિર્વિકલ્પ-વીતરાગીદશાના ભેદ છે. જુદા જુદા પ્રકારથી ખસવું પડે છે ને...? એ પ્રકારનું લક્ષ લઈને કોઈને પ્રતિક્રમણ કહ્યું, કોઈને પચખાણ કહ્યા, કોઈને સમાધિ, કોઈને ભક્તિ ( કહી ).
Please inform us of any errors on rajesh@Atma Dharma.com