Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 286
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન: તા. ૨૭-૨-૧૯૭૮ (‘નિયમસાર ' ગાથા ૮૮ની) ટીકાઃ- “ત્રિગુતિ (ગુપ્ત )પણું (--ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું ). ” ( એટલે કેઃ) મન, વચન અને કાયા તરફથી ખસીને ત્રણ ગુપ્તિ ( ગુપ્ત ) ( અર્થાત્ ) અંતમાં ગુસ થવું. આહા... હા! પાપના ભાવથી તો ખસી જવું પણ મન-વચન-કાયાના જે વ્યવહા૨-સમિતિ-ગુપ્તિનો વિકલ્પ-રાગ (છે) તેનાથી ખસી જવું, અંદર ગુપ્તિ કરવી. આ તો સાધુની વાત છે. પણ સાધુ (દશા) પહેલાં સમ્યગ્દર્શનમાં પણ, એ ચીજ ( આત્મા ) ચૈતન્યરત્નાકર ભગવાનમાં-દષ્ટિની અપેક્ષાએ, કોઈ પણ (સર્વ) પ્રકારના રાગના ભાવથી ખસી-શુદ્ધ આનંદસ્વરૂપમાં ગુસ થવું (થાય છે); તો એને પ્રથમ સમ્યગ્દર્શન હોય છે. પણ પછી પણ મન, વચન, કાયા સંબંધી રાગ-પાપના, કોઈ પુણ્ય-ના વિકલ્પો તો હોય છે. પરંતુ મુનિએ તો એ રાગને છોડીને (વિશેષ સ્વરૂપગુસ થયા છે ). અહીં તો પરમાત્મા એમ કહે છે કે-અમારા તરફ લક્ષ કરીશ તો તને રાગ થશે. એકાગ્ર ક્યાંથી થઈશ ? તું એકાગ્ર ક્યાંથી થઈશ ? રાગ આવે, હોય, પણ એ પાપનો-પુણ્યનો વિકલ્પ છે એ દુઃખરૂપ છે. અહીંયાં તો જેને ત્રણ ગુસથી ગુસ થવું છે (અર્થાત્ ) મન, વચન અને કાયા તરફનાં વલણનો જે વિકલ્પ છે, રાગ (છે), એનાથી છૂટીને અંદર ગુપ્ત થવું છે. મુનિની વાત છે ને...! સાધુની ઉત્કૃષ્ટ વાત છે. એને પંચમહાવ્રતનાં પરિણામ છે એ પણ કાંઈ ગુપ્તિ નથી; અગૃતિ છે. ભગવાન ( આત્મા ) ચૈતન્યસ્વરૂપ, એકલા આનંદ આદિ રત્નોથી ભરેલો ભગવાન છે. આહા... હા ! એને નિર્વિકલ્પ કરવાને માટે એ વિકલ્પની જાત શુભ હોય કે અશુભ હોય-બેયથી છૂટીને, અંદરમાં એકાગ્ર થવું એને ગુતિ કહેવામાં આવે છે. શુભઉપયોગ એ અગૃતિ છે એને છોડીને, અંદરમાં શુદ્ધઉપયોગ કરવો (એ ગુપ્તિ છે ). ‘સમ્યજ્ઞાનદીપિકા ’ (વિશુદ્ધ) નું (લખાણ ) કાઢયું હતું ને...? (ભાઈ!) એ તો (ત્યાં) બીજી અપેક્ષાએ કહે છે. એ બીજી અપેક્ષા છે. પાપ તો સ્વસ્ત્રી હોય કે પરસ્ત્રી હોય (બંનેમાં છે). ૫૨સ્ત્રી (સેવન) માં તો મહાપાપ (છે ). અને સ્વસ્ત્રીમાંય પણ જ્યાં વિષયની વાસના છે એ પાપ (છે). એનાથી પણ છૂટવું છે. (તો ) એ (ભોગ) કરીને છુટાય ? (એમ ન હોય )! આવો માર્ગ છે! આહા... હા! રાગથી ખસીને એ ચૈતન્યબ્રહ્મ ભગવાન, પૂર્ણાનંદસ્વરૂપ; એમાં ગુસ થવું છે. એ પહેલાં-સમ્યગ્દર્શનમાં પણ ભેદની દૃષ્ટિ અને રાગની દષ્ટિ છોડી, અભેદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુમાં દષ્ટિ લગાવવી ત્યારે પણ એટલો તો એ શ્રદ્ધા-જ્ઞાનથી ગુસ થયો છે; પરથી ગુસ થયો છે. આહા... હા ! અહીંયાં તો આ પ્રતિક્રમણ એટલે ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર એટલે ચારિત્રના પેટાભેદમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સમાધિ, ભક્તિ આદિ એ બધા એના ભેદ છે. પણ એ બધા નિર્વિકલ્પ-વીતરાગીદશાના ભેદ છે. જુદા જુદા પ્રકારથી ખસવું પડે છે ને...? એ પ્રકારનું લક્ષ લઈને કોઈને પ્રતિક્રમણ કહ્યું, કોઈને પચખાણ કહ્યા, કોઈને સમાધિ, કોઈને ભક્તિ ( કહી ). Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320