________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૦૯ - ૧૭૫ [હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: ]
(વસંતતિનવા) ભવ્ય: समस्तविषयाग्रहमुक्तचिन्तः स्वद्रव्यपर्ययगुणात्मनि दत्तचित्तः। मुक्तवा विभावमखिलं निजभावभिन्नं
प्राप्नोति मुक्तिमचिरादिति पंचरत्नात्।। १०९ ।। [ શ્લોકાર્થ:- ] આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૯.
આ પ્રમાણે પંચરત્નો દ્વારા” શબ્દ નહીં હોં! ભાવ. અહીં તો શબ્દ દ્વારા કથન છે ને... પંચરત્નો દ્વારા “જેમણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે.” –રાગની ચિંતા તો ઠીક; પણ ક્ષાયિકભાવની-પર્યાયની ચિંતા પણ છોડાવી છે. આ પ્રમાણે પંચરત્નો દ્વારા સમસ્ત વિષયો એટલે કે પર્યાય, રાગ આદિ વિષયોના ગ્રહણની ચિંતાને છોડાવી છે. “અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે”-નિજ દ્રવ્ય ત્રિકાળી અને નિજ ગણ ત્રિકાળી; અને એના આશ્રયથી થયેલી નિર્મળ-વીતરાગીપર્યાય, એમાં જ્ઞાનની એકાગ્રતા કરી છે. એટલે કે પર્યાય અભેદ કરી દીધી છે, એમ કહેવું છે. ક્ષાયિકભાવ, પર્યાયનો એક ભેદ છે; એની પણ ચિંતા છોડાવી. પણ અહીંયાં જે દ્રવ્ય છે ત્રિકાળી, ગુણ છે જે ત્રિકાળી- એ તો એકરૂપ છે; એ બે વચ્ચે [ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનનનો] ભેદ છે, પણ પ્રદેશભેદ નથી. તો દ્રવ્યગુણનો અંદર ધ્યાનમાં આશ્રય લઈને જે પરિણતિ ઉત્પન્ન થઈ એ પર્યાય; એ પર્યાયને-જ્ઞાનને એકાગ્ર કરી છે. સમજાય છે કાંઈ? “નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્ત અર્થાત્ જ્ઞાનને એકાગ્ર કર્યું છે.” વર્તમાન પર્યાય એમાં એકાગ્ર થઈ છે. એક અગ્ર બનાવ્યું છે, ધ્રુવને જ એક અગ્ર બનાવ્યો છે, એમાં એકાગ્ર થયો છે.
જયસેનાચાર્યની ટીકામાં દ્રવ્ય-ગુણ-પર્યાય આવે છે. તો એમ જ કોઈ વખતે એવો અર્થ કર્યો હતો કેઃ “કારણપર્યાય છે ને ત્રિકાળ ! શું કહ્યું? ફરીઃ દ્રવ્ય ત્રિકાળ છે ધ્રુવ, શુદ્ધ પરિપૂર્ણ. ગુણ પણ પરિપૂર્ણ શુદ્ધ ધ્રુવ છે. અને એક કારણપર્યાય ઉત્પાદ-વ્યય વિનાની એ પણ ધ્રુવ છે. એ કારણપર્યાય છે. પણ તે આ ઉત્પાદ-વ્યયવાળી નહીં. “નિયમસાર ૧૫મી ગાથામાં એ (વિષય) આવ્યો છે. સમજાણું કાંઈ ? અનંતગુણ છે; એની પર્યાય “કારણપર્યાય' છે ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ. કેમ? ૨૦૦૨ ની સાલમાં સ્પષ્ટ કર્યું હતું કે, જેમ ધર્માતિ, અધર્માતિ, આકાશ અને કાળએ ચાર (દ્રવ્યની) પર્યાય પારિણામિકભાવની એકધારાવાહી છે. - શું કહ્યું? ધર્માસ્તિ,
સ્તિ, આકાશ અને કાળ; એની જે પર્યાય છે પરિણામિકભાવની (તે) એકધારા (રૂપે છે ) ત્યાં તો કોઈ બીજો ભાવ નથી, એકધારી-સરખી (પર્યાય છે). ત્યારે પર્યાય, ગુણ અને દ્રવ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com