________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી નિયમસાર: ગાથા ૮૪ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા
| [ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર ] आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८४।। आराधनायां वर्तते मुक्त्वा विराधनं विशेषेण।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८४ ।। अत्रात्माराधनायां वर्तमानस्य जन्तोरेव प्रतिक्रमणस्वरूपमुक्तम्।
यस्तु परमतत्त्वज्ञानी जीवः निरन्तराभिमुखतया ह्यत्रुटयत्परिणामसंतत्या साक्षात् स्वभावस्थितावात्माराधनायां वर्तते अयं निरपराधः। विगतात्माराधन: सापराधः, अत एव निरवशेषेण विराधनं मुक्त्वा। विगतो राधो यस्य परिणामस्य स विराधनः। यस्मान्निश्चयप्रतिक्रमणमयः स जीवस्तत एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते।
ગુજરાતી અનુવાદ : છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
અન્વયાર્થ:– વિરાધને ] જે (જીવ) વિરાધનને [ વિશેષેણ ] વિશેષતઃ [ મુક્વા ] છોડીને [ આરાધનામાં ] આરાધનામાં [ વર્તત ] વર્તે છે, [ સ: ] તે (જીવ ) [ પ્રતિવ્રમમ્] પ્રતિક્રમણ [૩વ્યસ્ત ] કહેવાય છે, [ પરમાત્ ] કારણ કે તે [ પ્રતિવ્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
જે પરમતત્ત્વજ્ઞાની જીવ નિરંતર અભિમુખપણે ( –આત્મસંમુખપણે ) અતૂટ (-ધારાવાહી) પરિણામસંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાં આત્માની આરાધનામાં -વર્તે છે તે નિરપરાધ છે. જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે; તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને એમ કહ્યું છે. જે પરિણામ ‘વિગતરાધ' અર્થાત *રાધ રહિત છે તે વિરાધન છે. તે ( વિરાધન વિનાનો-નિરપરાધ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે, તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે. * રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com