________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન: તા. ૨૭-૨-૧૯૭૮ (.... શેષાંશ પૃ. ૨૮૧)
જિનેશ્વર ભગવાન ત્રિલોકના નાથ એણે જે સૂત્રો કહ્યાં એમાં આ કહ્યું છે-રાગ વિનાની, સ્વરૂપસ્થિરતા અને રમણતાનું નામ ચારિત્ર અને તેનું નામ પ્રતિક્રમણ છે. એમ જિનવર ભગવાનના કહેલાં આગમોમાં–શાસ્ત્રોમાં તો આ કહ્યું છે. (તો કોઈ કહે કે, ) આ કીધું છે તો વ્યવહાર છે તે કયાં ગયો? –એ તો જાણવા લાયક છે. વ્યવહાર છે તે જાણવા લાયક છે; આદરવા લાયક નથી. એથી અહીં આદરવા લાયકમાં તો “ત્રિકાળી ભગવાનમાં અંદર સ્થિર થાય' , એમ જિનવરનાં શાસ્ત્રોમાં દ્રવ્યશ્રુતમાં પણ આ કહ્યું છે.
લ્યો! આમાં આવ્યું “દ્રવ્યશ્રુત'. (“સમયસાર' ગાથા-૧૫માં આવેલ) “નવેસન્તH.” એક (વર્તમાન જૈન મુનિ ) કહે છે કેઃ અપદેશનો અર્થ અખંડ લેવો. પણ બાપુ! “માવે સન્તમ” નો અર્થ એમ નથી. અહીં તો આ દ્રવ્યશ્રુતમાં એમ લ્ય છે કે: અપદેશ એટલે કથન. ભગવાનની વાણીમાં પણ એ આવ્યું છે કે, આત્માને અબદ્ધસ્કૃષ્ટ દેખેઅનુભવે તે જૈનશાસન' છે. -એમ વીતરાગની વાણીમાં આવ્યું છે. એ દ્રવ્યશ્રત. ત્યારે (તેઓ) કહે છે. એ દ્રવ્યકૃતની વ્યાખ્યા તો કરી નથી એમને (ટીકાકાર આચાર્યને) કાંઈ સમજાયું નહીં હોય. અરે.. અરે બાપા! એમ (કહેવું) રહેવા દે ભાઈ ! દ્રવ્યહૃતમાં કહ્યું છે એ વાત મૂકી દીધી; ભાવકૃત ‘આ’ છે એમ એણે જણાવ્યું. ( વળી) ભાવશ્રુત આમ છે એ કહેનાર તો દ્રવ્યશ્રત છે. આહા.. હા! અરે પ્રભુ! પોતે પોતાની કલ્પના માટે શાસ્ત્રના અર્થમાં પણ હેરફેર કરે, એમ ન થાય, ભાઈ ! પરમેશ્વરનું કહેલું ત્રિલોકનાથ જિનવરદેવ, જેને ચૈતન્યમાં અનંતા રત્નો પૂરા ખીલી ગયાં છે. જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ જ્યારે રત્ન કહેવા તો એની પૂરી દશાને શું કહેવું?! આહા... હા ! એવા રત્નની રાશિઓ જેને ખીલી ગઈ છે, ભાઈ ! તને વિશ્વાસ આવવો જોઈએ, ભાઈ ! આહા... હા ! જેવાં અનંત રત્નો ચૈતન્યના દ્રવ્યસ્વભાવમાં પડ્યાં છે એવા જ પર્યાયમાં અનંત રત્નો ખીલી ગયાં છે! જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને રત્નત્રય કહીએ તો પછી પૂર્ણ પર્યાયને પણ જ્યારે મહારત્નના ઢગલા પ્રગટયા, એમ કહીએ તો વસ્તુના રત્નની શી વાત કરવી ?! ભગવાન પરમાત્માના અનંત ચૈતન્યરત્નો ધ્રુવપણે છે, આહા... હા... હા! એની શી વાત કરવી ?!
(“હરિગીત' પાછળ પૃ. ૨૮૨ પર આપવામાં આવેલ છે.)
એમાં (ગાથામાં) એ આવ્યું: “નવરદિસુસુ” “fબળવરદિ' –જિનવરે કહેલું. બસ! ત્યારે “અપવે સન્તમ' માં એ આવ્યું અરેરે..! (મતિકલ્પનાએ અર્થ ન હોય.)
ટીકાઃ “આ ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.”
“સ્વદેશના ત્યાગથી” ઊપજતું આર્તધ્યાન. સ્વદેશ છોડીને ક્યાંક પરદેશ કે જ્યાં નહીં કુટુંબ, નહીં કબીલો અને એકલા ચાલ્યા જવું-આ રળવા માટે જાય છે ને... આફ્રિકા ને અરબસ્તાન (વગેરેમાં). પહેલાં ક્યાંય કુટુંબ-કબીલો મૂકીને (ચાલ્યા જાય છે). પછી તો ત્યાં મકાન થાય ને વળી કુટુંબ ભેગું થાય. (પહેલા) એકલો જાય આમ. કોઈ સગુંવહાલું નહીં. આહા. હા! કહે છે કે, એ સ્વદેશના ત્યાગમાં એને જે ધ્યાન થાય (તે) આર્તધ્યાન (છે). અરેરે ! કોઈ ન મળે. એનું આર્તધ્યાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com